Showing posts with label અંધશ્રદ્ધા. Show all posts
Showing posts with label અંધશ્રદ્ધા. Show all posts

Monday, October 24, 2011

કાળી ચૌદશ- અંધશ્રદ્ધા

આજે ઘણા લોકોની બોલતા સાંભળ્યા છે કે અમે અંધશ્રદ્ધામાં નથી માનતા છતાં જાણે-અજાણે અમુક ક્રિયા-કાંડ કરે જ છે. આધુનિક જમાનામાં જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી એ દુનિયાને અનેક સંશોધન અને પ્રગતિ આપી છે છતાં માનવી અંધશ્રદ્ધામાં માને જ છે. જેમ કે ભગવાન,  ભુવા, જ્યોતિષમાં માને છે અને માનતા (ખરેખર માન્યતા શબ્દ છે ) માને છે, વિધિ કરાવે છે વગેરે..ખુશના દિવસો હોય કે દુખના, તહેવાર હોય કે સામાન્ય દિવસ પણ અંધશ્રદ્ધામાં માની  તે પ્રમાણે ક્રિયા કરે છે. દિવાળીના દિવસો નજીક આવે  છે ત્યારે માણસો પુષ્ય નક્ષત્રના દિવસે સોનું ખરીદે છે. આ દિવસે સોનીની દુકાનમાં લાઈન લાગે છે, મોંઘવારી પણ ઘણી છે છતાં આ દિવસે લાગશે કે મોંઘવારી જેવું કઈ છે જ નહિ. જેમ કરિયાણાની દુકાનમાં ભીડ હોય તેવી જ ભીડ સોને મહાજનની દુકાનમાં જોવા મળે છે. અરે.. સોનું લેવું છે ગમે ત્યારે લો સારું જ હોય કારણ કે તે એક પ્રકારનું રોકાણ છે, અને જરૂરિયાત, શક્તિ પ્રમાણે ગમે તે સમયે રોકાણ કરાય તેમાં ગ્રહ શા માટે? 
કાળી ચૌદશના દિવસે ગૃહણીઓ રાતના સમયે ઘરનો કકળાટ દુર કરવા ચાર રસ્તા પર પાણીનું કુંડાળું કરી ભજીયા મુકે છે. અરે! એમ ભજીયા મુકવાથી કકળાટ દુર થાય? તો એક વાર મુક્યા બાદ દર વર્ષે કેમ મુકવો પડે છે? અને આ દિવસે જ કેમ? અને ભજીયા જ શા માટે? આ કેવી અંધશ્રદ્ધા છે? અન્ન રસ્તા પર વેરો છે તે કેટ કેટલાના પગે અડશે, અને કેટલા વાહન તેના પરથી પસાર થશે. અહી કકળાટ દુર કરવા લોકો રસ્તા પર ભજીયા મુકે એટલે રસ્તા સૌ ટકા ખરાબ થવાના અને જો ભૂલથી પણ તેના પર પગ મુકાય ગયો તો પગ બગડશે અને કકળાટ કરવાના જ ને? ઉપરાંત બાળકો આ દિવસોમાં ફટાકડા પણ ફોડતા હોય તેનો કચરો વગેરે પણ અન્ન પર જમા થશે અને તે જ અન્ન ગાય આરોગશે. ગરીબ માણસોને બે ટંક પુરતું અન્ન મળતું નથી અને આ રીતે તેની નજર સામે ઘણા આવી વિધિ કરતા હોય છે ત્યારે આ ગરીબ બિન્દાસ ભજીયા લઇ ને ખાય છે. આપણે શા માટે આપના હાથે જ ગરીબના હાથમાં એક ડીશ ભજીયા ન મૂકી? આપણે જો આ માણસોને પ્રેમ ન કરી શકીએ, તો આપણે ઈશ્વર ને કેવી રીતે ચાહવાના જેને જોઈ પણ નથી શકતા ? અને તેહવારના દિવસોમાં તેમના આશીર્વાદ પણ મળશે. મોંઘવારીમાં મોંઘા તેલ બાળી નાખવાથી શું થશે? અને એવું પણ માનવામાં આવે છે કે જેટલું તેલ બાળો તેટલો કકળાટ તળે.

આ ઉપરાંત તે દિવસે રાતે ભૂત-પ્રેત સ્મશાનમાં અન્ન માટે આવે છે તેવી માન્યતા પણ છે અને તે દિવસે રાતે તાંત્રિક વિધિ પણ કરવામાં આવે છે. નાના-મોટા શેહરના લોકો પણ આવું માને છે. એક એવી પણ પરંપરા છે કે હનુમાનજીના મંદિરે તેમને તેલ ચઢાવવામાં આવે છે અને તેલના દીવાની મેશ પાડવામાં આવે છે જે આંખમાં આંજવાથી  આંખ સારી રહે છે તેમ પૂર્વજો માનતા પણ આધુનિક યુગમાં ડોક્ટર તેના વિરોધી છે અને મેશ ના આંજવી તેવી સલાહ આપે છે.

કકળાટ દુર કરવા એકબીજાને ઘરમાં જ આદર અને માન આપો, મીઠા શબ્દો બોલો, વાણીને કાબુમાં રાખવી, કડવા વેણ ન બોલી કકળાટ દુર કરવો જોઈએ. સામાન્ય રીતે વાણીને સંયમમાં રાખી એટલે કડવાશ ચાલી જશે. 

Thursday, September 29, 2011

નવરાત્રિ

નવરાત્રી એટલે આદ્ય-શક્તિની આરાધના માટેના નવ દિવસો. જે દરમ્યાન શ્રદ્ધાળુઓ આદ્ય-શક્તિની આરાધના-ઉપવાસ કરીને, માતાજીના ગરબા ગાયને, અનુષ્ટાન કરે છે. એટલે કે નવરાત્રી એક શક્તિની ઉપાસનાનું પરંપરાગત પર્વ છે. નવ દિવસો સામાન્ય રીતે કુમારિકાઓ ગરબે ઘૂમે છે. શક્તિ એટલે કે માતાજીના ગરબા-રાસ ગાય છે. નવ દિવસ કુમારિકાઓ રાસ લે છે, તેમના વડીલ ગરબી મંડળની બાળાઓને રાસ લેતા નિહાળીને આનંદ અનુભવે છે. રાત્રીના મોડેથી નિયત સમય ગરબી લેતી બાળાઓ માતાજીની આરતી કરે છે અને અંતે દાની રહેલ સર્વે પ્રસાદી મેળવીને નોરતાના દિવસોમાં ભાગ લીધાનો સંતોષ માની છુટા પડે છે. 


આપણા દેશમાં બધા દેવ-દેવીને સન્માનવામાં આવે છે. દેવીને એક શક્તિનું સ્વરૂપ સમજવામાં આવે છે. અંતે તો શક્તિ-દેવી એક માં જ છે.માં નું સન્માન કરવું સનાતન ધર્મના પાયામાં છે. દરેક ધર્મોના કુટુંબમાં શાખ-અટક્વાર એક કુળદેવી હોય છે અને પ્રસોગોપાત કુળદેવીને નૈવૈધ્ય ધરતા હોય છે. આ દેવીઓએ જુદા-જુદા સમયે જુદા-જુદા દૈત્યો-દાનવો અને અસુરોને નાશ કર્યાની વાર્તાઓ કે દંત કથાઓ દેવીના નામ સાથે સંકળાયેલ છે. આમ, દેવી- શક્તિ આપણું રક્ષણ  કરે છે માટે આપણે તેને ભજીએ છીએ , તેના દિવસો નવરાત્રી ઉજવીએ છીએ. આ દેવીમાં શક્તિનું અનુષ્ઠાન કરીને પાવન થવા પ્રયત્ન કરીએ છીએ. 

નવરાત્રી એટલે માં ભગવતીની આરાધનાના નવ દિવસોનો સમૂહ. નવરાત્રીમાં કુમાંરીકાના નિર્દોષ રાસનું મહત્વ છે, ઘણી જગ્યાએ નવરાત્રીમાં ફક્ત પુરુષો જ ચોક્કસ વસ્ત્રો પેહરીને માતાજીના ગુણગાન ગાય છે,કોઈ જગ્યાએ દેવી પૂજકો માતાજીના ડાકલા વગાડીને-ધૂણીને નવરાત્રી મનાવે છે. આપણા દેશમાં અનેક દેવ-દેવીના નામ પ્રચલિત છે. જેની શ્રદ્ધાળુઓ ઉપાસના કરે છે. પરંતુ આ દેવીના નામને પોંરાણીક આધાર મળતો નથી. કેટલીક દેવીના નામ દેશવ્યાપી છે તો કેટલાક નામ પ્રદેશ, જીલ્લા કે તાલુકા કક્ષાના છે. જેમ કે, સંતોશીમાંનું નામ વેદ-પુરાને આધારે નથી, તે એક કલ્પનાની દેવી છે. તેમ છતાં તેમના વ્રત-નિયમો કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. આપણો દેશ પરંપરાનો દેશ છે. જેમાં વિવિધ તેહવારો તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. ગણપતિ ઉત્સવ ફક્ત પરમ્પરાગત ઉત્સવ છે, દેશના આઝાદી સંગ્રામ સમયે દેશપ્રેમના ઉમંગ માટે સભા-સરઘસ પર બંધી હતી અને એટલે સ્વ. બાલગંગાધર તિલકે ગણપતિ ઉત્સવની મહારાષ્ટ્રમાં શરૂઆત કરી. તેની ધર્મસભામાં પ્રવચન કર્યા. આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ખુબ જ ઉમંગથી ઉજવાય છે.પરંતુ આજે દરેક ઉત્સવ કે ઉજવણીમાં પરંપરાને બાજુમાં મુકવામાં આવી રહ્યો છે. બીજા શબ્દોમાં નવરાત્રી ઉત્સવને સમયની અસરે નવો રંગ લાગ્યો છે. નિર્દોષ બાળાઓના રાસનું સ્થાન અર્વાચીન રાસે લીધું છે જેમાં ભક્તિનો અંશ માત્ર નથી. ફક્ત મનોરંજન, પ્રદુષણનો ફેલાવો છે, પૈસાની બરબાદી અને અંગ-પ્રદર્શન વગેરે છે. ઘણીવાર આ સુધારાથી સમાજની વિકૃતિને મદદ મળે છે. આજની નવરાત્રી ઉત્સવ અર્ચના- આરાધનાનું પર્વ મટીને ફિલ્મી રાગડા, અવાજનું પ્રદુષણ અને મોડે સુધી જાગીને ખાવાપીવાની ઉજવણી કરવાનો સમય હોવાનું માની શકાય. નવરાત્રીમાં ગવાતા ગરબામાં પણ સમાજની પ્રવતમાન સમસ્યાના દર્શન થતા હોય છે. આઝાદીના સમયમાં 'ભારતમાતા' ના રાસ થતા. ગાંધીના ગુણાનુવાદ રાસમાં જોવા મળતા. જેમ કે. રેંટીયે લેજો બાપુજીનું નામ, .. વગેરેને આધારે કુચ-કદમના પણ રાસ થતા. પરંતુ આધુનિક સમયમાં ટી.વી.,મોબાઈલની અસર નીચે આધુનિક વસ્ત્રો, ચણીયા-ચોળી વગેરે પેહરીને બહેન-દીકરીઓ અર્વાચીન રાસ રમે છે. ડિસ્કો અને ડી. જે. ને સહારે નાચે છે. જેમાં ગરબો અને માતાજીનું ધાર્મિક મહત્વ મહદ અંશે મામુલી છે.

શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી તેના મૂળ સ્વરૂપને ભૂલીને મહદ અંશે મનોરંજનની રાત્રીમાં સમુહમાં પરિવર્તન થયાનું માની શકાય.

નવરાત્રી મહોત્સવ પેહલા ચોમાસાની ઋતુ આવતી હોય અને ભાદરવાનો આકરો તડકો જે બીમારી લાવે છે તેના રક્ષણ માટે રાસ-અંગ કસરત, દીવા-ધૂપથી જીવાત નાશ પામે, શરીશ્રુપો જમીનમાં પાછા જાય અને દીકરી રાસ-ગરબા ગાય તેથી ગાળા શુદ્ધ થાય. આમ, નવરાત્રી એક આરોગ્યમય દિવસોનો સમૂહ ગણવામાં આવે તો પણ સ્વીકારી શકાય. ઉપરાંત આપણો દેશ ખેતી પ્રધાન છે અને આ સમયગાળા દરમ્યાન ખેતરની ઉપજ પાકવાની તૈયારીમાં હોય ત્યારે સર્જન અને વિસર્જનના પ્રતિક સ્વરૂપે દેવી-શક્તિનું અનુષ્ઠાન કરીને તેના ચરણોમાં ખેત-ઉપજ ધરવાની પ્રથા પણ હતી.

Sunday, September 25, 2011

શ્રાદ્ધ

શ્રદ્ધાથી કરવામાં આવે તેનું નામ શ્રાધ. આપના સ્વર્ગસ્થ વડીલના સન્માન અને ઓળખ માટે કરવામાં આવતી વિધિ એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ કર્મથી આપના વડીલ કોણ હતા, તેઓ ક્યાં દિવસે અવસાન પામ્યા તેની ચર્ચા થાય છે. એટલે તેમનું  ગુણાનુવાદ  થવું જોઈએ અને તેમની યાદમાં કુટુંબ/બ્રાહ્મણ જમણ થાય છે. જૂની પેઢીના કુટુંબના બ્રાહ્મણ ગોર તેમના યજમાનોના કુટુંબની સારણી (આંબો) રાખતા તેથી યજમાને તેમની અગાઉની સાત પેઢીની માહિતી મળતી. આ પદ્ધતિ લુપ્ત થઇ જાય છે, પિતાનું નામ ટૂંકમાં લખવાની આદત પડી છે ત્યારે શ્રાદ્ધનો અર્થ રેહતો નથી. શ્રાદ્ધ અત્યારે નિયત દિવસે પિતૃ જેવું બનતું જાય છે. આ સમય મૃતકના નામ-કામ-પ્રગતિ-આબરુની ચર્ચા થતી, જે હવે જોવા નથી મળતું. જમવા આવેલ સૌ કોઈને મૃતકના પિતૃના નામની જાણ હોતી નથી, ફક્ત જમણવાર થાય છે ત્યારે બિચારો કાગડો તમારા પિતૃનું નામ યાદ રાખી છાપરા ઉપર ઉડાડેલ ખીર-દુધના લોન્દાને પિતૃ પાસે પહોચાડવાની કામગીરી કરશે. 

મૃતકને ૩ વર્ષ થાય ત્યારે પિતદાન-સરવણી કરીને તેને શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે અને ત્યારથી શ્રાદ્ધ કરવામાં આવે છે. પિંડદાન બનાવેલ દરેક પિંડ મૃતકના શરીરના ૧-૧ અંગના પ્રતિક સમાન  છે.યજુર્વેદ પ્રમાણે જીવાત્માનો પુનઃજનમ થાય છે તેના આધારે પિંડદાન થાય છે. આપનો સમાજ પુરુષ પ્રધાન હોયને પિતૃ એટલે પિતામહ તેવી ધારણા છે. પરંતુ સરવણી વખતે પિતાના પક્ષમાં પાંચ પિતામહ: અને માતૃપક્ષના પાંચ માતૃમાહને નામથી અંજલી આપવામાં આવે છે એટલું જ નહિ તે સમયે અવશાન પામેલ  પાડોશી તેમજ સ્વર્ગસ્થ મિત્રોને પણ અંજલી આપવામાં આવે છે. પિતામહ અને માતામાહના નામ યાદ ન હોય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ગંગા, જમના, સરસ્વતી બોલીને અંજલી આપવામાં આવે છે. શ્રાદ્ધમાં પિતૃને પાણી પીવડાવવાની પરંપરા છે તેની પાછળ  આ ક્રિયા ચાલુ કરનારનો ચોક્કસ હેતુ હશે જ. આ દિવસોમાં પીપળામાં પિતૃ આવીને આવી વસે તે તાર્કિક નથી. પરંતુ વર્ષ એકાદવાર પીપળાને પાણી પાયને વનસ્પતિ પ્રેમ જાળવવાના આશય માની શક્ય અને આ દિવસોમાં પીપળામાંથી નીકળતા કિરણો રજમાંથી આપના આરોગ્યનું રક્ષણ થાય છે. આપનો દેશ ખેતી પ્રધાન છે, ચોમાસાના દિવસોમાં ખેતી, વાવણી, નિંદામણ જેવી મજુરી કરીને શ્રમ થયો હોય છે અને તેની જે શારીરિક પોષણની ઉણપ ઉભી થાય છે તેની પુષ્ટિ માટે શ્રાદ્ધના દિવસોમાં પિતૃને યાદ કરીને સ્વાદિષ્ટ મીઠાઈ,લાડુ-ખીર, બાસુંદી જમાડવામાં આવે છે. જેથી મહેનત કરી માણસની પોષણની ખામી દુર થાય છે. આપને દરેકવાર તેહવાર કે ધાર્મિક પરંપરાગત ઉજવણીમાં આરોગ્યનો હેતુ પણ સમાયેલ  હોવાનું ગણી શકાય. પરંતુ અત્યારે આ બધું માત્ર એક ફોર્માલીટી જેવું થઇ ગયું છે. કોઈ પરાણે કરે છે તો કોઈ ડરથી...

શ્રાદ્ધપક્ષમાં પોતાના પૂર્વજોની તિથી પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે પરંતુ મા-બાપને, પિતૃને શા માટે શ્રાદ્ધના દિવસોમાં જ યાદ કરવા?તેમને સાચા દિલથી જ યાદ કરવા  હોય તો ગમે તે દિવસે શ્રાદ્ધ કરી શકાય. તે ઉપરાંત દર ૨-૩ મહિને, અમુક તિથી-વાર પ્રમાણે પણ ભેગા થઇ તેમની સ્તુતી કરી શકાય. આપણે ત્યાં શ્રાદ્ધની વિધીને બદલે ભોજનને જ મહત્વ આપવામાં આવે છે અને આજકાલ તો ફેશન છે કે શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ અને સબંધીને રેસ્ટોરન્ટમા જ જમાડી દેવાના! સમયની મારા મારી છે, ઘરે કંકાશ અને કામની ચિંતા છે એટલે આ બધું ચાલે. (બ્રાહ્મણને પણ હવે લાડવા ને બદલે બીજી મીઠાઈ ભાવે છે). જેમ બર્થડેમા બહાર જમવા ભેગા થાય એમ જ બધા અહી ભેગા થાય અને છૂટા પડે, પિતૃને ભૂલથી યાદ કરે. અરે હા, આ શ્રાદ્ધમા પણ સગવડીયો ધરમ છે, પિતૃની તિથી યાદ ન હોય તો અમાવસ્યાને દિવસે શ્રાદ્ધ કરી શકાય. આ તે કેવું? શ્રાદ્ધ છે પણ તિથી યાદ નથી! કોઈ કુટુંબ/વ્યક્તિ હમેશા મુશ્કેલીમાં જ રેહતો હોય, દુખ અવારનવાર આવતા હોય ત્યારે કહે પિતૃ નડતા હશે, એટલે વિધિ કરાવી લો,ઘણા આવી વિધિ કરાવે છે અને બોલતા હોય છે કે જો પિતૃ નડતા હશે તો હમણાં આવશે, તો કોઈ કેહતા હોય છે કે પિતૃ નડતા હતાને એટલે વિધિ કરાવી. જીવતા સાચવ્યા નહિ, ત્યારે નડતર ને કળતર ગણાતા અને હવે સુખી નથી, પ્રગતિ નથી થતી ત્યારે તેમાં પણ દોષ પિતૃનો?અરે પિતૃ એટલે આપના વડીલ અને કોઈ દિવસ મા-બાપ અહિત ઈચ્છે?માં-બાપને તેમની હયાતીમાં સુખ-ચેન આપીએ નહિ અને તેમના અવશાન બાદ પિતૃ નડે છે તેમ કેહવું એટલે અવશાન પામ્યા બાદ પણ માતા-પિતા, વડીલો સામે ફરિયાદ જ કેહવાય.જીવતા જ તેમને સાચવ્યા હોય તો આવો પ્રશ્ન ન આવે. એ તો જે સંતાને તેમને તરછોડ્યા હોય તેમને આશીર્વાદ આપે છે કે તારા સંતાન તને સાચવે, અમારા જેવું ના થાય. પોત્ર/પોત્રીની સુખ-સમૃધી માટે પણ પ્રાથના કરતા હોય છે. ફરિયાદ એ કર્મકાંડીની વ્યવસાયિક આવડત છે. અને પેહલા ભૂલ કરો અને પછી માફી માંગવાની આ કેવી પ્રથા? જીવતી મા ને તરછોડે છે અને તેની જ હાજરીમાં બાપનું શ્રાદ્ધ કરે છે કે તમે કઈ હેરાન થતા હોય તો કહો, અમે વિધિ કરી તમને મુક્ત કરી, તમારી ઈચ્છા પૂરી કરી અને જો બાપ કહે કે તારી મા ને સારી રીતે સાચવજે તો શાયદ કેહશે અમે તેની પાછળ પણ આ શ્રાદ્ધની વિધિ કરી મુક્ત કરી દેશું અને અમે પણ મુક્ત થશું તમે તેની ચિંતા ન કરો. સામાન્ય રીતે જો કોઈના ભાઈ-બહેન, દીકરો-દીકરી કે અન્ય કોઈ પોતાનાથી કોઈ કારણસર એટલે કે લગ્ન થવાથી, ભણવા માટે, નોકરી માટે વગેરે,, તો તેમની ગેરહાજરીમાં સામાન્ય રીતે તેમને ભાવતી જમવાની વસ્તુ બનવાનું ટાળવામાં આવે, મા-બાપ કહે તેના વગર ગળે પણ ઉતરતું નથી, તેને બહુ જ ભાવે, અત્યારે ત્યાં શું ખાતા હશે? અહી જેવું તો ન જ થાય ને વગેરે...અને શ્રાદ્ધમાં ને મરણ પાછળ થતા જમાનમાં તેમની ભાવતી વસ્તુ બનાવવામાં આવે અને ગામ જમણ પણ થાય! આ દિવસે કાગવાસ કરવામાં આવે છે એટલે કે કાગડાને વાસ નાખવામાં આવે છે, કહે છે પિતૃ આવીને લઇ જાય છે. પિતૃ કાગના સ્વરૂપમાં આવે છે વગેરે.. સૌ પ્રથમ જો તે આપના પિતૃ હોય તો તે ચોરી છુપીથી કેમ આવે? અને આપણે તેને અગાસી પર કે મેદાનમાં વાસ નાખી દઈ? અરે કાગડો તો ગમે ત્યારે આવે ત્યાં સુધી વાસ-ખોરાક ખુલ્લો રહે,મતલબ પિતૃને ધૂળ-ધૂપથી ચડેલો પ્રસાદ આપવાનો! અને શબ્દો પણ સાંભળો..કાગને વાસ આપવાનો છે/આપવાનો બાકી છે તેને બદલે કાગને વાસ નાખવાનો છે/નાખવાનો બાકી છે/નખાઈ ગયો. અરરરર. આવા શબ્દો પિતૃ માટે!!!!!  સામાન્ય જનતા એવું માને કે સારા કામ આ દિવસોમા ન કરાય. શા માટે? કોઈને મકાનનો દસ્તાવેજ કરવો હોય, વાહન/સોનું લેવું હોય, સંતાનના સગાઇ-સગપણ કરવા હોય તો આ દિવસો ટાલે ળે છે; પરંતુ આ પિતૃના દિવસો ગણાય અને આ દિવસોમા જયારે તેમને યાદ કરતા હોય ત્યારે કોઈ સારું કામ કરી તો તે ખુશ થાય, તેમના આશીર્વાદ મળે તો પછી આ દિવસોને ખરાબ કેમ ગણવામાં આવે છે? 

પણ કાગડા ખરેખર ખુશ થતા હશે કે આ ગોલમાલ જમાનામાં પણ ક્યારેક તો ક્યારેક લોકો આપણને યાદ કરે છે, એકબીજાને જોઈને બોલવા લાગે આ લોકો આપણને  ખીર-રોટલી/પૂરી ખવડાવે છે. બધા કાગડા ભેગા થઈને કેહતા હશે કે થોડા દિવસ તો આપણને સારું સારું જમણ મળશે, so let’s party. કાયમી દિવસોમાં તો આપણને બોલતા સાંભળી જાય અને તેમાં પણ વહેલી સવારે તો ક્રોધ કરે, બોલે સવાર-સવારમાં આ કાગડો કાં-કાં કરવા લાગ્યો છે જરૂર આજે મહેમાન આવશે, અત્યારથી ટેન્શન આવી ગયું (આ જમાનામાં મહેમાન કોઈને ગમતા નથી ને) અથવા સવારથી જ બહાર જવાનો પ્રોગ્રામ બનાવી લે જેને લીધે મહેમાનને પાછુ જવું પડે. & at the end of party might be they will say- Many many happy returns of the day. (બાર બાર એ દિન આયે,બાર બાર દિલ એ ગયે તુમ મરો હજારો બાર.. એ મેરી આરુઝુ – Happy Death To you, Happy Death to You…) & & & Happy bhadarvi ekam/bij/trij. Amas. See you next year. Miss u. 

સમાપનમાં એટલું જ કહી શકાય કે શ્રાદ્ધમાં શ્રદ્ધા છે.

Wednesday, August 10, 2011

વ્રત શ્રદ્ધા-અંધશ્રદ્ધા


આપને આમ તો આપની જાતને આદુનિક માનીએ, પરંતુ આપને આપના જુના રીત-રીવાજો, પરંપરા પકડીને જ બેસી છીએ. ગુજરાતમાં ને તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં હજુ ઘણા પરંપરાને જડ રીતે માને છે. તેઓ બીમાર પડે એટલે ડોક્ટરને બદલે ભુવા પાસે પેહલા જાય છે, દેશી દવાને બદલે દોરા-ધાગામાં વધારે માને છે. ઘણી વખત વિચાર આવે કે શું આપને ૨૧મી સદીમાં જ જીવી છીએને? સ્ત્રીઓ વ્રત પણ કરે રાખે છે, તેનું મહત્વ સમજે કે ન સમજે વ્રત કરે અને કરાવડાવે. અસાઢ-શ્રાવણ મહિનો એટલે  એટલે સ્ત્રી માટે વ્રતનો મહિનો. ૧૮-૧૯ વયની છોકરી થાય એટલે તે જયા પાર્વતીનું વ્રત કરે, તે પણ ૧/૨ વર્ષ નહિ પણ ૫ વર્ષ કે તેનાથી પણ વધુ કરી શકે અને આ વ્રત સાસરે ગયા પછી જ ઉજવી શકાય!!!!!! એટલે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી વ્રત કરે રાખવાના. કોઈએ આ વ્રત લીધું હોય અને તેના લગ્ન મોડા લખાયા હોય તો એટલે કે ૩૦/૩૧ વયે તેના લગ્ન થાય તો ત્યાં સુધી તેને આ વ્રત કરવાનું. કેહવાય છે કે આ વ્રત સારો પતિ મળે તેના માટે કરાય છે, જેને નથી કર્યા તેને શું સારો પતિ નથી મળતો? અને કરે છે તે બધાને શું સારો પતિ મળે છે? તો પછી શા માટે આ વ્રત? અને વ્રત કેમ છોકરા નથી કરતા?શું તે આવું નથી માનતા? છોકરીઓ સારી જ હોય એટલે પુરુષને માટે આ વ્રત નથી? છોકરા સારા મળવા બહુ મુસ્કેલ છે એટલા માટે આ વ્રત સ્ત્રી કરે છે? અરે! જે છોકરી લગ્ન પેહલા આ વ્રત નથી કરતી તેને ઘણા સસરાવાળા આ વ્રત લગ્ન પછી લેવડાવે છે. છોકરો સારો મળે પણ કુટૂબ સારું મળે તેના માટે શું કરવું? એવા ઘણા કિસ્સા છે જેમાં સ્ત્રીએ જયા પ્રવાતીનું વ્રત કરેલું હોય અને તેને સારો પતિ ન મળ્યો હોય (કમાતો ન હોય, દારૂડિયો હોય વગેરે) અને ઘણી સ્ત્રી એવી છે જેમને આવા વ્રત નથી કર્યાં પણ સારો પતિ મળ્યો છે જે તેને સમજે છે, ચાહે છે.૮-૧૦ વયની છોકરીઓ મોરાવ્રત કરે, મોરૂખાયને જ પાંચ દિવસ રેહવાનું. પૂજા કરવા જાય ને જાગરણ કરે. જાગરણમાં જાગરણ કરવાવાળા કરતા ઉજાગરા કરવાવાળાની સંખ્યા વધારે હોય. 

આ ઉપરાંત એવરત-જીવરત નું વ્રત, નાગપાંચમ, બોળચોથ, સીતલા સાતમ વગેરે, વગેરે, કોઈ વ્રતમાં મોરું ખાવાનું તો કોઈ માં ઠંડુ ખાવાનું, કોઈમાં ફરાર જ કરવાનું તો કોઈમાં ચપ્પુથી સુધારેલું નહિ ખાવાનું. આ બધા વ્રતનો મહત્વ જે હોય તે પણ શા માટે સ્ત્રીને જ કરવાના?આપને ત્યાં વીરપસલી કરવામાં આવે છે તેમાં ભાઈ તેની બહેનને જમવા બોલાવે છે અને કોઈ ભેટ-સોગાદ આપે છે, અને ભાભી તેની  નનદને હળદરમાં બોલી સાત ગાઢવાળો દોરો બાંધે. પણ જ્યાં સુધી આ દોરો ન જમાડાય ત્યાં સુધી ભાભીએ ભૂખ્યું રેહવાનું(અલબત હવે ઘણા લોકો ફરારી નાસ્તો કરે છે). ભાઈ-બહેનનો પ્રસંગ, નામ ભાઈનું અને કરવાનું સ્ત્રીએ? શા માટે પુરુષ પણ આ રીતે વ્રત ના કરે? સાતમને દિવસે કહે ઘરમાં તવા પર લોઢી-તાવડી ન મુકાય એટલે આગલે દિવસે જ રસોઈ બનાવી લે, પેલા ફરસાણનો ધંધો છે તે શું કર? તે તો મુકવાના જ છે, ઉપરાંત ઘરના પુરુષ પણ બહાર ને ઘરમાં ગરમ ખાઈ શકે, માત્ર સ્ત્રી નહિ?શા માટે આવું? કોઈ આવા રિવાજને શ્રધાથી માને  છે તો કોઈ આને અંધ્શ્રાધા કહે છે. કોઈ આ વ્રત પરાણે કરે છે, પણ પરાણે પ્રીત બંધાય? ઘણી સ્ત્રી વૃદ્ધ થાય ત્યારે બોલતી હોય છે કે હવે મારાથી આ વ્રત નથી થતા હો,એટલે મારી વહુ જ કરે છે. હવે ન કરો તો ચાલે અને પેહલા ન કરો તો ન ચાલે? આ તો સગવડીયો ધરમ થયો.વહુને આ કરવું નથી ગમતું, તેનાથી પણ ભૂખ્યું નથી રેહ્વવાતું, છતાં તેને કરવાનું. શું આને રીવાજ કેહવાય? માન્યતા કેહવાય? શ્રદ્ધા કેહવાય? કોઈ સ્ત્રી દસામાંના વ્રત કરે, એટલે દસ દિવસ આ વ્રત કરવાનું અને ૫ વર્ષ થાય એટલે બેવડાવવાનું, એટલે કે ૧૦ વર્ષ કરવાના! બોળચોથની વાર્તામાં કઈ એવું છે કે કોઈ વહુએ વાછરદાને પીસી નાખ્યો, તેની સાસુએ કીધું કઈ ને તેને સંભાળ્યો કૈક અને પછી સાસુ ઘરે આવતા વાત  ખુલી થઈ, સાસુ-વહુ અફસોસ કરે અને થોડીવારમાં ગાય જીવિત થાય એટલે આ દિવસે બધી સ્ત્રીઓ ધારવાળી વસ્તુથી શાક ન કાપે., તે દિવસે ગાયની પૂજા કરે અને તેને થાળી ભરીને અન્ન આપે. ૩૬૪ દિવસ ગાયને એઠવાડ આપે અને એક દિવસ ગાયની પૂજા કરી અન્ન આપે. આ કેટલું વાજબી છે?નાગપાચમમાં એકદિવસ અગાઉ સ્ત્રી કઠોળ પલાળી દે ને બીજે દિવસે નાગદેવતાની પૂજા કરવા જાય, દૂધ ચડાવે, ચુનડી ચડાવે વગેરે... પણ એક ઘરમાં આ દિવસે નાગદેવતાની પૂજા કરવા નથી જવાતું પણ આ કઠોળ ઘરમાં ચારે ખૂણે છાટવાનું. અરે અન્નને વેરાય?આમ તો આપના વડીલો કહેતા હોય છે કે અન્નનું અપમાન ન કરાય, નીચે ન નખાય અને આ તે કેવું કે તે દિવસે છુટ? ઘરમાં માં-બાપ સંતાનને હમેશા ભણવા-વાંચવા બેસવા માટે સતત સમજાવતા હોય છે, તોફાન કરે તો ગુસ્સે થાય પણ તેના જન્મદિવસે તેને અમુક છુટ આપે કે આજે તેના પર ગુસે નથી થવું, તેવું જ આપના વ્રતનું છે. આજે અન્ન વેરો કઈ પાપ નહિ લાગે, કઈ ખોટું નથી.

બાળક નાના હોય ત્યારે તેના વડીલને ઘણી વખત તેમને ટોકતા સાંભળ્યા છે કે તું શું કરે છે? કઈ કરતા પેહલા જરા વિચાર તો ખરી કે તું શું કરે છે? સ્ત્રીઓ જાગો, વિચારો.....તમે શું કરો છો? તમે જે કરો છો તેનો મહિમા સમજો છો? જે કરો છો તેમાં માનો છો? કે પછી આગે સે ચાલી આયી રીત વહી હમારી જીત?આ બધા વ્રત કે વર્ષો પેહલા જ શરુ થયા? હવેના યુગમાં કેમ કઈ વ્રતની શોધ નથી થતી? બોળચોથમાં વહુથી જ ભૂલ થઇ તેવી ભૂલ જો આ જમાનામાં થઇ હોય તો સાસુ-વહુ બને આમને સામને આવી જાય, ઘરના ભાગલા પડી જાય, અને આજ-કાલ ખૂનના ગુન્હા રોજ થતા હોય તેવામાં સાસુ-વહુ બેમાંથી કોઈ એકને ખૂનની ધમકી આપે તો કઈ નવાઈ ન લાગે. આ દિવસ ગામના બધા ભૂલી ન શકે પણ કોઈ વ્રત ન જ કરે. 
 

Wednesday, April 27, 2011

પુણ્યશાળી બનવાના પ્રયોગો


દુનિયમાં માણસો પેહલા પાપ કરે છે અને પછી પાપને ધોવા માટે જુદા જુદા તુર્ક લગાવે છે અને પોતે પાપમાંથી મુક્ત થયાનો આનંદ મેળવે છે. આજે આપને અનેક ક્ષેત્રે પ્રગતિ મેળવી છે તો પણ આજના દિવસે  ઉચ ડીગ્રી ધરાવનાર, ગરીબ-ઓછુ ભણેલ વ્યક્તિ શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં માને છે. પોતાના દુખ, જિંદગીની કસોટી, માંદગી વગેરેથી બચવા, અનેક પુણ્ય મેળવવાના અખતરા કરે છે. પણ શું એમ પુણ્ય મળે? તો સૌ પેહલા ખૂન,ગુના વગેરે કરે અને પછી પાપ ધોવા માટે માનતા રાખે.

આજનો માણસ એવું માને છે કે ગાય ને ઘાસ આપવાથી, કુતરાને દૂધ આપવાથી, માછલાને લોટ આપવાથી, પંખી ને ચણ આપવાથી પુણ્ય મળે છે. શું ખરેખર પુણ્ય મળે? તો પછી આપના દેશના પશુ-પ્રાણી કોઈ દિવસ ભૂખે નહિ મરે, તેમનું સ્વાસ્થ્ય પણ સારું રેહશે, સાચી વાત ને? અરે મેં તો ઘણા એવા જોયા છે કે જે રોજ બે વાર કુતરાને દૂધ આપે છે, બિસ્કીટ આપે છે પણ ઘરમાં વડીલને પાણી પણ આપતા નથી. ઘરમાં વડીલ કહે બેટા પાણી/જમવાનું આપજો ને તો કેહ્શે જાતે એટલું પણ કરી શકતા નથી, આખો દિવસ લાવો અને તે લાવોમાં થકવી દે છે. વડીલને પાણી આપતા પેહલા કેહ્શે બા-બાપુજી હમણાં પાંચ મીનીટમાં આવું, કુતરાને દૂધ આપવા જઈને આવું, મંદિરે જઈને આવું. અરે.... પુણ્ય મેળવવા વડીલને ભૂલી જવાના!!!! કયા ભગવાન એમ કહે છે કે તમે મારી સેવા કરો, મારી પાછળ / કલાક બગાડો. માનવા સેવા સાચી સેવા છે. ઘરમાં ભાઈ-બહેન, વડીલની દેખરેખ, એક બીજાનું માન-સન્માન પુણ્યશાળી બનાવે છે. જેમ આજની જનરેશનને ઘર કરતા રેકડી અને હોટેલમાં મળતા ફૂડ વધારે ભાવે છે, જેમાં ખાવાની વસ્તુમાં પણ કલર અને ચટપટા મસાલાવાળા હોય તે ફૂડ વધારે પસંદ છે, બ્રાન્ડેડ વસ્તુ વધારે પસંદ છે  તેમ જનાવરને પણ રોટલી ભાવતી નથી. થોડા સમય પેહલા નજરે જોયેલું કે એક વડીલે એક કુતરાને રાતે રોટલી આપી અને પણ ઘી ચોપડ્યા વગરની, કુતરાએ ખાધી, ઘી ચોપડીને પણ આપી લીધી, પણ બ્રાન્ડેડ બિસ્કીટ આપ્યું તરત લઇ લીધું. અને એક કુતરાનું નિરીક્ષણ નથી, ઘણા કુતરાને રીતે જોયા

ઘણા માણસો જમ્યાબાદ વધુ-ઘટ્યું ગાયને એથવાડ તરીકે આપે છે અને બોલતા હોય છે કે ગાયને તો આપવું જોઈ ને. શું આપવું જોઈ....એથવાડ?  આપવાથી પુણ્ય મળે? જો આપવું હોય તો જમતા પેહલા તેના માટે રસોઈ અલગ રાખી અને આપવી જોઈ. તો પોતાની વધઘટનો ભોગ બીજાને બનાવવું અને ઉપરથી હાથ રાખવો કે અમે તો રોજ ગાયને જમવાનું આપીએ છીએ. જમાના પ્રમાણે પુશુના વિચારમાં પણ ફેરફાર થયા છે, કેહવત છે ને 'દીકરીને ગાય દોરે ત્યાં જાય' તેને બદલે હવે 'ફાવે ત્યાં જાય' અને 'કરવું હોય તે કરે'. ગાય પણ એથવાડનો બદલો લેતી હોય છે. ભૂખ લાગી હોય ત્યારે ગમેતે આરોગી લે પણ પછી રોડ પર ગમે ત્યાં બેસી જાય, રસ્તા પણ બગાડે, ઘરના આંગનાં પાસે સ્વજનને પગ ધોવા પડે તેવી કેક બનાવી સ્વજનનું સ્વાગત કરે છે, અને વાહનચાલકો ગમે તેટલા હોર્ન મારે પણ તે ઉભી થાય એટલે થાય. અનેક પ્રયાસો માણસ કરે ત્યારે ધીમે ધીમે રસ્તો કરી આપે(મનમાં તે પણ હસતી હશે અને બોલતી હશે જોઇને મને એથવાડ આપવાની મજા). જેમ માણસમાં પણ બદલો લેવાની ભાવના ઊચ્તમ ડીગ્રીએ હોય છે તેમ હવે જાનવરમાં પણ ભાવના આવી ગઈ છે.

આપને ત્યાં અનેક પવિત્ર નદી છે, અને નદીને આપને આપના પગ ધોઈ ને અપવિત્ર બનાવી દીધી છે. અમુક ધર્મના લોકો એવું માને છે કે જીવનમાં એક વાર તો ગંગા સ્નાન કરવું જોઈ, પાપ ધોવાય જાય. અરે ત્યાં જાય તો  પાણીમાં હાથ નાખવો પણ ગમે, ગંદુ પાણી, જેમાં કાગળ-પ્લાસ્ટીકના કચરા, કપડા ધોએલું સાબુનું પાણી. માત્ર પાણી પ્રદુષણ છે. ઘણા લોકો પવિત્ર સ્થળે જઈ ચુનરી મનોરથ, ધજા ચડાવવી જેવા ધર્મિક કર્યો કરે છે. જેમાં લાખો રૂપિયા ખર્ચી નાખે છે પરંતુ તેને બદલે એટલી ચુનરી/સાડી ગરીબમાં વેહંચી હોય તો આશીર્વાદ મળત અને પુણ્ય પણ મળત. પણ બધું કોણ કોને સમજાવે. આજે માણસને દાન કરવું છે પણ પુણ્ય મેળવવાની આશાથી. દાન કરવા માટે બધા સમય સારા હોય છે. સારા કામમાં કોઈ ચોઘડિયું હોતું નથી, પણ આપને ત્યાં લોકો માને કે અમુક દિવસે અમુક વસ્તુનું દાન કરવું જોઈ. જેમ કે, મકર સંક્રાતિ પર ગૌ દાન માટે અનેક સ્થળ પર ફાળો એકત્ર કરવામાં આવે છે, કહે છે દિવસે ગૌ દાન શ્રેષ્ઠદાન છે. દાન અને તેમાં પણ શ્રેષ્ઠદાન, કદાચ તેના માટે ચોઘડિયા જોવાતા હશે. ઉપરાંત તે દિવસે રાશી પ્રમાણે જે-તે કલર, અન્નનંદાન શ્રેષ્ઠ ગણાય અને તે માટે છાપામાં પણ અગાઉથી આવી જાય કે રીતે દાન કરવું લાભદાયક નીવડશે. અરે ભાઈ દાન કરવું છે અને તેમાં પણ સ્વાર્થ રાખવાનો કે ભાઈ મારું ભલું કરજે. (દાન પણ બિનશરતી)

લોકોને એટલે બોલતા સાંભળ્યા છે.....'હે ભગવાન સૌનું ભલું કરજે, અને શરૂઆત મારાથી કરજે'.