Sunday, September 1, 2013

રૂપિયાનું અવમુલ્યન

આપણા  દેશમાં દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. કોઈ વડિલની વર્ષો જૂની એટલે કે તેમના સમયમાં જે ભાવે વસ્તુ ખરીદતા તેના અનેકગણા ભાવ આજે થઇ ગયા છે. રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું છે .પૈસાદાર વધારે પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધારે ગરીબ . સામાન્ય માણસ માટે આજના યુગમાં બાળકોને ભણાવવા , ઘર-સંસાર ચલાવવો ખુબ મુશ્કેલ બની ગયું છે. થોડા વર્ષો પેહલા ચલણમાં 5,10,20 પૈસા હતા જે આજે ચલણ માં જ નથી તેમ થોડા સમયમાં રૂપિયાનું પણ અસ્તિત્વ  નહિ રહે તેવું પ્રવતમાન સ્થિતિને આધારે અનુમાન કરી શકાય.
 
ભારત દેશની  આર્થિક પરિસ્થિતિને આધારે  .....
 
 
આપણા  માટે શરમજનક છે પણ હકીકત દર્શાવતો ફોર્વર્ડેડ મેસેજ.


 

વિચારબિંદુ -2


દીકરો-દીકરીના ભેદભાવ એ આપણે સામાજિકપ્રાણી જ નક્કી કરીએ છીએ. અમુક કાર્યો/કામ માત્ર સ્ત્રી જ કરે અને અમુક કાર્ય માત્ર પુરુષવર્ગ જ કરે તે આપણા જ બનાવેલ નિયમ છે. આજના યુગમાં સ્ત્રીએ દરેક ક્ષેત્રે સંઘર્ષ સાથે પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે અને ભવિષ્યમાં પણ મેળવતી જ રેહશે તે માટે તે દ્રઢ છે.  પરંતુ આજની સ્ત્રી હવે આ સ્ત્રી-પુરુષ (દીકરા-દીકરી)ના  ભેદભાવને દુર કરવા પ્રયત્ન કરે છે. જેમકે, પેહલાના જમાનામાં સ્ત્રી સ્મશાને ન જતી, કોઈને કાંધ ન આપતી કારણ આપણો સમાજ એમ કેહ્તો કે સ્ત્રીએ આમ ન કરાય અને તેની પાછળ અનેક કારણો જણાવતા પણ આજની નારી હવે અગ્નિદાહ દેવા જાય છે, અંતિમક્રિયા પણ કરે છે આવા સમયે મીડિયામાં આવે છે કે દીકરી/સ્ત્રી એ દીકરા બની જવાબદારી નિભાવી વગેરે... (અહી સ્ત્રી વર્ગ મીડિયાનો આભાર કહે છે કે જેને કારણે અનેક સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ જાગ્રત બને કે સ્ત્રી પણ હિમતશાળી છે અને તે પણ દરેક ક્રિયા કરી શકે છે). તે  ઈચ્છે છે કે સમાજ એમ કહે કે દીકરી/સ્ત્રી પણ એ કરી જ શકે છે તેમાં દીકરા જેવી જવાબદારી નિભાવી તે ઉમેરવાની જરૂ નથી. તે આ ભેદભાવ દુર કરવા ઈચ્છે છે.

હિંદુ લગ્નવિધિમાં ફેરા સમયે એક ફેરો ભાઈનો ફેરો હોય છે, જેમાં ભાઈ હાજર રહે છે અને બહેનને આશીર્વાદ આપે છે પરંતુ આજના યુગમાં હવે ભાઈનો ફેરો માત્ર ભાઈ જ કરે તેવું નથી બહેન પણ કરે જ છે. આ સમયે મેહમાન કેહતા હોય છે કે બહેને ભાઈનો ફેરો કર્યો પણ હવેની નારી તે ઈચ્છે છે કે મેહમાન/સમાજ કહે કે બહેને તેનો ફેરો કર્યો . અમુક વર્ગ/સમાજ આ સ્વીકારતી નથી પણ આવનાર સમયમાં ચોક્કસ દરેક વર્ગ તે સ્વીકરવા લાગશે જ. એટલું જ નહિ પણ આપણે ત્યાં રક્ષાબંધનમાં બહેન ભાઇની રક્ષા માટે રાખડી બાંધે છે (રાખડી બાંધવાથી જ રક્ષા થાય તે જરૂરી નથી પરંતુ આપણે શરુ કરેલ એક તેહવાર છે) પરંતુ હવેની યુગમાં બહેને પણ એકબીજાને રાખડી બાંધવી જોઈએ ( ઘણા લોકો શોખથી બાંધતા જ હોય છે), જેમ બહેન ભાઈને બાંધવા સાસરે હોય તો ત્યાંથી કે બહારગામ હોય તો ત્યાંથી આ દિવસે તેને મળવા માટે આવતી હોય છે તે રીતે બહેનને બાંધવા પણ આ રીવાજ શરુ કરવો જોઈએ કારણ કે રક્ષાની જરૂર તો સૌ ને છે તો શા માટે માત્ર ભાઈને જ રાખડી બાંધવાની? આમ, આવા અનેક નિયમો, રીત-રીવાજ છે જેને દુર કરવાના છે અને તે માટે સૌ પ્રથમ સ્ત્રીવર્ગ આગળ આવે, જુના રીત-રીવાજો, નીતિ-નિયમો સ્વીકરવાને બદલે તેની સામે લડશે ત્યારે જ આ સમાજમાંથી દીકરા-દીકરીના ભેદભાવ દુર થશે.

વિવેકાનંદજીએ કહેલું ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો’....
 

Sunday, July 7, 2013

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય- શું તે હમેશા સત્ય છે?


આપને ત્યાં અનેક ઘરડા ઘર છે અને તેમાં રેહતા વડીલની સંખ્યામાં વધારો થતો જ જાય છે. જે માં-બાપ ૨૫-૩૦ વર્ષ દીકરાને મોટા કરે છે તેને જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે અને તેમને ઘરડા ઘરનો આશરો લેવો પડે છે.જયારે આવી વાત જાણવામાં આવે ત્યારે એમ થાય કે એવું શું થાય હશે કે તેમને ઘર છોડવું પડ્યું? શું તેઓ અને દીકરા-વહુ એકબીજા સાથે થોડું ઘણું પણ એડજષ્ટ ન કરી શકે કે માં-બાપ ચાલ્યા ગયાઆવા સંજોગોમાં પાડોશી તેમજ કુટુંબી દ્વારા હમેશા દીકરા-વહુને જ ગુનેગાર ગણવામાં આવે છે કે વહુને ગમતું ન હતું, તેને હરવા-ફરવા જોય, ફરવું ગમે પણ કામ કરવું ન ગમે વગેરે..દીકરો પણ હવે વહુનો થઇ ગયો છે. વહુ જેમ કહે તેમ કહે અને ઘણા બોલે હવે તો  કેહવાય કે ' દીકરો તો વહુ દોરે તેમ જાય, દીકરો પારકી થાપણ કેહવાય'. સમાજમાં હમેશા દીકરા-વહુ ખોટા અને ખરાબ હોય છે પણ શું આ સાચું હોય છે? દીકરા-વહુ જ જવાબદાર?

 માં-બાપે પણ જમાના પ્રમાણે થોડો ઘણો પોતાના રીત-રીવાજો, નિયમોમાં ફેરફાર કરવો જોઈએ. સાસુ હમેશા વહુને કેહતી હોય કે અમે તો આમ કરતા, આટલું બધું કરતા અને તમારે તો હવે મશીન આવી ગયા છે, સ્વીચ પાડો ને કામ થયું અને ઘણી સાસુ આ જમાનામાં પણ એવો જ આગ્રહ રાખતી હોય છે કે મારી વહુ પણ આમ જ કરે. વહુ નોકરી કરતી હોય, આર્થિક સ્થિતિ સારી હોય છતાં પણ નવી જીવન શૈલી મુજબની ચીજ વસ્તુ ન ખરીદવા દે, પોતાનું જ વર્ચસ્વ ચલાવે ત્યારે વહુને દુ:ખ થાય સ્વાભાવીક છે છતાં પોતે ચલાવે રાખે છતાં સમાજમાં વહુને સંભાળવું પડે કે પેહલા તો બધું કામ જાતે જ કરતા પણ હવે કામવાળા રાખવા પડે છે અને તેના નખરા તો હાથ જોડાવે છે, પરંતુ વહુ 10-11 કલાકની નોકરી કરે છે સારો પગાર છે, તેની આગવી પ્રતિસ્થા છે અને સમય નથી રેહતો એટલે કામવાળા રાખવાનું કહે છે પણ તે ગૌણ બને છે . પણ શું દીકરાનો બાપ તેને કદી  સંભળાવે છે કે હું તારી ઉમરનો હતો ત્યારે જ ઘરની જવાબદારી મારી બની ગઈ હતી, નાના-મોટા બધા કામ હું જ કરતો, તારે તો માત્ર નોકરી/ વ્યાપાર  કરવાની છે અને ઘરમાં પૈસા આપવાના છે. તને છે ચિંતા બીલ ભરવાની કે વેરા ભરવાની? પ્રાઈવેટમાં ૧૨-૧૩ કલાકની નોકરી હોય ત્યારે દીકરા માટે આ બધું ખુબ મુશ્કેલ બની જાય છે. પરંતુ પિતા દ્વારા કદી આવું દીકરાને કેહવાતું નથી પરંતુ સાસુ દ્વારા હમેશા વહુને મેણા જ મળે. અને આવા સંજોગોમાં જો દીકરો વહુનો પક્ષ લે તો... નાના-મોટા ઝગડા. દીકરો વહુ બને સમજુ હતા અને સમજી ગયા કે આપને જ તેમની ઈચ્છા મુજબ ચાલવું પડશે, આ ઉમરે કઈ તેમને એકલા મુકાય નહિ, આપની ફરજ છે અને તેમ કરવું પણ યોગ્ય નથી. ગઢપણે  સ્વભાવ ન બદલે અને આપને જ બદલવું પડશે  અને ત્યારબાદ જયારે દીકરો-વહુ માફી માંગે, વાત પૂરી કરવા ઈચ્છતા હોય ત્યારે વડીલ બોલ્યા હશે..' છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય'. કોઈ જીદી અને ઘમંડી માં-બાપે જ આ કેહવત પડી હશે. કેહવાય છે ને - BOSS IS ALWAYS RIGHT . 

ગૌ શાળાની મુલાકાત


સામાન્ય રીતે આપણે આજુ-બાજુમાં જે જોઈએ તેને ધ્યાનમાં લેતા નથી, તેને જાણવાની કોશિશ કરતા નથી. આપણા ઘર પાસે ઉભેલ પશુને આપણે હટાવવા જ પ્રયાસ કરતા હોય છે. નાના હોય ત્યારે શાળા દરમ્યાન પશુ-પક્ષીના  લક્ષણ, આપણા માટે તેનું મહત્વ,  આપણને તે કઈ રીતે ઉપયોગી થાય છે તે શીખવવામાં આવતું પરંતુ આપણે તે માત્ર પરીક્ષા પૂરતું સીમિત રાખીને ભૂલી જાય છીએ. આપણા આંગણે કે ગલીમાં ઉભેલી ગાયને દિવસમાં બે વાર માત્ર એઠવાડ જ આપીએ છીએ. રસ્તા પર ફેકેલ કચરો, પ્લાસ્ટિક વગેરે તે આરોગતી હોય છે, તેનાથી અસંખ્ય ગાયોનું મોત પણ થયું છે. આપણે કદી વિચારતા નથી કે ગાયને આપણી માતા ગણવામાં આવે છે, તે આપણને દૂધ આપે છે તેને આપણે ઘાસચારો ન આપીએ તો કઈ નહિ પરંતુ રસ્તા પર ફેકેલ કચરો, કાગળ,પ્લાસ્ટિક વગેરે તે ન ખાય તે માટે રસ્તા પર ન ફેકવા જોઈએ અને તેનાથી રસ્તા પણ સ્વચ્છ રેહશે.

સ્ત્રીઓ વર્ષમાં એકવાર વ્રત કરી ગાયની પૂજા પણ કરે છે, તે દિવસે તેને બાજરો અને જુવાર આપશે પણ બીજે દિવસે તો ફરી તેને એ જ વધેલ જમવાનું!!! આપણે લોકો તો માત્ર મકરસંક્રાતિને દિવસે ગાય માટે માત્ર ફાળો લખાવીએ છીએ અને તે પણ આપના સ્વાર્થ માટે (આ દિવસે તો ગૌ દાન કરવું જ જોઈએ). પરંતુ અનેક એવી સંસ્થા છે જ્યાં ગાયને પાળવામાં આવે છે, તેની સેવા કરવામાં આવે છે, તેને સમયસર અન્ન મળે તેની વ્યવસ્થા પણ છે. આવી જ એક સંસ્થાની મુલાકાત આપણને આપની ભૂલ સમજાવે છે. નાની ગાયોનું ટોળું જોતા જ સૌરાષ્ટ્રવસીનું ગમતું ભજન છોટી છોટી.. છોટે છોટે... યાદ આવી જાય.  નાના બાળકના  ચહેરા જેવી જ માસુમીયત તેના ચહેરા પર પણ જોવા મળે છે. આવી જ થોડી તસવીરો.....
 
 





 

 

 

નસીબ


નસીબ 

હાથોકી લકીરો મેં લિખા હૈ જો નસીબો મેં,..........

દરેક વ્યક્તિ નસીબ લઈને જ દુનિયામાં આવે છે. કોઈના નસીબનું કોઈ લઇ શકતું નથી. માત્ર જરૂર છે એ નસીબને સ્વીકારવાની. સામાન્ય રીતે માનવી સવારે જાગે અને રાતે સુવે તેટલા સમયમાં પોતાની આસપાસના લોકોની, સબંધીની વાતો, ઈર્ષા કરતા હોય છે. પોતાના કરતા તે કેટલી રીતે સુખી છે તે જોઈ દુ:ખી થતા હોય છે. અને સામાન્ય રીતે સુખીની વ્યાખ્યા ભૌતિક સુખ-સગવડ જ ગણવામાં આવે છે, જેમ કે, તેની પાસે મોટરકાર-બંગલો છે, ઘરમાં પણ અનેક સારી વસ્તુ છે, અમારી પાસે નથી અને આવી ઘણી બધી બાબત હોય છે. શું જેની પાસે પૈસા-બંગલો વગેરે છે તે જ સુખી છે? શું તે સુખી છે? અને જેની પાસે આ બધું નથી પણ પ્રેમ છે તે દુ:ખી છે?કમનસીબ છે? શું તે સુખી નથી? માત્ર જરૂર છે પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની. આપની મંજિલ સુધી પહોંચવા આપણે સાચા-ખોટા અનેક વિકલ્પનો ઉપયોગ કરતા હોય છે, મંજિલ એક હોય છે અને રસ્તા ઘણા હોય છે. આપની તકદીર હાથમાં છે અને આપણે એમ કેહતા હોય છે કે હાથ ખાલી છે. નસીબને સદનસીબ બનાવવા મંજિલ સુધી પહોંચવા યાદ રાખવા જેવું છે.

THE PERFECT DAY/LIFE

GOING TO BED WITH A DREAM, WAKE UP WITH A PURPOSE. 

 ઉપરાંત આપણે હમેશા એવું આપણી નજરથી જ નહિ પણ અન્યની નજરથી જોવું જોઇએ. અને એટલે જ....
એવું ક્યારેય ન માનતા કે તમને જે કઈ મળ્યું છે તે તમારી આવડત, હોંશિયારી કે ચાલાકીથી મળ્યું છે.

નજર દોડાવશો તો તમારા જેવા હોંશિયાર લોકો ઘણા દેખાશે જેમને આ બધું નથી મળ્યું.

પતિ-પત્ની, મા-બાપ, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, બહેન-બહેન, દીકરો-દીકરી, આ બધા સંબંધો લેણા-દેણીને ઋણાનુબંધની વાત છે તેને લઈને ઉભા થતા સુખ-દુ:ખ તો ભોગવ્યે જ છુટકો.ઉપરાંત આ દુનિયાના દરેક સબંધો સ્વાર્થ પર જ બંધાયા છે, મારે બંને એટલું ઓછુ દેવું છે અને તમારે બંને એટલું વધારે લેવું છે તેનું ગણિત ફેરવી નાખવું જોઇએ અને સાથે જ સુખની વ્યખ્યા ફરી જશે. આગે સુખ તો પીછે દુ:ખ હૈ, પીછે દુ:ખ તો આગે સુખ હૈ. સુખનો અહેશાશ ત્યારે જ થાય જયારે દુ:ખ નો અનુભવ થાય.

એટલે જ કહ્યું છે ને..

પહેલું સુખ તે જાતે નર્યા

છેલ્લું સુખ તે શાંત જીવે માર્યા

 

Monday, April 29, 2013

સ્વચ્છતાનો અભાવ-ગંદકી













ગંદકી, ગંદકી , ગંદકી અને  તે પણ સરકારી ઓફિસમાં ...........

Sunday, March 31, 2013

સંયુક્ત કુટુંબપ્રથા-શું કુટુંબ ખરેખર સંયુક્ત છે?


૮મી-માર્ચ (વુમન્સ ડે ને દિવસે એક જાહેર પ્રોગ્રામમાં જવાનું થયું. ત્યારે ઉપસ્થિત મહેમાનો પૈકી એક સ્ત્રી એ પોતાના વક્તવ્યમાં સ્ત્રીદિવસ ની તમામ માહિતી આપી જેમ કે, શા માટે ઉજવવામાં આવે છે, ક્યારથી ઉજવવામાં આવે છે વગેરે. આ ઉપરાંત સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શક્તિ વિષે પણ સુંદર પ્રવચન આપેલ. તેમના જણાવ્યા અનુસાર ભારતમાં જ કુટુંબપ્રથા જવા મળે છે. અન્ય દેશોમાં પતિ-પત્ની જોબ/બીસનેઝ કરે છે પણ સાથે રેહતા નથી કે સાથે રહી શકતા નથી કારણ કે તેમના વર્કિંગ પ્લેસ અને રેસીડેન્સ પ્લેસ ઘણા દુર હોય છે અને એટલે જ તેઓ અમુક દિવસે પોતાના સમયે મળે છે, સમય વિતાવે છે. જયારે પતિ-પત્ની જુદા રેહતા હોય ત્યાં સંતાનો કેવી રીતે, કોની સાથે રહે એ એક સવાલ છે.

ત્યારે જ મનમાં સવાલ થાય કે આપણે ત્યાં જ્યાં વર્કિંગ કપલ હોય ત્યાં હમેશા સંતાનને આખો દિવસ ક્યાં સાચવવો એ પ્રશ્ન હોય છે. ઘરમાં કોઈ દેખરેખ રાખનાર હોય તો પ્રશ્ન નથી પણ જયારે કોઈ ન હોય ત્યારે મુશ્કેલી પડે છે.આ લોકો બીઝી હોય ત્યારે સમાજમાં ચોમેર ઘણી ચર્ચા થતી હોય છે કે બાળકને સંસ્કાર ક્યાંથી મળે? બાળકનો વિકાસ કેવી રીતે થાય? શું વિદેશમાં આ પ્રશ્ન નહિ થતા હોય? અને આવા જ સામાજિક તુચ્છ વિચાર ને કારણે આપણે ત્યાં હજુ સંયુક્ત કુટુંબ જોવા મળે છે. પતિ-પત્ની બંને કમાતા હોય, પોતાની જરૂરિયાત માટે કે પોતાની ઓળખ માટે સ્ત્રી બહાર નોકરી કરવા જાતિ હોય ત્યારે ઘરમાં રેહનાર વ્યક્તિને સ્વભાવિક તકલીફ પડે જ છે પરંતુ જે ઘરમાં સ્ત્રી માત્ર ગૃહિણી છે તેવા ઘરમાં પણ તકલીફ પડે જ છે.આપણે ત્યાં આપની સંસ્કૃતિ/પરંપરા નિભાવવા સંયુક્ત કુટુંબ જોવા મળે છે. સમાજમાં મોટાભાગના લોકો એવું જ સમજે છે કે તે લોકો કેટલી સુંદર રીતે એક ઘરમાં સાથે રહે છે અને એકબીજાના ઉદાહરણ આપી એક ઘરમાં રહે છે પરંતુ વાસ્તવમાં સંયુક્ત કુટુંબમાં સંયુંક્ત્તા રહી નથી, સંપ રહ્યો નથી પણ  આપણી પરંપરાને કારણે જ સંયુક્ત કુટુંબ છે.

એક જ ઘરમાં ભાઈ-ભાઈને, દેરાણી-જેઠાણીને, નણંદ-ભોજાઈને, સાસુ-વહુને, માં-દીકરાને, બાપ-દીકરાને બનતું નથી. કોઈને કોઈ કારણસર ઘરમાં કાયમી ધોરણે ઝગડા થતા હોય છે. દેરાણી એ વસ્તુ લીધી તો મારા માટે કેમ ન લાવી? હવે હું પણ નહિ લાવું? અથવા હવે હું ફરવા જઈશ ત્યારે તેને નહિ કહું વગેરે. આ રીતે નાની-નાની વાતમાં ઝગડાની શરૂઆત થાય છે. કોઈ વાર ઘરમાં બાળકોના ભણતર, રમત માટે પણ ઝગડા થતા હોય છે તો કોઈ વખત વડીલને દેખરેખ માટે. અને ધીમે-ધીમે તો ઝગડવા માટેના કારણો શોધતા હોય છે. પરંતુ ઘરમાં રહેલ વડીલની ઈચ્છા, આર્થીક તકલીફ, અન્ય કોઈ મજબુરીથી જુદા રેહતા નહિ કે રહી શકતા નથી. અથવા ધંધા પણ સંયુક્ત હોય ત્યારે પણ. આવા કુટુંબો સંયુક્ત ચોકકસ જોવા મળે છે પરંતુ તેમાં સંપ/સંયુંક્ત્તા હોતી નથી. કોઈ અન્યને જણાવે છે તો કોઈ સમાજથી છુપાવે છે અને એટલે જ ઘરની બહાર નીકળે ત્યારે બનાવટી હસમુખા ચેહરા લઇને ફરવાની કોશિશ કરતા હોય છે અને પોતાને તેમજ બીજાને દીલાશા આપતા હોય છે કે ઘર હોય ત્યાં થોડું-ઘણું તો ચાલે રાખે, ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ ને? જયારે અમુક લોકો ઘરની બહાર કે ફોન પર ટીકા/ ઉગ્રતા વ્યક્ત કરતા હોય છે. ઘરમાં રહીને કાયમી અબોલા હોય છે ત્યારે એક સમજુ વર્ગ પણ છે જે વિચારે છે કે દુર/જુદા રેહ્વાથી પણ કાયમી બોલી સબંધ રાખી શકાય છે. વાસ્તવમાં આપણે ત્યાં સંયુક્ત કુટુંબપ્રથા છે પણ સંયુંક્તતા લુપ્ત થઇ ગઈ છે, ત્યારે સવાલ ઉદ્ભવે કે શું આ રીતે રેહવું જોઇએ?