Wednesday, December 17, 2014

BOSS IS ALWAYS RIGHT..

દીકરી: પાપા આજે ટીચરે 5 ટાઈમ homework આપેલ છે, કાલે પણ આવું જ કર્યું હતું.શા માટે આટલી બધી વાર? પાપ ટીચર કહે છે બેટા મને તારી પાસેથી ખૂબ જ વધારે expectation છે તું મેહનત કરીશ તો ચોક્કસ 1st આવીશ અને તને ગિફ્ટ પણ મળશે. અને પાપા weekly test હોય ત્યારે અમને ખૂબ જ પ્રેસર કરે છે અને 1 answer પણ ખોટો પડે તો બહુ જ ગુસે થાય છે.

શું દરેક વખતે 100% આવે તે જરૂરી છે? હમેશા 100% result કેવી રીતે આવે? એટલું ઓછું હોય તેમ project  પણ કરવાના એ પણ આપણે જ શોધવાના, શોધવામાં કોઈ હેલ્પ ન કરે પરંતુ શોધ્યા બાદ કઈ તો માર્ગદર્શન જરૂર આપે. પાપા daily આટ્લુ હોમવોર્ક શા માટે આપે છે? મને તમારી સાથે વાતો કરવાનો કે રમવાનો કે બીજી કોઈ activity કરવાનો સમય જ નથી મળતો. કોઈ વાર રજાના દિવસે બાહર જઈએ કે રમવા જેઈ તો પણ થોડીવારમાં ભણવા બેસવું પડે કારણ weekly test તેમજ project પૂરા કરવાના ટાર્ગેટ હોય અને હું તો હવે વસ્તુ સમજવાને બદલે ગોખી જ નાખું છું અને projectમાં તો કોપી-પેસ્ટ....થોડો સમય મળે તો maths/statistics માં પ્રેક્ટિસ પણ થાય પણ અહી તો બસ આવે તે ઉધાર અને જાય તે જમા તે જ ગોખ્યું છે. શું આ જ ભણતર છે?

પાપા: બેટા ભણવું તો પડે જ ને?અન્ય શાળામાં પણ આ જ રીતે ભણાવે છે તું એક તો નથી ને જેને આ તકલીફ પડી હોય? અને ભણવું તો પડશે જ ને??? આપણે ભલે 100% ન આવે પણ સારો સ્કોર તો મેળવવો જ પડશે  ને આગળ જતાં સારી સ્ટ્રીમ પસંદ કરવા તું સારા માર્કસ મેળવીશ તો જ એડમિસીન મળશે. પરંતુ તે મનોમન પોતાના વિચારોમાં બોલતા કે મારી પરિસ્થિતિ પણ એવી જે છે.

બોસ daily target આપે છે, રોજના 5 customer ને મળવાનું, ધંધો લાવવાનો, અને monthly 3/4 લૉગિન ડે તો હોય જ!!! જે દરમ્યાન વધારેમાં વધારે બીજનેસ આપવાનો. 5 આપે તો 10 ની માંગ અને 10 નાખી તો 12ની માંગ. અને બોસ હમેશા એમ જ કહે છે કે ‘ YOU CAN DO It…. Just need to push it’.  અરે!!!! આપણે એક જ આ સેકટરમાં  નથી, આપના જેવા અન્ય ઘણા salesmen છે  તે પણ marketing કરે જ છે ને??? અને Business પણ  લાવે છે. વાસ્તવમાં ગ્રાહકને કયા જરૂરિયાત હોય છે? બસ સબંધમાં થોડી ઘણી મદદ મળી જાય એટ્લે તકલીફ ન પડે. એડમીનમાં હોય કે સેલ્સમાં cross selling તો ખરું જ અને ન જ થાય તો  Kick Out. શું દરેક login day 100% output થઈ શકે?



ક્યારેક 80/85% તો હોય ને? અને અંતે કંટાળીને સગા-સબંધીને કહું કે અમારી કંપનીમાં આ product અન્ય કરતાં બેસ્ટ છે તો તે રાજી અને બોસ પણ રાજી. અને આમ, BOSS IS ALWAYS RIGHT.  Quality Business ને ધ્યાન જ ન આપી શકાય. પણ શું કરવું? પેટનો ખાડો પૂરવા કરવું જ પડે છે. ઘર ચલાવવા 100% નહીં પરંતુ આગળ આવવા (promotion/experience) માટે આ બધુ કરવું જ પડે છે. રાતના 10 વાગે પણ બોસનો ફોન રિસીવ કરવો જ પડે છે, પ્રસગ હોય કે બીમારી mobile must be pick up..રાતના 10/11 વાગ્યે પણ બીજા દિવસોના ટાર્ગેટ આપવામાં આવે છે. ભારત દેશ આઝાદ  છે પણ  વાઈટ  કોલર  workers ગુલામ બની ગયા છે, બોસ ઓફિસમાં અન્ય સ્ટાફની હાજરીમાં મનફાવે તે શબ્દો બોલે તો પણ તેની વિરુદ્ધ કઈ ન કેહવાય 



અન્યથા kick out & termination. કેહવાય છે ને કાગડા બધા કાળાં જ હોય છે ત્યારે ગુલામી કરવી જ પડે. ઘણાં વેપારી કેહતા હોય છે કે વાઈટ  કોલર જોબ સારી, પરંતુ તે લોકોને માનસિક તણાવ, થાક અનુભવાય તેવી જોબ હોય છે, વાજબી-ગેરવાજબી સૌ ને ખ્યાલ છે પણ ફૅમિલી માટે કરવું જ પડે. માર્કેટિંગ જોબ હોય કે એડમીન/ઓફિસવર્ક 100% પર્ફોમન્સની આશા હોય છે.બાળક અને પિતાની હાલત સરખી છે, બનેને પોતાના ટાર્ગેટ એચિવમેંટના ટાર્ગેટ છે અને આ પ્રેશરમાં કોઈ વ્યક્તિ suicide પણ કરી લે છે.

રેડીમેડ dress/suitનો વેપારી રોજ સારો વેપાર થાય અને વકરો મળે તેવી આશા રાખતો હોય છે પણ રોજ તેને દિવાળી જેવા તેહવારના દિવસોમાં જે વકરો થાય તેવી આશા ન રાખી શકે કારણ રોજ માણસો ખરીદી કરવા ન આવે, સમય પ્રમાણે જરૂરિયાત ઊભી થાય, તેવી જ રીતે હલવાઇ દશેરા/જ્ન્માસ્ટમી/દિવાળીના  દિવસે જે મીઠાઇના વકરાની અપેક્ષા કરતો હોય તેટલી અન્ય દિવસોમાં ન રાખી શકે કારણ રોજ કોઈ અનેક મીઠાઇ નથી આરોગવાના. આ જ વાત શાળામાં શિક્ષક અને અન્ય ક્ષેત્રમાં ઉપરિઆધિકારી સમજી જાય ત્યારે સારું પરિણામ આવે (quality education/quality business).

માત્ર પ્રાઇવેટ માં જ આ પ્રશ્નો નથી, સરકાર કંપનીમાં પણ ઉપરી અધિકારી પોતાની ઉતરાધિકારી ને ધાક ધમકી આપે છે, તેને પણ ટ્રાન્સફર આપી દે તેવા પણ કિસ્સા બનેલ છે. આમ,telecommunication, insurance, finance, banking or any other સરકારી નોકરી હોય કે ખાનગી BOSS IS ALWASY RIGHT.


પિતા અને દીકરીને જેમ દીકરીની માં પણ વિચારે છે કે અમોને પણ વડીલ, પતિ અને સંતાન દ્વારા ટાર્ગેટ  જાણે અજાણે આપવામાં આવે છે જેમ કે, દીકરી/દીકરાનો શાળામાં પ્રોજેકટ આપવાનો હોય તો તેમાં મદદ કરવી, તેમણે સમયસર શાળા/અન્ય ક્લાસીસમાં મોકલવા, નાસ્તા/ડ્રેસ તૈયાર રાખવા, પતિને પણ સવારના ઉઠાડવાથી લઈ ને આવવાના અને જવાના તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું, કોઈ વસ્તુ ભૂલાય નહીં તેની તકેદારી રાખવી, એટલું જ નહીં ઘરમાં વડીલના દરેક સમય સાચવવાના અને તેમાં પણ કોઈ પ્રસગ હોય ત્યારે ઘરકામ ને સાથે વ્યવહાર પણ અને જો કોઈ ચૂક આવે તો સાસુનો ગુસ્સો, તેમના ઓર્ડરનું પાલન તો કરવું જ રહ્યું કારણ BOSS IS ALWAYS RIGHT,બધાની દૈનિક દિનચર્યા સાચવવામાં સ્વ માટે તો કઈ અલગ કરવાનો ભાગ્યે જ સમય મળે કારણ પતિ/સંતાન/વડીલ દરેકની પરિસ્થિતીને અનુકૂળ પોતાને જ થવું પડે તો પણ કેહવાય માત્ર હાઉસવાઈફ. કાલ સુધી માં હોય તે સ્ત્રી સાસુમાં બનતા જાણે અજાણે વહુ સાથે પુત્રની અદેખાઈ થઈ જાય કે અન્ય કઈ..અને તે પોતાની પદવી પ્રમાણે મળેલ પદને ન્યાય આપવા મથે છે અને બોસ બની જાય છે એટલે  જે કહે તે કરવું જ રહયુ અને ન કરે તો અનેક પ્રશ્નો. એટ્લે જ BOSS IS ALWAYS RIGHT..

આમ, બાળક, સ્ત્રી, પુરુષ દરેકને બોસ છે અને BOSS IS ALWAYS RIGHT




Saturday, October 18, 2014

ગણેશોત્સવ-વાસ્તવમાં ભક્તિ કે ભક્તિનો આડંબ

શ્રી ગણેશાય નમ:

ગણપતિ આયો બાપા, ગણપતિ આયો,
રિદ્ધિ-સિદ્ધિ લાયો...

થોડા વર્ષો પેહલા ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્રમાં જ ઉજ્વવામાં આવતો અને તેની શરૂઆત ઉત્સવ તરીકે નહીં પરંતુ ભારતના લોક લાડીલા લોકમાન્ય તિલક દ્વારા ગણેશ ચતુર્થને દિવસે એક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને ચર્ચા-વિચારણાના ઉદેશથી આયોજન કરેલ. પરંતુ આજે તે ઉદેશ તો ભાગ્યે જ કોઈને ખ્યાલ છે અને તે માત્ર નવરાત્રિ, દિવાળી જેમ એક ઉત્સવ બની ગયેલ છે. આપના ગુજરાતમાં પણ 4/5 વર્ષથી ખૂબ ઉલ્લાસ અને મોજ શોખથી આ તહેવાર ઉજ્વવામાં આવે છે. 9 દિવસ ભગવાનના નામથી અનેક ફંકશન કરવામાં આવે જેમ કે, ડાયરો, દાંડિયા-રાસ, સત્યનારાયણજી ની કથા, ડાન્સ શો, વગેરે. વગેરે...સવાર-સાંજ બને સમય ભવ્ય આરતી આયોજન અને સંધ્યા આરતી સમયે પ્રસાદનું આયોજન. પ્રસાદ એટલે માત્ર લાડવા કે સાકર નહીં પરંતુ રાતે ભોજન પ્રસાદ એટ્લે કે પાણી-પૂરી, ચાપડી-ઊંધિયું, પાઉં-ભાજી, વગેરે.. અઅરે!!!! કોઈ પ્રસાદ લેવા ન આવી શકે અને ભકત હોય તેને નાખુશ ન કરાય એટ્લે પાર્સલ વ્યવસ્થા પણ ઉતમ રાખેલ હોય છે. ટુકમાં 9 દિવસ ગૃહિણીને રાત્રિ ભોજન બનાવવામાથી મુક્તિ.

વિસર્જન સમયે પણ ડી.જે. રાખવામા આવે છે. ત્યારે સવાલ થાય કે શું આ જ છે ભગવાનની આરાધના? કે પોતાના મોજ-શોખ પૂરા કરવાનું મધ્યમ???? 9 દિવસ માત્ર પુજા-પાઠ અને આરતી-પ્રસાદ દ્વારા ભગવાનની આરધના ન થાય? અને વિસર્જન શા માટે? કોઈ 10 લાખની તો કોઈ 15 લાખની મુર્તિ બનાવડાવે છે, તેની સારી રીતે સેવા કરે છે અને અંતે પાણીમાં વિસર્જન જ ને? આ બધી મૂડીથી કોઈ ગરીબને 9 દિવસ સવાર-સાંજ ભોજન કરાવ્યુ હોય તો? નારાત્રીના અંતે ઘરમાં પધરાવેલ ગરબા મંદિરમાં પધરાવી દેવામાં આવે છે ત્યારે કોઈ ડી.જે રાખવામા નથી આવતું.મંદિરમાથી થોડા દિવસમાં જ કોઈ નદીમાં તે ગરબાનું વિસર્જન કરવામાં આવે છે તો ગણેશદાદામાં આવું શા માટે નહીં? આ દિવસોમાં ઘણા સમાચાર જોવા મળે છે કે વિસર્જન દરમ્યાન નદીમાં 2/3 વ્યક્તિના મોત. શા માટે જાન જોખમમાં મૂકીને વિદાય આપો છો? શ્રવણ માસ પૂર્ણ થતાં જ SMS આવ્યા.. હું કૈલાશ પર્વત ઉપર આવી ગયેલ છું અને મારા પુત્રને મોકલું છું આવા SMS કરતાં લોકોને entertainment લાગે છે પણ તે ભગવાનની મજાક છે. 9 દિવસ આરતી કરનાર કે હાજરી પુરાવના ભાગ્યે જ કોઈને આરતી આવડી હશે પણ ભાવુક અને શ્રદ્ધાળુ પોતે જ હોય તેવું અચૂક દર્શાવે છે.

આ 9 દિવસોમાં સૌ એટલી પુજા કરે છે કે ભગવાન અચરજ અનુભવવા લાગે તેમાં કોઈ શક નથી. ઘરમાં, ઓફિસમાં,દુકાનમા સ્થાપન કરે છે પરંતુ જાહેરમાં તેનું અપમાન થાય છે તે કોઈને નજરે નથી આવતું. જાહેર રસ્તા ઉપર એટ્લે કે દીવાલ પર ગણેશજીના ફોટાવળી એક ટાઇલ્સ છે જે ખંડિત થયેલ છે તે કોઈને નજરે આવતી નથી. ટાઇલ્સને આપણે બદલાવી નહીં, વિસર્જિત ન કરીએ પણ અહી પુરુષો જાહેરમાં યુરીનલ કરતાં હોય છે જે અત્યંત શરમજનક છે. 9 દિવસ ગણપતિ દાદા, વિઘ્નહર્તાન મુર્તિની પુજા,ગીતગાન  અને અન્ય સમયે
પાનની પિચકારી, યુરીનલ વગેરે... જાહેર જનતાને વિનંતી કે તહેવાર આવે અને જાય પરંતુ સદાય તમારી સામે છે તેને અન્ય દિવસોમાં પણ પૂજનીય ગણો કારણ કે તે પણ મુર્તિ/ફોટો જ છે. ભગવાનનું અપમાન થાય તેવા ફોટા/ટાઇલ્સ જાહેરમાં ન લગાવવા જોઈએ અને જો લગાવો તો તેનું અપમાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ.



Tuesday, July 29, 2014

વિચારબિંદુ-૪

Oohhhhh!!! My Goooooooooooood!!!!
  
21st Century- Mobile 1st priority 


21st Century- Mobile 1st priority


I can't understand whether it should be proud or shame???


Now let me inform where our new generation take us & who will be responsible for that??????
Its only imagine here that baby inside play with cell but its also true when baby come in world parents 1st of all catch her picture send to their family & friends by different chatting platform & when baby cries instead of any other toys they give cell phone to him/her or play sound in it. We should not be adicated by such a communication instrument but should use as per its requirement. As per scientist its dangerous for health & we should use it as minimum as possible but we always do oppose & its our human nature. But let it use as minimum as possible.
  


Wednesday, July 16, 2014

ગરીબી- દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે


દીકરો મારો લાડકવાયો  ......
 
મોટા મોલ, હોટેલ અને રેસ્ટોરન્ટસ, થીયેટરમાં જો નજર ફેરવીએ તો સૌ સુખી-સમ્પન લાગે, કોઈ ગરીબી ન દેખાય. અમીર માં-બાપના સંતાનો એ.સી. શાળામાં ભણે છે, એ.સી. બસમાં શાળાએ જાય છે, ઘરમાં પણ એ. સી. છે છતાં બીમાર પડી જાય છે, માં-બાપ પોતાની દિન-ચર્યામાં વ્યસ્ત હોય અને ઘરમાં નોકરો તેમને બાળકનું ધ્યાન રાખતા હોય છે. બાળક જીદી, તોફાની હોય છે તેમને ગરીબી એટલે શું તેનો અંદાજ નથી.જયારે નાના ઝુપડા, મોટા લગ્નના હોલ, શહેરની ફૂટપાથ પર ગરીબી સામે લડાઈ લડતા લોકો જોવા મળે છે જે એક એક કોળિયા માટે મેહનત કરે છે. છોકરું રડતું હોય કે હસતું હોય, તડકા-છાયાંમાં ભટકતું હોય પણ તે સ્વસ્થ જોવા મળે છે. ઉપરોક્ત દ્રશ્યમાં માં-બાપ બાળકને કચરાપેટી સાથે ઘોડિયું બનાવી તેને જુલા જુલાવતા ધંધો કરે છે.શું ગંદકી, શું બદબૂ તેમને કઈ અસર જ નથી કરતુ। માં-બાપ કામ કરતા જાય છે અને બાળકને રમાડતા જાય છે.જાણે માં-બાપ કામ કરતા કરતા ગાતા હોય ‘દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે.....’ તમેના માટે પણ તેમનો દીકરો/દિકરીલાખોમાં એક જ છે. આવા દ્રશ્ય જોઈને સાચે જ આંખમાં આંસુ આવ્યા વગર ન રહે.

જોબ- શું તે સ્ત્રીની જરૂરિયાત /કેરિયર /ટાઈમપાસ ?

આપણો સમાજ નોકરી/વ્યવસાય કરતી સ્ત્રીને જુદી નજરોથી જ જોવે છે. કલ્પના ચાવલા જેવી વીરંગના અવકાશ સુધી પહોચી ગઈ છે પણ આપણા સમાજની વિચારસરણી ણ બદલી. સ્ત્રી નોકરી માટે ઇન્ટરવ્યું આપવા જાય ત્યારે સામાન્ય રીતે તેને સવાલ પૂછવામાં આવે છે what is the reason you want to do the job? ત્યારે તેને પણ સવાલ કરવાનું મન થાય છે કે આવો સવાલ શા માટે? શું પુરુષને આવો સવાલ કરવામાં આવે છે. જેમ તેની લાઈફ સાયકલમાં કમાવવું/જવાબદારીનું સ્ટેજ છે તેમ સ્ત્રીમાં કેમ નથી? શા માટે તેની લાઈફને મેરેજ પછી માત્ર ઘરની જવાબદારી સુધી જ મર્યાદિત ગણવામાં આવે છે. અમિતાબ બ્ચચન પાસે અઢળક સંપતિ છે, આવનારી અનેક પેઢી વગર મહેનત આરામથી જીવી શકે તેટલું ધન છે તેમ છતાં પણ ૭૦ વર્ષે કાર્યરત છે, એટલું જ નહિ પુત્ર અને પુત્રવધુ પણ નાના-મોટા ટી.વી. શો, ફિલ્મ, જાહેરાતમાં કામ કરે છે. તેને ત્યાં સંપતિનો અપાર ભંડાર છે જે ખૂટે એમ નથી તો પણ તે એક્ટીવ છે, કામ કરે છે અને પૈસા કમાય છે, શા માટે? તેને જરૂરિયાત છે? કેરિયર કે ટાઈમપાસ? કોઈને આવો સવાલ થાય છે?ના? કેમ?
૧) એક લેડીનો પતિ સરકારી પગારદાર છે અને ઊંચ હોદો ધરાવે છે અને તેણી સ્વ ખાનગી કંપનીમાં  સારા હોદા પર છે અને સારી આવક પણ છે.તે તેના કોઈ વ્યવહાર છેશરતચૂકથી પણ ભૂલતી નથી. ઘરમાં બાળકો અને કુટુંબ સાથે તાલમેળ રાખે છે, આ રીતે ઘરની અને બહારની બને જવાબદારી સારી રીતે નિભાવે ચેહ. ત્યારે સમાજના અવારનવાર લોકો બોલે છે શા માટે તું હેરાન થાય છે? શાંતિથી ઘરમાં રેહવામાં તને શું તકલીફ છે. ઘરમાં જ કોઈ એક્ટીવીટી કે આરામ કર. શું તે ૨૦/૨૧ ભણી છે તો તેના કોઈ aim નથી? જયારે કોઈ આવા શબ્દો બોલે છે ત્યારે મને ૧૭/૧૮મી સદી છે કે જ્યારે બાળકીને દ્દુધપીતી કરવામાં આવતી, ત્યારે બાળકને જીવતી મારવામાં આવતી અહી તેના વિચારને/કેરિયરને/મહત્વકાંક્ષાને મારવામાં આવે છે. શું તે દૂધપીતી બાળકી પર કરવામાં આવતા અત્યાચાર કરતા અલ્પ છે?
 
૨) એક લેડીનો પતિ સમાન્ય દુકાનમાં સામાન્ય પગારથી કર્મ કરે છે અને પોતે પણ નાની એવી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તે મેરેજ પેહલા પણ નોકરી કરતી અને મેરેજ પછી પણ નોકરી કરવા ઈચ્છતી જ હતી. પરંતુ સમાજ બોલે છે જરૂરિયાત છે તો બિચારી શું કરે? નોકરી કરવી જ પડે ને?  She can manage her home / child & many more then why social animal (people) speaking like this? તેને પણ બે ટંક રોટલાં રાંધવા સિવાય કઈ શીખવું છે, જાણવું છે, તો પછી શા માટે તેને આ રીતે જોવામાં આવે છે?
૩) એક કપલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને બનેના પગારધોરણ પણ સારા છે, ઊંચ હોદા પર સ્વમાનથી બને કામ કરે છે, નાનું પણ સુખી કુટુંબ છે, સંપૂર્ણ સાધન સંપતિ છે, નોકરો પણ છે. પત્નીની આવક તો માત્ર વધારની આવક જ છે ત્યારે સમાજ કહે છે અંતે તો time pass કરવા જ નોકરી કરે છે, ઘરમાં ઘરકામ ન કરવા પડે ને એટલે, ઘરમાં સાસુ સાથે રેહવું નહિ ને એટલે! શું સ્ત્રી નો કોઈ aim નથી. શું તેને હમેશા dependent જ રેહવાનું.
 
આપનણે  ત્યાં સારી ડીગ્રી ધરાવના સ્ત્રી પોતાની પ્રેક્ટીસ માટે સમય નથી ફાળવતી કારણ ઘરના કામમાંથી તેને સમય જ નથી મળતો. ડોક્ટર, વકીલ દીકરીઓ ઘર બેસી ઘરસંસાર ચલાવે છે પરંતુ  તેની અન્ય પણ ઈચ્છા હોય છે કે પ્રેક્ટીસ કરે પણ અનેક કારણોસર તે પોતાની ઓરીજીનલ ઓળખ ભૂલી ને નવી ઓળખ મેળવે છે પણ શું તે પોતાને ન્યાય કરે છે?
શું આપણો સમાજ એવું જ ઈચ્છે છે કે સ્ત્રી ભણે કે ના ભણે ૧૯-૨૦ વર્ષની થાય એટલે મેરેજ કરવાના, મેરેજ બાદ પતિ અને કુટુંબની નાનામાં નાની જરૂરિયાત ધ્યાનમાં રાખવાની., અને થોડા સમયમાં છોકરા પણ કરવાના. જો સંતાન ન કરે તો પણ અનેક સવાલ. કેમ કંઈ તકલીફ છે? શું વાર છે? વગેરે વગેરે...અરરર તે સવાલો પણ સ્ત્રીને જ થાય છે, પુરુષ ને નહિ. બાળક સ્ત્રીના ગર્ભમાંથી આવે છે પણ તે નિર્ણય બનેનો હોય છે તો આવા સવાલ શા માટે પુરુષને નથી પૂછતા? આજે ઘણા એવા કિસ્સા જોવા મળે  છે જેમાં લગ્નને ૧૫/૧૬ વર્ષ થઇ ગયા હોય, સંતાનો પણ ૧૧/૧૨ વર્ષના હોય ત્યારે પત્નીને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે, બાળકોનું પણ વિચાર આવતો નથી, પતિ-પત્ની કોઈનો પણ વાંક હોય પણ આટલા વર્ષે પણ પત્નીને છોડી ડે ત્યારે તે સ્ત્રી દિકરી શું કરે? માં-બાપને ત્યાં જઈ તેમનું દુ:ખ વધારે? પરંતુ જો તે કઈ નોકરી-ધંધો કરતી હશે તો તેને કોઈના પર આધારીત રેહવું નહિ પડે. અને આવા ડરથી જ સ્વનિર્ભર રેહવાની જરૂર નથી, સ્વ માટે પણ કઈ ને કઈ કરવું જ જોઈએ એવા વિચાર સાથે, સમાજની પરવા કર્યા વગર કાર્યરત રેહવું જ જોઈએ.
 

Friday, June 27, 2014

યે જો થોડે સે હૈ પૈસે ખર્ચ તુમપર કરું કૈસે.......


નાના-મોટા શહેરોમાં દિન-પ્રતીદિન ટ્રાફિક સમસ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે. સામાન્ય આજે દરેક ઘરમાં માંણસદીઠ એક વાહન જોવા મળે છે. દરેક વ્યક્તિ ભણવા જતી હોય કે નોકરી/ધંધા માટે વાહન પર જ જવાનું પસંદ કરે છે, કોઈ ચાલીને જવાનું પંસદ નહિ કરે. સાયકલ, સ્કૂટર કે ગાડી હોય જ છે અને જો ણ હોય તો ઓટો, બસ વગેરે...સૂરજદાદા ૪૦-૪૫ ડિગ્રી સાથે સાંજના ૬/૭ વાગ્યા સુધી પ્રકાશીત રહે છે. સામાન્ય પ્રજા બિનજરૂરી બહાર જવાનું દિવસભર ઠુંકરાવે છે, અમુક વર્ગ એ.સી. માં જ રહે છે ત્યારે રોજી-રોટી માટે નાના ગામમાંથી આ વયોવૃદ્ધ દંપતી બળદગાડામાં આ યુગમાં પણ વેપાર કરવા આવે છે. શહેરમાં આ બળદગાડું જોઈ બાળકો અચરજ અનુભવે છે. આ દંપતી વર્ષમાં જે-તે સિઝનને અનુરૂપ ફળ-ફળાદી લઇને પેટનો ખાડો ભરવા આવે છે. તાપ કે ટાઢ, પુર હોય કે અછત આ દંપતી  અચૂક ઘડીયાળના ડંકે વેપાર માટે નીકળી  જ જાય છે. આરામની જીન્દગી વિતાવવાનો સમય છે છતા પણ સંતાનોના ભાવી માટે, બે રુપિયા બચાવવા અને કમાવવા માટે દુર દુરના ગામમાંથી મોટા શહેરમાં આવે છે. દાદા દાદીને જોઈને ફિલ્મી ઢબે કેહતા હોય કે યે જો થોડે સે હૈ પૈસે ખર્ચ તુમ પર કરું કૈસે....
અને આજકાલના રમુજી ટીનેજરો તેમને જોઈ હસતા હસતા તેમની મજાકમાં કેહતા હોય છે કે દાદા-દાદી માટે ગીત ગાતા હશે ‘આજા મેરી ગાડી મેં બેઢજા, આજ મેરી ગાડી મેં બેઠજા, લોંગ ડ્રાઈવ જાયેગે, ઘુમેગે ફિરેંગે ઔર ક્યા??

Friday, March 28, 2014

વિચારબિંદુ-૩


થોડા સમય પેહલા એક શાળામાં જ્જ તરીકે જવાની તક મળી હતી. ત્યાં જુદા જુદા વર્ગ અનુસાર સુલેખન સ્પર્ધા, ગાયન સ્પર્ધા યોજાયેલ. અનેક બાળકોએ આ કોમ્પીટીશનમાં હિસ્સો લીધેલ હતો અને અત્યંત સુંદર રજૂઆત કરેલ, આવેલ તમામના દિલ જીતી લીધા હતા અને જ્જ મૂંઝવણમાં આવી ગયા કે ક્યાં બાળકને ઇનામ આપવું કે ન આપવું. પરંતુ ચર્ચા-વિચારણા બાદ ઇનામ આપવાનું શરુ થયુ, ૬ ધોરણમાં ભણતી વિધાર્થીને મેં ઇનામ આપી અભિનંદન અને આશિષ આપ્યા અને પૂછ્યું બેટા તારો બર્થ ડે ક્યારે આવે છે?She said my Birth Day is on ‘KISS DAY’. I asked what? Kiss Day? What is that? She smiled & said mam it’s on 13th Feb.  I said ok.

ત્યારબાદ ત્યાં હાજર તમામ વિદ્યાર્થીને પૂછ્યું બળકો તમને ખ્યાલ છે 26th January & 15th August? એક સાથે હોલમાંથી બાળકો બોલવા લાગ્યા કે ત્યારે અમારે શાળામાં રજા હોય છે એટલે અમને ખુબ મજા આવે છે. મારી પ્રશ્નોની હારમાળા ચાલુ જ હતી, તુરંત પૂછ્યું હવે એ જણાવો કે ભારત દેશમાં કયા ક્યાં તેહવાર ઉજવવામાં આવે છે અને તમે ક્યાં ઉજવો છો? ઘણાં વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા અને તે લગભગ સરખા જ હતા, જેમ કે, દિવાળી, રક્ષાબંધન, ધુળેટી, મક્ર્સંક્રાતિ વગેરે... પણ અમે લોકો દિવાળી અને અન્ય તેહ્વારોમાં ફરવા જ ચાલ્યા જાય છીએ અને રજા આવે એટલે આખો દિવસ ઊંઘ કરવાની મજા મજા કરવાની. Then I asked & how many other days you celebrate in year?  One of boy replied that mam that we celebrate friendship day, mother/father day, Christmas day, etc. but this is very special week & we enjoy on each day. I asked how? What is special in this week? He said Mam,

    7th Feb -Rose Day
  

     8th Feb –Propose Day  

    
 
9th Feb-Chocolate Day
 

 10th Feb-Hug Day

 

11th Feb-Promise Day

 
     
      12th Feb-Teddy Bear Day
 

   13th Feb-Kiss Day


     14th Feb-Valentine Day

 


I was just watching that boy who is very excited to celebrate these days. શાળામાં ફંકશન પૂરું થયા બાદ વારંવાર મન વિચરવા મજબુર કરતુ કે શું આ જ છે આપણી ભાવી જનરેશન? આપણો ભારત દેશ તહેવારોનો દેશ છે જેમાં દરેક ધર્મના લોકો પોતાના તેહવાર ઉજવાતા. તહેવારોનું મહત્વ દિવસે-દિવસે ઓછુ થતું જાચ છે, તેહવાર ઉજવવાને બદલે ભાર ફરવા જવાનું કે આરામ કરવાનું વધારે પસંદ કરે છે. આપણા તહેવારો જૂની પેઢી છે ત્યાં સુધી જ એવું લાગે છે. બાળપણથી જ તેમને અંગ્રજી  rhymes  & Prayers  શીખવામાં આવે છે, માતૃભાષામાં નામ લખતા પણ ન આવડતું હોય પણ અંગ્રજી ફટાફટ બોલી જતા બાળકોના માં-બાપ ગર્વ અનુભવતા હોય છે અને ત્યારે બાળકોને દોષ દેવો અર્થવિહીન છે. મારા મત મુજબ આપણે બાળકોને આપણા તેહવારો, આપણા દેશની પરંપરા/સંસ્કૃતિ વિષે પણ માહિતગાર કરવા જોઈ અને તેનું મહત્વ સમજવું જોઈએ. જો બાળકને jingle bell- jingle bell, & many others songs/rhymes/prayers  આવડતા  હોય પણ આપણું દેશભક્તિ ગીત ન આવડે તો તે શરમનક છે.