Sunday, March 31, 2013

સંયુક્ત કુટુંબપ્રથા-શું કુટુંબ ખરેખર સંયુક્ત છે?


૮મી-માર્ચ (વુમન્સ ડે ને દિવસે એક જાહેર પ્રોગ્રામમાં જવાનું થયું. ત્યારે ઉપસ્થિત મહેમાનો પૈકી એક સ્ત્રી એ પોતાના વક્તવ્યમાં સ્ત્રીદિવસ ની તમામ માહિતી આપી જેમ કે, શા માટે ઉજવવામાં આવે છે, ક્યારથી ઉજવવામાં આવે છે વગેરે. આ ઉપરાંત સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શક્તિ વિષે પણ સુંદર પ્રવચન આપેલ. તેમના જણાવ્યા અનુસાર ભારતમાં જ કુટુંબપ્રથા જવા મળે છે. અન્ય દેશોમાં પતિ-પત્ની જોબ/બીસનેઝ કરે છે પણ સાથે રેહતા નથી કે સાથે રહી શકતા નથી કારણ કે તેમના વર્કિંગ પ્લેસ અને રેસીડેન્સ પ્લેસ ઘણા દુર હોય છે અને એટલે જ તેઓ અમુક દિવસે પોતાના સમયે મળે છે, સમય વિતાવે છે. જયારે પતિ-પત્ની જુદા રેહતા હોય ત્યાં સંતાનો કેવી રીતે, કોની સાથે રહે એ એક સવાલ છે.

ત્યારે જ મનમાં સવાલ થાય કે આપણે ત્યાં જ્યાં વર્કિંગ કપલ હોય ત્યાં હમેશા સંતાનને આખો દિવસ ક્યાં સાચવવો એ પ્રશ્ન હોય છે. ઘરમાં કોઈ દેખરેખ રાખનાર હોય તો પ્રશ્ન નથી પણ જયારે કોઈ ન હોય ત્યારે મુશ્કેલી પડે છે.આ લોકો બીઝી હોય ત્યારે સમાજમાં ચોમેર ઘણી ચર્ચા થતી હોય છે કે બાળકને સંસ્કાર ક્યાંથી મળે? બાળકનો વિકાસ કેવી રીતે થાય? શું વિદેશમાં આ પ્રશ્ન નહિ થતા હોય? અને આવા જ સામાજિક તુચ્છ વિચાર ને કારણે આપણે ત્યાં હજુ સંયુક્ત કુટુંબ જોવા મળે છે. પતિ-પત્ની બંને કમાતા હોય, પોતાની જરૂરિયાત માટે કે પોતાની ઓળખ માટે સ્ત્રી બહાર નોકરી કરવા જાતિ હોય ત્યારે ઘરમાં રેહનાર વ્યક્તિને સ્વભાવિક તકલીફ પડે જ છે પરંતુ જે ઘરમાં સ્ત્રી માત્ર ગૃહિણી છે તેવા ઘરમાં પણ તકલીફ પડે જ છે.આપણે ત્યાં આપની સંસ્કૃતિ/પરંપરા નિભાવવા સંયુક્ત કુટુંબ જોવા મળે છે. સમાજમાં મોટાભાગના લોકો એવું જ સમજે છે કે તે લોકો કેટલી સુંદર રીતે એક ઘરમાં સાથે રહે છે અને એકબીજાના ઉદાહરણ આપી એક ઘરમાં રહે છે પરંતુ વાસ્તવમાં સંયુક્ત કુટુંબમાં સંયુંક્ત્તા રહી નથી, સંપ રહ્યો નથી પણ  આપણી પરંપરાને કારણે જ સંયુક્ત કુટુંબ છે.

એક જ ઘરમાં ભાઈ-ભાઈને, દેરાણી-જેઠાણીને, નણંદ-ભોજાઈને, સાસુ-વહુને, માં-દીકરાને, બાપ-દીકરાને બનતું નથી. કોઈને કોઈ કારણસર ઘરમાં કાયમી ધોરણે ઝગડા થતા હોય છે. દેરાણી એ વસ્તુ લીધી તો મારા માટે કેમ ન લાવી? હવે હું પણ નહિ લાવું? અથવા હવે હું ફરવા જઈશ ત્યારે તેને નહિ કહું વગેરે. આ રીતે નાની-નાની વાતમાં ઝગડાની શરૂઆત થાય છે. કોઈ વાર ઘરમાં બાળકોના ભણતર, રમત માટે પણ ઝગડા થતા હોય છે તો કોઈ વખત વડીલને દેખરેખ માટે. અને ધીમે-ધીમે તો ઝગડવા માટેના કારણો શોધતા હોય છે. પરંતુ ઘરમાં રહેલ વડીલની ઈચ્છા, આર્થીક તકલીફ, અન્ય કોઈ મજબુરીથી જુદા રેહતા નહિ કે રહી શકતા નથી. અથવા ધંધા પણ સંયુક્ત હોય ત્યારે પણ. આવા કુટુંબો સંયુક્ત ચોકકસ જોવા મળે છે પરંતુ તેમાં સંપ/સંયુંક્ત્તા હોતી નથી. કોઈ અન્યને જણાવે છે તો કોઈ સમાજથી છુપાવે છે અને એટલે જ ઘરની બહાર નીકળે ત્યારે બનાવટી હસમુખા ચેહરા લઇને ફરવાની કોશિશ કરતા હોય છે અને પોતાને તેમજ બીજાને દીલાશા આપતા હોય છે કે ઘર હોય ત્યાં થોડું-ઘણું તો ચાલે રાખે, ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ ને? જયારે અમુક લોકો ઘરની બહાર કે ફોન પર ટીકા/ ઉગ્રતા વ્યક્ત કરતા હોય છે. ઘરમાં રહીને કાયમી અબોલા હોય છે ત્યારે એક સમજુ વર્ગ પણ છે જે વિચારે છે કે દુર/જુદા રેહ્વાથી પણ કાયમી બોલી સબંધ રાખી શકાય છે. વાસ્તવમાં આપણે ત્યાં સંયુક્ત કુટુંબપ્રથા છે પણ સંયુંક્તતા લુપ્ત થઇ ગઈ છે, ત્યારે સવાલ ઉદ્ભવે કે શું આ રીતે રેહવું જોઇએ?

Wednesday, February 20, 2013

સમય સાથે સ્થાનની ફેરબદલી


આપના સમાજમાં દીકરીની ઘરે માં-બાપ ક્યારેય ખાલી હાથ ન જવાય એવી માન્યતા છે અને એટલે જ દીકરીના માં-બાપ કઈ ને કઈ વસ્તુ/નાસ્તો લઇ જ જાય. દીકરી ગમે તેટલી ના પડે પણ માં-બાપ ન જ માને અને તેમાં પણ પૌત્ર/પૌત્રી આવ્યા બાદ તો ખાસ. અને તે પણ રાહ જોતા હોય નાના તમે ક્યારે આવશો?મારા માટે શું લાવશો? ઘરમાં બધા કહે કે લાવવાનું ન કેહવાય પણ નાના-નાની આગળ તો હકથી માંગે અને તે રાજી રાજી લાવે પણ.પૌત્રી તેમની આતુરતાથી રાહ જોતી હોય છે, ક્યારે આવશે, હજુ કેમ ન આવ્યા? અને નાના-નાની આવે તે સાથે જ તેના હાથમાંથી જ બેગ લઇ લે, નાના-નાની ઘરમાં બેસે તે પેહલા તો વસ્તુ ખુલી પણ ગઈ હોય અને વડીલ માટે તે ક્ષણ દુનિયાની સૌથી પ્રિય ક્ષણ હોય છે.દીકરી-જમાયના સમાચાર તો પછી જ,પેહલા પૌત્રી/પૌત્રી. દીકરી તો વહાલનો દરિયા છે,દીકરી વિષે જે કઈ કહીએ તેટલું ઓછુ પણ તેનાથી પણ વિશેષ વ્યાજ હોય છે. દીકરીને ના કહી શકે, ગુસ્સો કરે પણ પૌત્ર/પૌત્રી પર ન ગુસ્સો કરે અને ન કરવા દે, અને એટલે જ કેહવાય ને મૂડી કરતા વ્યાજ વહાલું હોય છે. ૧ મહિનાની હતી ત્યારે પણ અને આજે ૨૨ વર્ષની થઇ તો પણ તે પરંપરા ચાલુ જ રહે છે પરંતુ
આજે નાના-નાની ઉમર ને લીધે બહાર નીકળતા નથી, ઘરમાં જ હોય છે અને ત્યારે દીકરી-જમાય,પૌત્રી સૌ તેમને મળવા જતા હોય છે. પૌત્રી મોટી થઇ ગઈ છે, બહારગામ નોકરી કરે છે અને થોડા-થોડા દિવસે પોતાને ગામ માં-બાપને મળવા આવે છે ત્યારે નાના-નાનીને પણ મળે જ. હવે પોતાને પગભર દીકરી નાના-નાનીને મળવા જાય ત્યારે તેમને ગમતી અને ભાવતી વસ્તુ લઇ ને જાય છે. આપને ત્યાં માં-બાપ દીકરી ના ઘરનું ન જમે, કઈ ન લે પણ પૌત્રી આગળ તો તેમનું કઈ ન ચાલે અને આજે જયારે તે પ્રેમથી વસ્તુ લાવે છે ત્યારે તેના નાના-નાની ના પણ નથી કેહતા અને રાજી-રાજી તેની લાવેલી વસ્તુ સ્વીકારે છે. અહી, પૌત્રી જયારે નાની હતી ત્યારે તેને માટે જે કઈ વસ્તુ લઇ ને જતા ત્યારે બનેને જે ખુશી થતી તે જ ખુશી આજે પણ છે તફાવત માત્ર સ્થાનની ફેરબદલી જ છે.
 

Sunday, February 17, 2013

HE WILL PROPOSE ME YES/NO? HE WILL PROPOSE ME YES/NO? YES BUT…….


અનમોલ અને અમોલ બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. અનમોલ માટે પ્રથમ જોબ હતી, પેહલી જ જોબ હોય થોડો ડર હતો, કોની સાથે કેવી રીતે વાત કરવી વગેરે મુંજવણ રેહતી. અમોલ આ  કંપનીમાં ૬/૮ મહિનાથી કામ કરતો હતો. અનમોલ અને અમોલ બંને એક જ ટીમમાં હતા, અનમોલ ખુબ સ્વમાની છોકરી હતી, કામમાં પૂરી લગન અને મહેનતથી કામ કરતી જયારે અન્ય છોકરીઓ ઓફિસના અન્ય છોકરા પાસે કામ કરાવતી, તેમની સાથે બહાર હરવા-ફરવા પણ જતી. જયારે અનમોલ ક્યારેક જ તેમને જોઇન્ટ કરતી અને અમોલ પણ. અનમોલને ઓફિસમાં કઈ પણ મુશ્કેલી પડે તો તે અમોલને જ પૂછતી. અમોલ કો-ઓપરેટીવ હતો અને અનમોલને યોગ્ય જવાબ આપતો. અમોલ પણ સ્વમાની હતો, તેને સ્વાર્થી લોકો ન ગમતા અને તે ઓફીસના અન્ય સાથે માત્ર કામથી કામ જ વ્યવહાર રાખતો. આમ, અમોલ અને અનમોલ બનેના સ્વભાવ સરખા હતા. બંને ધીમે-ધીમે ફ્રેન્ડ બની ગયા. રોજ કોમન SMS કરતા, રજાના દિવસે પણ ફોન પર વાત કરતા, અને ઘણી વાર સુધી વાર કરતા. આમ, બનેને એક-બીજા વગર ચાલતું ન હતું.

અનમોલને લવ એટલે શું એ ખ્યાલ ન હતો, તે લગ્ન/લવ વગેરે માટે ક્યારેય ન વિચારતી, તેને એ બધુ ખોટું જ લાગતું. અને એટલે જ તેના કુટુંબી કે મિત્ર કોઈ તેના અને અમોલ માટે ફ્રેન્ડશીપ સિવાય બીજું કઈ વિચારી પણ ન શકતા. અમોલ અનમોલના પ્રેમમાં હોય તેવું તેના મિત્રને લાગતું પણ તે કશું બોલતો નહિ તેવું તેમને લાગતું. ૧ વર્ષ બાદ કોઈ કારણથી બંને તે નોકરી છોડી અને ત્યારબાદ બંને જુદી-જુદી નોકરીમાં જોડાયા.ધીમે-ધીમે બનેનો કોન્ટેક્ટ ઓછો થઇ ગયો, અનમોલ ફોન કરે અને અમોલ સાથે વાત ન થઇ શકે તો તેને ગમતું અને અમોલ ને પણ એવું જ થતું. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા પણ તેમને ખ્યાલ ન હતો કે આ પ્રેમ છે અથવા એકબીજાને કેહવા માટે ડરતા હતા. અનમોલ ઘણીવાર વિચારતી કે જો અમોલ સાચે જ તેને પ્રેમ કરતો હોય તો પોતાની નાની-નાની જરૂરિયાતનું ધ્યાન રાખે, ગીફ્ટ આપે પણ એવું કઈ ના હતું એટલે તે વિચારતી કે અમોલ તેને લવ નથી કરતો અને તેને પ્રપોસ ન કરતી. અમોલને પણ આવું જ કઈ થતું અને તે પણ પ્રપોસ ન કરતો. સાયદ બનેને એકબીજા ના કહે તેવો ડર હતો. અનમોલ ઘણી વખત કાગળ પર He will propose me Yes or Not કરે રાખતી
Yes
No
Yes
No
Yes
અને હમેશા જવાબ યશ જ આવતો, ઉપરાંત આવા અનેક અખતરા કરતી અને હમેશા જવાબ યસ જ આવતો અને એટલે જ તે અમોલના પ્રપોસ માટે રાહ જોતી. 

આ દરમ્યાન અમોલના પિતાની તબિયત નાતંદુરસ્ત રેહતા તેમને અચાનક અમોલના લગ્ન કરાવવાનો નિર્યણ લીધો, પોતાના જ એક મિત્રની દીકરી સાથે તેના લગ્ન નક્કી કરી નાખ્યા, અમોલની ઈચ્છા જાણ્યા વગર અને અમોલ કઈ વિરોધ પણ ન કરી શક્યો કારણ પિતાની તબિયત ગંભીર હતી. થોડા દિવસમાં જ તેને અનમોલને ફોન કરી પોતાના લગ્નની તારીખ જણાવી અને કહ્યું કે તારે આવવાનું છે, તને કંકોત્રી નહિ આપું કારણ ઘરનાને કંકોત્રી ન હોય. ત્યારે તેના અવાજમાં એક દર્દ હતો જે અનમોલને અહેશાશ થયો, તે વિચારતી જ રહી કે શા માટે પોતે પ્રપોસ ના કર્યું અને પછી મનને માનવી લીધું કે શાયદ ભગવાનને મંજુર નહિ હોય, નસીબમાં નહિ હોય. તે ખુબ રડી, પેહલી વખત પ્રેમનો અહેશાશ થયો અને ...આ વાત ને ૮ મહિના બાદ અનમોલની પણ સગાઇ થઇ, તેના પણ લગ્નની તારીખ આવી ગઈ હતી. આ વાતની જાણ અમોલને થતા તેને અનમોલ ને ફોન કર્યો, તેને બેસ્ટ વિશિસ પણ આપ્યા અને અંતે કહ્યું અનમોલ I WAS IN LOVE WITH YOU પણ હું તને કહી ન શક્યો, તારી કેહવાની જ રાહ જોતો રહ્યો. આજે કેહવાનો કોઈ અર્થ નથી પણ એકવાર દિલની વાત તને કેહવાની ઈચ્છા હતી એટલે આજે કહી દીધું.  હું મારી પત્નીને પ્રેમ કરવા લાગ્યો છુ, તેનું ધ્યાન પણ રાખું છુ પણ FIRST LOVE CAN NEVER FORGET, I STILL LOVE YOU. સાચું કેહ્જે તું પણ મને લવ કરે છે ને? અનમોલ કશું બોલ્યા વગર રડતી જ રહી, અમોલને તેનો જવાબ મળી ગયો. બંને કાયમ મિત્ર રેહશે તેની ખાતરી આપી અને ફોન રાખી દીધો. અનમોલ ને પોતાની પોતે કાગળ પર યસ/નો લખતી અને હમેશા યસ જ આવતું તે યાદ આવ્યું, તે સાચું હતું પણ સમય પસાર થઇ ગયો હતો. અને આજે પણ તે જયારે એકલતા અનુભવે જે ત્યારે અમોલને યાદ કરે છે, કાગળ પર લખે તે મને ફોન કરશે/નહિ કરે ને જવાબમાં ફોન કરશે તેવું જ આવે છે અને ક્યારે ફોન આવશે તે દિવસની રાહ જોવે છે.

WHEN YOU FALL IN LOVE DON’T WASTE TIME TO WAIT , JUST PROPOSE. DEFINITELY YOU GET POSITIVE REPLY, ONCE TIME GOES NEVER COME BACK.  

Friday, January 11, 2013

વિચારબિંદુ-1

માણસના મૃત્યુ બાદ તેના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને આ ધામિક વિધિમાં કુટુંબના સર્વે સભ્યો હાજરી આપે છે. મરનાર વ્યક્તિ નાની હોય કે મોટી વયની પરંતુ તેના જવાનો ગમ સૌને હોય છે (અલબત કોઈ વાર કોઈના મૃત્યુથી કોઈ છૂટકારો મેળવવાનો  હાશકારો મેળવતા હોય છે).અને આ ગમમાં ભાગીદાર  થવા છાપામાં જાહેર આમત્રણ આપવામાં આવે છે અને તે દિવસે સબંધી/કુટુંબી સૌ કોઈ પૂરી શિસ્ત, સમયસર, અને યુનિફોર્મમાં હાજરી આપે છે. આ દિવસે જેમને વર્ષોથી પણ જોયા ન હોય, મળ્યા ન હોય, ફોન પણ ન કાર્ય હોય તે સૌ કોઈ સફેદ કપડામાં હાજરી આપવા આવી જાય છે. બે મિનટ હાથ જોડે છે, કુટુંબીને આશ્વાશન  આપે છે અને તે દિવસે મરનાર વ્યક્તિના ગુણગાન ગાવામાં કોઈ થાકતું જ નથી. જીવતા હતા ત્યારે કોઈ દિવસ તેમની કદર ન કરી તેમને હમેશા અપજસ મળતા રહ્યા અને જયારે તે હયાત નથી ત્યારે સન્માનિત કરે છે. કોઈ જ્ઞાતિમાં ૨-૩ દિવસે વિધિ પૂરી કરવામાં આવે છે તો કોઈમાં ૧૦-૧૨ દિવસ સુધી કોઈને કોઈ વિધિ કરવામાં આવતી હોય છે. જેમ કે, દાળો, સોળધામ વગેરે અને તે દિવસે દરેક સબંધી/કુટુંબીને જમાડવામાં આવે છે અને તેમાં લાડવા તો હોય જ. પણ અહી એ વાત ચોકસ છે કે પછી કોઈ ટીકા/ટીપની નથી કરતુ, મરનાર વ્યક્તિના સારા-ખરાબના  ગુણગાન તેની ક્રિયા સાથે જ સમાપ્ત થાય છે.

જયારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેની પાછળ આવી ક્રિયા કરવામાં આવે છે, ટુકમાં અન્ય જાણીતા પણ પોતાને દુ:ખ થયું તે વ્યક્ત કરાવવા આવે છે, અલબત નીમ્ત્રણ પણ આપેલ હોય છે કે આવો અને અમારા દુ:ખમાં સહભાગી બનો. પરંતુ જીવનમાં ઘણી  વખત આપને દુ:ખ નો સામનો કરવો પડે છે ત્યારે શું આપને ઉઠમણું ન રાખી શકી? જેમ કે, કોઈ દીકરો તેના માતા-પિતાને ઘરમાંથી કાઢી મુકે, ઘર છોડી ચાલ્યા જાય ત્યારે થોડા સમય તો માં-બાપ આ વાત અન્યથી છુપાવવા કોશિશ કરે, રસ્તામાં કોઈ ઓળખીતું મળે તો નજર ફેરવી લે કારણ કે ડર હોય કે હમણાં તે દીકરા વિષે પૂછશે તો? અને આ દુ:ખ શાયદ મૃત્યુના દુ:ખ કરતા અનેકગણું વધારે હોય છે ત્યારે કોઈ બે ઘડી હાથ પકડી વાત સાંભળે/ તેના બે શબ્દો હળવા કરે તેવું હોવું જોઈ પણ  આ સમયે સમાજ તેમને સહારો/આશ્વાશન આપવાને બદલે તેમને   ખોટું થયું તેવો જ એહસાસ કરાવવામાં આવે છે અને મરી-મસાલા ઉમેરે છે . જેમ કે, તેમને તમારો વિચાર પણ ન કર્યો કે બિચારા માં-બાપ એકલા થઇ જશે? શું કરશે? વગેરે..  


એટલું જ નથી જયારે કોઈ દીકરી તેના પિતાનું ઘર છોડી કોઈ દીકરા સાથે ભાગી જાય ત્યારે માં-બાપને જે દુ:ખ થાય તે જયારે કાચ ફૂટ્યા બાદ તેના દરેક ટુકડા માં  પોતાનો પ્રતિબિંબ  દેખાય તેવું હોય છે. ઘરમાં દરેક જગ્યાએ તેને જોવે છે જેમ કે, તેના રૂમમાં, જમતી વખતે, ફરવા જતી વખતે, તેના કબાટ-તેના કપડા જયારે તેની સામે આવે ત્યારે તેની આંખનો દરિયોં છલ્કાય  છે, માં-બાપ સમાજથી છુપાવા માંગે છે પણ દીકરી એ તો હરખના સમાચાર છાપામાં આપી દીધા ત્યારે પોતાના દુ:ખની વાત કોને કરવી અને સમાજ પણ તેને ટેકો આપવાને બદલે તેને ટોકે છે કે દીકરી તો ચાલી ગઈ ને!, આ માં-બાપ દીકરીને તેની ખુશી ગણી સ્વીકારી લેશે તો પણ સમાજ કેહ્શે તમારી દીકરીની ભૂલ જ હતી તે ન કરાય, આ કરાય વગેરે. જયારે તેમને બે હળવાશ ભર્યા શબ્દોની જરુંર હતી ત્યારે સૌ એ બળતામાં ધી હોમ્યું પણ કોઈએ આગના ઠારી. અને કોઈ માં-બાપ તેના સબંધ તોડી નાખે તો પણ ઉઠમણું રાખી લોકોને કહી નથી શકતો કે આજ તમારે જે કઈ બોલવું હોય તે બોલો, પછી કઈ ન કેહતા. 

અહી વાત એ છે કે આપને હમેશા સમાજને જ ધ્યાનમાં લઇ છીએ. સમાજને ખરાબ ના લાગે માટે આ કરવું અને તે કરવું, ઉઠમણાંમાં આવનાર કેટલી વ્યક્તિને દુ:ખ હતું? પણ જો ન રાખી તો ખરાબ લાગે એટલે ઉઠમણું રાખવાનું. આપને આપના રીત-રીવાજો,પરંપરા વગર વિચારે નિભાવીએ છીએ, પણ શા માટે? પેહલાના જમાનામાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના ઘરની પુરુષ વ્યક્તિ મૂછ-દાઢી કાઢવી નાખે, મુંડન કરાવે તેનો કારણ એ હતું કે તે જમાનામાં મીડિયા આજ જેવું ઝડપી ન હતું કે,આજે  કોઈના મૃત્યના સમાચાર ગામ-બહારમાં ફોનથી આપી શકાય. વર્ષો પેહલા ગામમાં પણ દુર સુધી સંદેશ મોકલવામાં વાર લગતી એટલે સમયને સાચવી વિધિ કરવામાં આવતી અને ત્યારબાદ આ ગામજનો, અન્ય જયારે મળે ત્યારે તેમને ખ્યાલ આવે કે કઈ અણબનાવ બની ગયો છે અને તેમને ખ્યાલ આવે કે તેમના સબંધી હવે આ દુનિયામાં નથી રહ્યા. પણ આપને આ જમાનામાં આ વિધિ-પરંપરાનું પાલન કરી છીએ પરંતુ આજે માત્ર ૧ જ મિનટમાં દુનિયાના કોઈ પણ ખૂણે આવા સમાચાર પહોંચાડી શકાય છે ત્યારે આ વિધિ માત્ર ઔપચારિક છે. જેમ દીકરા/દીકરીના નિર્યણથી જે સમાચાર વાયુ વેગે ફેલાય જાય તે જ રીતે મૃત્યુના પણ ફેલાય જ જાય છે માટે નીતિ નિયમો અપનાવવા ખાતર નથી પરંતુ સમજીને અપનાવવા જોઈ. 

માનવી  કોઈ ખર્ચ કરવો હોય તો અનેક વિચાર કરે છે,માતા-પિતા વસ્તુ કરી, કુટુંબીને જમવાનું કેહવા ઈચ્છે છે પણ સંતાનોએ  ઘર લીધું ત્યારે માત્ર લોકોને કથામાં બોલવી પ્રસાદ આપી ગૃહપ્રવેશ કરેલ, કારણ વાસ્તુ કરીએ તો ઘણો ખર્ચ થાય, જમણ પણ થાય. સંતાનના ભણતરનો ખર્ચ,અન્ય ખર્ચ વગેરેને કારણે કે માં-બાપને જાત્રા ન કરાવી શકે, ઉપરાંત પોતાના ધંધા-નોકરીમાં વ્યસ્ત માં-બાપ માટે સમય ન હોય, પરંતુ તેમના મૃત્યુ બાદ આગ્રહ રાખે કે અસ્થી હરિદ્વારમાં જ પધરાવી છે અને પત્ની-દીકરા સાથે ક્રિયાકાંડ કરવા જશે, 4-5 દિવસ નોકરી-ધંધામાં રજા પણ રાખશે અને વર્ષી કરી કુટુંબ જમણ પણ કરશેમાં-પિતા જીવતા તેમને ગંગા દર્શન કરાવ્યા હોત તો? તમના જીવતા કુટુંબી વર્ષમાં એક વાર સાથે જમ્યા હોત તો? જીવતા જીવ બળ્યા અને ચિતાને આગ આપ્યા બાદ તેમના  જીવને ઠારવા પ્રયત્ન કરે, ધૂન-ભજન કરે, બીજું દર વર્ષે પિતૃને પાણી તર્પણ કરે. વડીલ જયારે પથારીવશ હતા ત્યારે તેમને એક ગ્લાસ પાણી પીવડાવતા-પીવડાવતા પણ ક્રોધ કરતા કે આ સેવા ક્યારે પૂરી થશે અને મૃત્યુબાદ વર્ષો-વર્ષ પાણી રેડવાનું ભૂલતા નથી.ત્યારે ડ ર લાગે છે કે નડશે  તો? પણ એ નથી વિચારતા કે જેમને જીવતા હેરાન નથી કર્યા, તમારું ભલું ઈચ્છ્યું છે  તે મૃત્યુબાદ શું હેરાન કરવાના?રીત-રીવાજોમાં  તરી જવાને બદલે સમજી  વિચારી તેનું આચરણ કરવું જોઈ.

Wednesday, January 9, 2013

હાય રે ગરીબી!












જાહેર રસ્તા પર આ રીતે કપડા સુકવેલા જોયા બાદ આ ગીત જરૂર યાદ આવી જાય.

રેહને કો ઘર નહિ, સોને કો બિસ્તર નહિ, અપના તો હૈ રખવાલા, અબ તક ઉસી ને હૈ ......................

Monday, November 26, 2012

Tobacco










Tobacco is dangerous for health.

Please, stop it.

& if you agree, share this.



















Monday, October 22, 2012

OMG





 
 Everyone like OMG, even they believes & go.......


                                

Then...
 
 Ha ha ha........

                                         ફીર  ભી દિલ હૈ હિન્દુસ્તાની....