Showing posts with label સ્ત્રી. Show all posts
Showing posts with label સ્ત્રી. Show all posts

Tuesday, August 7, 2012

નારી તું નાં હારી


આજના યુગમાં પણ સ્ત્રી-પુરુષના મત ભેદ જોવા મળે છે. અલબત સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પુરુષની સાથે જંપલાવ્યું છે અને પ્રગતિ કરી છે જેમ કે, સરકારી કંપની, પ્રાઈવેટ કંપની, બીઝનેસ, પ્રોફેસનલ પ્રેકટીસ, અવકાશ સફર, રાજકારણ, ખેલજગત   વગેરે..જયારે જયારે સ્ત્રી-પુરુષ સમોવડી/સમક્ક્ષની વાતો આવે ત્યારે આપને હમેશા ઉપરોક્ત સ્ત્રીની સરખામણી કરીએ છીએ. ભણેલ સ્ત્રી બધા કર્યો કરી શકે છે, પોતાની બુદ્ધિ અને નસીબના સથવારે જગતમાં નામના મેળવે છે. પરંતુ આપને અશિક્ષિત મહિલા જે શારીરિક પરિશ્રમ કરે છે, પોતાની આજીવિકા માટે બોજ ઉઠાવી કામ કરે છે તેને આપને ભૂલી જઈએ છીએ. અમુક વર્ગ અને અમુક વિસ્તારની મહિલા આર્થિક ભીસ કે સ્ત્રીને ભણવા જવાય વગેરે કારણોસર ભણી શક્તિ નથી પરંતુ તેમ છતાં પોતાના ઘરને (પતિ/પિતા) મદદરૂપ થવા માટે તેમના કામમાં હાથ બાંટે છે.
આર્થિક રીતે સદ્ધર મહિલા પોતે નોકરી કરતી હોય, સારો બીઝનેસ હોય તો પોતે કમાવા બહાર જશે ત્યારે ઘરમાં એક આયા કે કામવાળી હોય છે છે બધા કામ કરી દે છે, બાળકોને પણ સાચવે છે. કામ ધંધેથી ઘરે આવ્યાબાદ મહિલા માત્ર ટી.વી અને .સી.ના રીમોટ લઇ બેસી શકે છે.(અપવાદ હોય છે) પોતાના બાળકોની દરેક ભોતિકજરૂરિયાત પૂરી કરે શકે છે, જીદ પૂરી કરે છે, જમવાનું પણ થાકી ગયા હોય તો બહારથી મંગાવી શકે છે, ઘરે રસોઈ કરવા માટે માણસ રાખે છે, કામ ધંધે જવા માટે વાહન છે.પરંતુ પછાત વર્ગની મહિલા જેની પાસે રેહવા માટે કાચું મકાન છે, છત પણ પતરાની છે તે મજુરી કરી ગુજરાન ચલાવે છે. માટે તે કોઈ મકાન/ઈમારત બનતી હોય તેમાં માલસામાનની હેરફેર કરવામાં મદદ કરે છે. પોતાના શિર પર ઈંટના ઢગલા લઇ ઉપર-નીચે માલ લઇ જાય છે, રેતી ભરેલા મોટા તગારા પણ ઉપાડી રેતીના ઢગલામાં ચાલી માલસામગ્રી પહોંચાડે છે.તડકો-વરસાદ હોય તે પોતાનું કામ કરે જાય છે, અને દૈનિક આવક માટે સવારથી સાંજ મેહનત કરે છે સૂર્યનારાયણ દેવ પણ ગગનમાંથી પ્રકાશની સાથે તાપવર્ષા કરે જાય છે ત્યારે લોઢાની વસ્તુને હાથ પણ લગાવો એટલે આગમાં હાથ નાખવા બરોબર હોય ત્યારે આવી સ્ત્રી કામ કરે જાય છે અને તે પણ ભારતીય પરંપરા/રીતરીવાજ પ્રમાણે સાડી પેહરીને . તેમના બાળકો જે સ્થળ પર કામ ચાલતું હોય ત્યાં રેતીના ઢગલામાં બેસી રમે છે, જમે છે અને સુવે છે. છતાં તેઓ હસતા હોય છે, કોઈ વાર રડે તો તેની માં બે ઘડી તેને રમાડી પાછી તેના કામમાં લાગી જાય છે સવારે ટીફીન લઇને  જાય અને સાંજે પણ ચુલા પર રસોઈ બનાવે છે.

કામ ચાલતું હોય તે જગ્યાએ કોઈ વાર જમીને વિસામો લે છે, શાયદ તે બોલતા હોય..'રેહને કો ઘર નહિ, સોને કો બિસ્તર નહિ, અપના તો હૈ રખવાલા......'આપને જાણીએ છીએ કે શારીરિક શ્રમનો દુખાવો કોઈવાર અસહ્ય હોય છે તો પણ હિમત હાર્યા વગર કામ કરે જાય છે.ઉપરાંત કોઈવાર જોઈએ છીએ કે શાકભાજીનો વેપાર કરતી સ્ત્રી સવારે રેકડી લઇ પોતાનો ધંધો કરવા નીકળી જાય છે ત્યારે તેના  બાળકનું ઘોડિયું પણ રેકડીમાં નીચે બનાવી લે છે, રમાડતી જાય, ખવડાવતી જાય અને કમાતી જાય. બાળક ઘોડીયામાંથી ડોકા તાણે અને માં ને હેરાન કરતા હોય તો પણ પોતાના પતિને મોબાઈલ કરી કેહતી નથી કે બાળક હેરાન કરે છે, કામ કરવા નથી દેતા વગેરે, શિક્ષિત સ્ત્રી જે નોકરી-ધંધો કરે છે તેને માનસિક પરીશ્રમ હોય તો પણ તે થાકી જાય છે અને તે કોઈવાર તેનો થાક ગુસ્સા દ્વારા રજુ કરે છે. પરંતુ આવી મજુર સ્ત્રી તેની પાસે કોઈ વિકલ્પ પણ નથી કે કોઈની પાસે કામ કરાવે. રીતે મજુર સ્ત્રીવર્ગ પણ પુરુષની જેમ મહેનત કરે છે અને સ્ત્રી-પુરુષના ભેદભાવ રાખવા જોઈ તેના ઉદાહરણ છે. શિક્ષિત મહિલા પોતાની ઓળખ મેળવવા, પ્રગતિ કરવા,પુરુષ-સ્ત્રીના વર્ષોથી ચાલ્યા આવતા ભેદભાવને સમતોલ કરવા/નાબુદ કરવા જે પ્રયત્ન કરે છે, મેહનત કરે છે તે રીતે અશિક્ષિત મહિલા પણ કુચકદમ કરી પોતાની આગવી ઓળખ મેળવવા, સ્ત્રી-પુરુષના ભેદભાવ દુર કરવા પ્રયત્ન કરે છે. આપને આવી સ્ત્રીને કોઈવાર ભૂલી જઈએ છીએ પણ તે ભૂલવું વાજબી નથી, તે પુરુષ સમોવડી નહિ પરંતુ ચડિયાતી છે તેમ કહી શકાય.

Wednesday, April 11, 2012

સાસુ-વહુ અને નણંદ

સાસુ-વહુ અને નણંદના ઝગડા ૧૭મી  સદીમાં પણ હતા અને ૨૧મી સદીમાં પણ ચાલુ જ છે. આજે, ભણતર બદલ્યું છે, ટેકનોલોજીમાં પ્રગતિ છે, આધુનિકતામાં વધારો થતો જાય છે તેમાં સ્ત્રીના ઝગડા/વાદ-વિવાદ પણ વધતા જ જાય છે. જ્યાં ઘટાડો થવો જોય તે થતો નથી અને તે માટે ઘણા કારણ જવાબદાર છે. એક સ્ત્રી જ જ્યાં સુધી સ્ત્રીને ન સમજે ત્યાં સુધી આ પ્રશ્ન ચાલુ જ રેહ્વાના. અને આ વિષે ઘણા લેખક મિત્રોએ પોતાના વિચારો રજુ કર્યા છે પણ સ્ત્રી લોકો એ જાણે 'હમ નહિ સુધરેંગે'ની કસમ લીધી હોય પોતાના સ્વભાવમાં બદલાવ સ્વીકારતા નથી. આપને ત્યાં સામાન્ય રીતે દીકરી/દીકરા ૨૨-૨૩ વર્ષના થાય એટલે માં-બાપને લગ્ન માટે આતુરતા થાય છે અને તેમના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી ચાલુ કરી દે છે. યોગ્ય પાત્ર મળતા વિવાહ કરવામાં આવે છે અને ઘરસંસાર ચાલુ થાય છે. આજના જમાનામાં જોવા મળે છે કે પતિ-પત્ની એકબીજાને સમજી સાથ આપે છે પરંતુ સાસુ-નણંદ-વહુ વચે ઘરકામ અને અન્ય નાની નાની વાતો માટે કંકાસ થતો જ હોય છે અને ઘરસંસાર સાથે ઘરકંકાસ પણ કસોટી લે છે.માતા-પિતા દ્વારા પસંદ કરેલા કુટુંબમાં પણ નાના નાના પ્રશ્નો મોટા સ્વરૂપ લેતા હોય છે ત્યારે કલ્પી શકાય કે લવ મેરેજમાં કેટલા પ્રશ્નો થતા હશે.એવી જ એક સત્ય હકીકત પર આધારિત મિલી અને મિલનની...


મિલન ઉચ્ચ ડિગ્રી મેળવવાના શયથી મોટા શહેરમાં ભણવા ગયો હતો, તેના કુટુંબમાં  માતા-પિતા, ભાઈ-ભાભી-ભાણેજ અને એક વિવાહિત બહેન હતી. આર્થિક રીતે સદ્ધાર કુટુંબ હતું અને સમાજમાં પણ સારી પ્રતિષ્ઠા હતી. મિલનના પિતા સામાજિક સેવા પણ કરતા  હતા અને પોતાની જ્ઞાતિમાં ઉચ્ચ હોદા પર વર્ચસ્વ ધરાવતા હતા. સંયુક્ત વેપાર હતો જે મોટા ભાઈએ સારી રીતે સાચવેલ હતો. મિલન ભણવામાં હમેશા ટોપ ૫ માં જ પોતાનું સ્થાન ટકાવી રાખતો. તેની સાથે જ અભ્યાસ કરી મિલી પણ તેની કોમ્પીટીટર હતી, કોલેજમાં ભણવાની બુક્સ આપ-લે કરતા કરતા બને ક્યારે એકબીજાને લવ લેટર આપ-લે કરવા લાગ્યા તે તેમને પણ ખ્યાલ ન આવ્યો પણ તેમને તેમની કોઈ મર્યાદા ઓળંગી ન હતી.  મિલી નું કુટુંબ પણ ઈજજતદાર કુટુંબ હતું, મિલન કોઈક કોઈક વાર મિલીના ઘરે પુસ્તક લેવા તો કોઈ વાર એમ જ બેસવા આવતો અને તેમના કુટુંબમાં છોકરા-છોકરીની મિત્રતા પર અંકુશ કે જોહુકમી ન હતી. થોડા સમયમાં મિલી દ્વારા તેના વડીલને પોતાના અને મિલનના પ્રેમ વિષે વાત કરી ત્યારે તેના માં-બાપે તેનો સ્વીકાર કર્યો. તેમને કહ્યું બેટા મિલન સાથે વાતો કરતા અમને ખ્યાલ આવ્યો છે કે તે સંસ્કારી છે અને તે સારી રીતે તારું ધ્યાન રાખશે, અમે એવું નથી વિચારતા કે આપની જ્ઞાતિમાં જ લગ્ન થવા જોઈ અને અમારે જ તારા માટે યોગ્ય પાત્ર પસંદ કરવો જોઈએ.  માં-બાપ લગ્નની  વાત ત્યારે જ કરે છે જયારે સંતાનો પર વિશ્વાસ હોય કે લગ્ન કરવાથી તેમના પર જવાબદારી આવવાની છે અને તે તેના માટે તૈયાર છે/સમજુ છે અને આવા સમજુ સંતાનો પોતાની રીતે પાત્ર પસંદ કરે મતલબ તે પોતાની પસંદ-નાપસંદ વગેરે જાણીને જ હાથ લંબાવતા હોય છે, અમને તારા પર વિશ્વાસ છે કે તે  યોગ્ય પાત્ર પસંદ કરેલ છે. અને લગ્ન પછી પતિ-પત્ની/કુટુંબમાં નાના-મોટા ઝગડા/મન દુ:ખ થતા જ હોય છે તે લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ, આ સમસ્યાનો કેવી રીતે સામનો કરવો તેના પગથીયા તમે આપોઆપ ચડતા જશો અને અમારી જરૂર પડશે ત્યારે સાચો રસ્તો દેખાડવામાં મદદ કરીશું. આમ, મિલીના કુટુંબે તો સંમતી આપી દીધી પરંતુ મિલનના કુટુંબના લોકો આંતરજ્ઞાતિય લગ્ન માટે તૈયાર ન હતા, તે કેહતા આપના ઘરકામ-સમાજમાં તે જોડાય ન શકે, તેના રીત-રીવાજો આપના કરતા જુદા છે, છોકરી વધારે ભણેલ હોય સ્વતંત્ર વિચારની હોય અને આપના ઘરમાં એક વહુ છે તેને પણ ધ્યાનમાં રાખી અમે તે છોકરી સાથે તારા વિવાહ માટે અમારી સમંતિ નથી.  

મિલને પોતાના કુટુંબને મનાવવા ઘણા પ્રયત્ન કર્યા ને ૧ વર્ષ પછી તે લોકો એ લગ્ન માટે સમંતિ આપી પણ રાજી ન હતા. મિલન ઘર છોડીને મિલી સાથે લગ્ન કરી શકતો હતો પણ તેને તેમ ન કર્યું તેમજ મિલીના પિતા દ્વારા પુરતો સહકાર હતો. મિલી અને તેના કુટુંબી જાણતા  હતા  કે લગ્ન બાદ તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે કારણ લગ્ન માટે સમંતિ મળી છે કોઈ રાજી નથી. બને કુટુંબ સાથે બેસી લગ્ન તારીખ નક્કી કરે છે અને નિર્ધારિત દિવસે બને રીત-રીવાજો પ્રમાણે એકબીજાથી જોડાય છે. મિલનના કુટુંબમાંથી માર્યાદિત લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા કારણ તે લોકો સમાજ ટીકા કરે છે તેવું જ સમજતા હતા. લગ્ન હોય નણંદ પણ રોકવા આવ્યા હતા અને પોતાને મળેલ હોદા મુજબ  તુરંત જ નવી ભાભી પર બોલવાની ચાલુ કરી દીધી. મિલી તો હોઢ સીવીને જ રેહતી હતી. ૫-૬ દિવસમાં જ જેઠાણી-સાસુ વગેરે દ્વારા આંતરજ્ઞાતિના અનેક મહેનાં માર્યા, મિલીના કુટુંબને નીચા બતાવ્યા અને કેટલું કર્યું પણ મિલી મર્યાદામાં રેહતી. પોતે પણ મિલનની જેમ સી.એ. હોય તેને ઓફીસ જવાની પરવાનગી ન હતી. ધીમે-ધીમે મિલી ઘરના તમામ કામ તે ઘર મુજબ શીખી ગઈ, કુટુંબમાં પણ વ્યવહાર સાચવવા લાગી અને મિલનની ઈચ્છાથી તેની ઓફિસે પણ ઘરમાં કામ પુરૂ  કર્યાબાદ જવા લાગી. આ માટે તેને ઘરમાં અનેક શબ્દો સંભાળવા પડ્યા પરંત ચુપ જ રેહતી અને મિલન તેને હમેશા સાથ આપતો. પ્રોફેસનલી પણ મિલીને ઘણી સફળતા મળી તો પણ ઘરના તો કેહતા જ કે ઘરકામમાં ધ્યાન નથી આપતી, આપણાઘરમાં વહુ બહાર ન જાય વગેરે.. પરંતુ પાડોશી/મિલીના સસરા  અને અન્ય લોકો બોલતા કે મિલી ઘરકામ અને કેરિયર બને સાથે પુરતો તાલ મેળવે છે, તે તારીફે કબીલ છે પરંત આ પણ જેઠાણી ને આકરું લાગતું કારણ પોતે માત્ર ઘરમાં જ રેહતી હોય તેનો સ્ત્રી ઈગો સાથ છોડતો ન હતો. જેઠાણીના કહ્યા મુજબ ભાઈઓના ઘર  જુદા થયા , જેઠાણી એ બાજુમાં જ બીજું ઘર ખરીદી કરાવડાવ્યું અને માં-બાપને પણ સાથે ન રાખ્યા તેમ છતાં પણ તેમના સાસુ જેઠાણીનો જ પક્ષ લેતા, તેમના સંતાનને જ વધારે સાચવે, સાથે લઇ જાય. સસરા હમેશા બને વહુ-દીકરા વચે સમતોલ રાખતા, નાની વહુ બીજી જ્ઞાતિની છે પરંતુ સમજુ છે તેનો તેને ખ્યાલ હતો, ઘરમાં તેને થતા અન્યાય તે સમજી શકતા અને આ માટે તે મિલન ને કેહતા કે બેટા મને તમારા પર ગર્વ છે. મને પણ શરૂમાં રંજ હતો પરંતુ મને સમજાય ગયું છે કે જ્ઞાતિને મહત્વ આપવાને બદલે પાત્ર કેવું છે તે જોવું જોઈએ. મોટી વહુ તો આપની જ્ઞાતિમાંથી જ આવી છે છતાં પોતાની જવાબદારીનો ટોપલો બીજા પર નાખી દે છે અને નાની વહુ..

મિલી માં-બાપનું ધ્યાન રાખતી, તેમના જમવાના-બહાર જવાના સમય સંજોગો સાચવી લેતી. નણંદ બા પણ વેકેશનમાં આવે ત્યારે મોટા ભાભીને જ વધારે બોલાવે. આ રીતે ઘણા વર્ષો ચાલ્યા ગયા. નણંદના ઘરમાં પણ થોડા પ્રશ્નો હતો પણ તે મોટા ભાઈ-ભાભી અને માતા-પિતા જ દ્વારા પ્રશ્નો નિવારતા હતા.કોઈ વાર મિલનને વાત કરવામાં આવતી અને તે પણ સમજાવવાની કોશિશ કરતો. પરંતુ એક વાર નણદોઈ એ મિલનના માતા- પિતાને ફોન કરી જણાવી દીધું કે તમારી દીકરીથી હું થાકી ગયો છુ તેને રાખવા હું તૈયાર નથી. મિલીના સાસુ તો સુનમુન થઇ ગયા, તાત્કાલિક ડોકટર બોલાવી સારવાર કરાવી પડી ત્યારે થોડી તબિયત સારી થઇ અને આવા સંજોગોમાં મોટી વહુ પણ પોતાને પણ મજા નથી, પુત્રને પરીક્ષાના બહાને પોતાના ઘરે ચાલી ગઈ.મિલીને  આ વાતની જાણ થઇ ત્યારે તે ચુપ રેહવા તૈયાર ના હતી, તેને તુરંત જ નણદોઈને  ફોન કર્યો, તેને કહ્યું દીદીનો જ શા માટે વાંક કહે રાખો છો તમારો શું કશો વાંક નથી? તમે કોઈ મિત્રની સાથે ફરે રાખો, મન ફાવે ત્યારે ઘરે આવો ત્યારે દીદી જમવાનું ગરમ કરી આપે, તે ઘરના કામ કરીએ થાકી હોય તો પણ તમારું સાચવે, કુટુંબને સાચવે, માત્ર પૈસા આપવાથી પત્ની ખુશ ન થાય, તેને માંન આપતા શીખો. તમારે પણ બે દીકરી છે, તમારા જમાય દ્વારા આ રીતે દીકરી વિષે અપશબ્દો કેહ્વાશે તો તમને શું થશે? જેમ તમને તમારી ૫-૭ વર્ષની દીકરી વહાલી છે તેને થયેલ એક ખરોંચ પણ તમે સહન નથી કરી શકતા તો ૨૨-૨૩ વર્ષ સુધી મોટી કરેલ દીકરીના પિતાને તમે ફોન કરીને કહી દો કે તમારી દીકરીને હું રાખવા તૈયાર નથી તો તેમની શી હાલત થઇ છે તે તમને ખયાલ છે. સ્કુલમાં તમે કહી આવ્યા છો કે મારી કોઈ દીકરી પર કોઈએ ગુસ્સો કરવો નહિ, અને ત્યાંથી ફરિયાદ આવે તો તમે પાણી પણ ગળે ઉતારી નથી શકતા તો પછી પત્ની માટે કેમ નથી વિચારતા કે તે પણ કોઈકની  દીકરી છે. શું દીકરી મોટી થાય એટલે તેને સાસરિયાની ગુલામી જ કરવાની અને માં-બાપ પણ દીકરી મોટી થયે ત્યાગની મૂર્તિ થયે વર્તવાનું શીખવે? તમે જે દીદી સાથે કરો છો તે માટે દીદીની જગા પર તમારી દીકરી ને અને તમને સાસરિ દીકરીના પિતા તરીકે અને તમારા જમાય તમારી દીકરીના અપશબ્દો કહે તો તમે શું કરશો તે વિચારજો અને આ સાથે જ મિલીએ ફોન રાખી દીધો.માત્ર થોડા જ કલાકમાં નણદોઈ નો ફોન સસરાના ફોન પર આવ્યો અને તેને કહ્યું પપ્પા હું કાલે તમારી માફી માંગવા આવું છે, મને માફ કરી દો, આજે ભાભીએ મને જે કહ્યું તેનાથી મને મારી ભૂલ સમજાય ગઈ છે અને વિશ્વાસ આપું છે કે ફરી આવું ક્યારેય પણ નહિ થાય. ઘરના સૌ ખુશ થાય છે અને નણંદની ખુશીનો તો કોઈ સીમા જ ન રહી તેને પણ તુરંત જ ભાભી પાસે આવે માફી માંગી અને પોતાના દ્વારા થયેલ અપમાનની માફી માંગી, સાસુ પણ કેહવા લાગ્યા બેટા અમે માત્ર જ્ઞાતિને જ મહત્વ આપ્યું, એક સ્ત્રીને ન સમજી. તે દિવસથી મિલીને તેની કેરિયરમાં પણ ઘરના સૌ કોઈ તરફથી સાથ મળવા લાગ્યો, ઘરમાં પણ સાસુ મદદ કરવા લાગ્યા અને તેના સંતાનને પ્રિય દાદી મળી ગયા. મિલનને પોતાની પસંદગી પર ગર્વ થતો હતો, મેં તે સ્ત્રીને પસંદ કરી છે જે પોતાના સ્ત્રી અધિકાર માટે તો લડી છે પણ અન્યને પણ સહકાર આપે છે, કુટુંબને પ્રથમ મહત્વ આપે છે.અને આ રીતે એક ભાભી નણંદની દોસ્ત/બહેન બની, સાસુ માં બની અને જ્ઞાતિને બદલે યોગ્ય પાત્રની મહત્વતા સમજાય.

Saturday, March 24, 2012

અંતિમયાત્રા-સ્ત્રી બની સહભાગી



વર્ષો પેહલાથી રીવાજ ચાલ્યો આવે છે કે અંતિમયાત્રા તેમજ અંતિમ તમામ વિધિ/ક્રિયાકાંડ ઘરના પુત્ર તેમજ પોત્ર દ્વારા કરવામાં આવે છે. અને દીકરા ન હોય તો કુટુંબના દીકરા દ્વારા ક્રિયા કરાવવામાં આવે છે. દીકરા કુપુત્ર હોય તો પણ કહે કે દીકરી એ ન કરાય, અને એવા કેટલાય નિયમ જોવા મળે છે. સામાન્ય રીતે દીકરો તેના નોકરી-ધંધામાં આખો દિવસ વ્યસ્ત હોય ત્યારે દીકરા વહુ દ્વારા/દીકરી દ્વારા તેમની પોત્રી દ્વારા સતત વડીલની સેવા કરાતી હોય છે, વધારે સમય અને સબંધ તેમને સાચવના હોય છે અને તે કરે પણ છે પરંતુ તેમને તેમના અધિકાર મળતા ન હતા. તેમને માતા-પિતાના અગ્નિદાહ કે સ્મશાને જવાની પરવાનગી ન હતી.

પરંતુ આજે સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં જંપલાવ્યું છે તેમજ સિધ્ધી હાંસલ કરી છે, સ્ત્રી-પુરુષ/દીકરી-દીકરા વચેના તફાવત દુર કરવા માટે સતત સંઘર્ષ કરતા રહે છે. એટલે જ આજે દીકરીઓ પણ માતા-પિતાના અવસાન બાદ તેમને કાંધ આપે છે એટલું જ નથી સ્મશાને જઈ અગ્નિદાહ પણ આપે છે. થોડા વર્ષોથી આ પરિવર્તન જોવા મળ્યું છે પરંતુ કુટુંબની અન્ય સ્ત્રી તો ઘરે જ રહે છે. સ્ત્રી હિમત હારે તેમ નથી, પુરુષ સાથે કદમ મિલાવનાર સ્ત્રીવર્ગ હવે અંતિમયાત્રા પણ જોડાય ગઈ છે. સમાજમાં ઉદાહરણરૂપ અને સ્વીકાર્ય એવું પગલું કુટુંબની દીકરાવહુ દ્વારા સસરાની અંતિમયાત્રામા જોડાય કરવામાં આવ્યું હતું. અને એટલું જ નહિ કુટુંબના તમામ વડીલે તેનો સ્વીકાર કરી સાથ આપ્યો હતો. વડીલે કહ્યું વહુ બેટા અમે તો માત્ર મદદમા આવતા પરંતુ તમે જે સેવા કરી છે તેના માટે તમને ધન્યવાદ છે, તમે તમારી ફરજ નિભાવી છે પરંતુ આ જમાનામા ભાગ્યે જ આવા સંતાનો મળે છે. અમે પણ ભાગ્યશાળી છે કે અમને તમારા જેવા સંતાનો મળ્યા છે અને વહુ તમે તમારા મા-બાપના પ્રતિબિંબ છો તે માટે તમારા માતા-પિતા તેમજ તમામ કુટુંબી ગર્વ અનુભવે છે. મૃત્યુ પામનારના બે સંતાન અને સંતાનને ત્યાં એકને પુત્રી અને એક ને પુત્ર હતો ત્યારે વિધિમાં પોત્ર દ્વારા જે વિધિ કરવામાં આવી હતી તે તમામ વિધિમાં પોત્રીને પણ સમાન અધિકાર આપવામાં આવ્યો. અને દીકરા વહુ તેમજ પોત્રીએ વડીલને ગુમાવ્યાના દુઃખમાં પોતાને મળેલ સમાન અધિકારની ખુશી અનુભવી હતી.

પેહલાના જમાનામા કેહવાતું કે સ્ત્રી વધારે ડરપોક હોય છે તે આ વિધિ જોય ન શકે, અને આપના શાસ્ત્રોમાં પણ સ્ત્રીને આ અધિકારથી વંચિત રાખવામાં આવેલ છે. ત્યારે આવી જાગ્રત મહિલા દ્વારા અન્ય સ્ત્રીવર્ગને હિમત તેમજ સમાન અધિકાર માટે પ્રોત્શાહન પૂરું પાડવામાં આવ્યું છે. અને જયારે નારી આવા પડકારને સ્વીકારશે ત્યારે જ સમાજમાંથી સ્ત્રી-પુરુષના ભેદભાવ ઓછા થશે.

Monday, March 19, 2012

આજ્ઞાને સલામ


આજ્ઞા અને આદર્શના લગ્ન ને બે દિવસની વાર હતી, ઘરમાં લગ્નની તૈયારી ચાલુ હતી, મેહમાન પણ આવી ગયા હતા. આજ્ઞા મેહંદીના રંગોમાં ખોવાયેલી હતી ત્યારે તેની માં તેને કહે છે બેટા બે દિવસ પછી તું પરાયી થઇ જઈશ. બેટા હું જાણું છું તું તારી જવાબદારી સારી રીતે જ નિભાવીશ પણ માં છું એટલે તને કહીશ કે આદર્શના માતા-પિતા ને તારા માતા-પિતા જ માનજે, જે રીતે તું અમને માન આપે છે તે જ રીતે તું એમને પણ આપજે, વહુ નહિ પરંતુ દીકરી બની રેહ્જે. લગ્ન એ બે વ્યક્તિના નહિ પરંતુ બે કુટુંબનું  મિલન છે, સબંધ છે તેમનું ધ્યાન રાખજે. કેહવાય છે ને કે 'દીકરી એ સાસરે ગયા પછી માવતરના મોહ ન રખાય' તું પણ તેનું ધ્યાન રાખજે. આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા જ રેહ્વાના, પરંતુ તારા ઘરનાની સગવડ સાચવીને અહી આવજે તેમને તકલીફ ન પડે તે ભૂલતી નહિ.તારા વગર ઘર સુનું લાગશે પણ તને તારા ઘરે મોકલવાનો સમય આવી ગયો છે બોલતા બોલતા જ માં-દીકરીની આંખમાં પાણી આવી ગયા.

લગ્ન થઇ ગયા. બને હનીમુન પરથી પણ આવી ગયા અને હવે બને
પોતાની રોજીંદી જીંદગીમાં જોડાય ગયા હતા. આદર્શ સવારે જ ટીફીન લઈને ઓફીસ ચાલ્યો જતો અને રાતે પરત આવતો. આજ્ઞા તેની સાસુના કેહવા મુજબ ઘર કામ કરતી અને  ઘરના રીત-રીવાજ, નીતિ-નિયમો પ્રમાણે જ ઘરમાં રેહતી. પરંતુ વર્ષોથી સાસુ-વહુના મત ભેદ તો રેહતા તે અહી પણ પરંપરા ચાલુ જ હતી. આજ્ઞા કશી જ ફરિયાદ ન કરતી અને પોતાની ફરજ/જવાબદારી જ માનતી અને ઘરકામ કર્યે રાખતી. સાસુ બીમાર પડ્યા ત્યારે દિવસ-રાત તેની સેવા કરી ત્યારે સૌ કહી ગયા કે વહુ બહુ સારી છે. સમજુ છે. આદર્શ પણ આજ્ઞાથી ખુશ હતો કોઈ ફરિયાદ ન હતી. આજ્ઞા ઘરકામમાં એટલી ગૂંચવાઈ ગઈ હતી કે તેને પિયર જવાનો સમય પણ ન રેહતો પણ તે કદી જીદ ન કરી કે મને બે દિવસ ત્યાં જવા દો, માં ના શબ્દોને અનુસરતી હતી. પિયરમાં કોઈ પ્રસંગ હોઈ ત્યારે હાજરી આપતી પરંતુ આદર્શ કયારેય સાથે ના આવતો અને બોલતો કે મને આ બધું પસંદ નથી મને તારા કુટુંબમાં જવાનો કંટાળો આવે છે, મને ત્યાં નથી ગમતું માટે તારે જઈ આવવું અને કોઈ મારા માટે પૂછે તો કઈ બહાનું આપી દેવું. એટલું જ નહિ આદર્શ અહી કોઈ પ્રસંગ હોઈ તો સમય કરતા પેહલા હાજર થઇ જાય અને આજ્ઞાને પણ વેહલા પહોંચવાની સલાહ આપે. આદર્શ કોઈ વાર ફોનમાં પણ પોતાના સાસુ-સસરાના સમાચાર ન પૂછે તેમજ સાસુ સસરા પણ ખબર-અંતર ન પૂછે. આજ્ઞાને તેની માં ના શબ્દો યાદ હતા પણ તે વિચારતી શું આ માટે જ માં-બાપ દીકરીને મોટી કરે છે? દીકરો ઘર છોડે ત્યારે માં-બાપ અને સમાજ કહે છે કે પેટે પાટા બાંધીને મોટા કર્યા-ભણાવ્યા અને દીકરો આજે ચાલ્યો ગયો, શું અમારે કઈ અપેક્ષા નહિ રાખવાની? અમારો કઈ હક નહિ? જયારે દીકરીના માં-બાપ પણ આ જ રીતે દીકરીને ઉછેરે છે પરંતુ તે કહે સાસરી દીકરી પાસે અમારે કઈ અપેક્ષા ના રખાય, દીકરી સાસરેથી મળવા ન આવી શકે તો કહે તું તારે ઘર સુખી રહે તેનાથી વિશેષ અમારે કઈ જ નહિ, તારું ઘર પેહલા અને અમે પછી.  તો શું દીકરીના માં-બાપને દીકરી સમયસર મળવા આવે તેવી આશા પણ ન રખાય?આ તે કેવી જિંદગી છે? દીકરી/સ્ત્રી ત્યાગની મૂર્તિ જે તેમ કહી તેની લાગણી સાથે ક્રૂર મજાક છે કારણ મૂર્તિને કોઈ લાગણી ન હોય. આ વિચારમાં હતી ત્યાં જ સમાચાર મળ્યા કે તેની માં પડી ગઈ છે અને ચાલી પણ શકે તેમ નથી તેવા સંજગોમાં પણ જયારે માં ને મળવા જતી હતી ત્યારે સાસુએ નાટક ચાલુ કર્યા, મને પણ મજા નથી, તું કાલે જજે વગેરે, અને ત્યાં જ આદર્શ પણ આવે છે અને માં ને સાથ પુરાવતા કહે છે માત્ર પડ્યા જ છે ને? તેમાં શું થયુંરસોઈ માટે બહેન અને કામવાળીબાઈ તો છે જ અને  તેમને પૈસાની ક્યાં તાણ છે એ તો બે પૈસા વધારે આપીને કામ કરાવી લેશે તારે ત્યાં જવાની જલ્દી શું છે? પરંતુ આજ્ઞા હવે કઈ વધારે આદર્શ બોલે તે પેહલા જ બોલી..

આદર્શ
, આજ સુધી મેં તારા માતા-પિતા ને મારા માતા-પિતામાં કઈ ફરક નથી રાખ્યો, પરંતુ આજે હું કહીશ કે તારા માં-બાપ કે તે કદી મારા માં-બાપના ખબર-અંતર પૂછ્યા છે? મને રાજી-ખુશીથી ત્યાં જવા દીધી છે? કહે છે ને લગ્ન બે વ્યક્તિનું નહિ બે કુટુંબનું મિલન છે પણ તમે કદી તે ઘરનાને પોતાના ગણ્યા? શું વહુ માટે જ તે નિયમ છે? જમાય માટે નહિ? તેહવાર આવે ત્યારે પરબ લેવા હમેશા હથેળી ધરીને બેઠા હોય છો અને ત્યારે માવતરની જવાબદારી કહો છો પરંતુ ત્યાના વ્યવહારની કઈ વાત થાય તો મુઠી બાંધી લો છો, માં-બાપ કન્યાદાનમાં હાથ તમારા હાથમાં સોપે છે પણ તમે મારો હાથ ક્યારેય પક્ડ્યો છે?હું તમારી પણ તમે અને તમારા ઘરના મારા ખરા? આ જ સુધીમાં મારા માટેનો ખર્ચ માં-બાપને ત્યાંથી જે વ્યવહાર આવે છે તેમાંથી જ કરેલ છે તમે મને શું આપ્યું અને શું આપવાના? અરે દીકરાવાળા થયા તો શું થયું કોઈ વાર તમારી બહેન/દીકરીને પણ અન્યાય થશે તો શું કરશો? જીવતા વહુના માં-બાપ પાસેથી લે લે કરનાર મૃત્યુ બાદ પણ કફન માં-બાપના ઘરનું કહે છે શું તમે તે પણ લાવી નથી શકતા? જયારે કોઈ મિલકતમાં/બેંકમાં પૈસા રાખવાના મારા નામે કારણ લક્ષ્મીના નામે પૈસા મુકવાથી લાભ થાય છે, કરમાં ફાયદો થાય એટલે મારા નામે પૈસા મુકો છે અને માટે મારી સહી કરાવી લો પણ મને જાણવાનો પણ હક નથી આપતા કે શા માટે સહી કરવો છો? અને પૂછવામાં આવે તો કહો એ તમને ન ખબર પડે તમારું કામ રોટલી કરવાનું છે તે કરો અહી કહી પૂછવાનું નહિવહુ સાસુ-સસરાનું ધ્યાન ન રાખે તો કુટુંબ અને સમાજ વહુની ખરાબીનો દરિયો બનાવે છે પરંતુ જમાય સાસુ-સસરાનું ધ્યાન ન રાખે તો કુટુંબ ને સમાજ કહે એવું તો ચાલ્યે રાખે બહુ ધ્યાનમાં નથી લેવાનું, દીકરીને તો સાચવે છે ને પછી શું તકલીફ છે.તમે આદર્શ પુત્ર જરૂર છો પરંતુ આદર્શ પતિ અને જમાય નથી બન્યા તે હકીકત છે અને હવે મારે પણ આદર્શ વહુ બની નથી રેહવું, મારે સમાજ માટે નહિ મારા માટે જીવવું છે, આજ્ઞા આજે તમારા કોઈની આજ્ઞાનું પાલન નહિ કરે.


Sunday, March 11, 2012

વુમન ડે


ભારતીય નારી દરેક ક્ષેત્રમાં ઉચ હોદા પર
આપને ત્યાં દેવીઓનું નામ પ્રથમ લેવામાં આવે છે, જેમ કે, રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ, તે ઉપરાંત દીકરીનો જન્મ થાય તો કેહવાય કે લક્ષ્મી આવી, ઘરમાં વહુ આવે ત્યારે પણ કેહવામાં આવે છે કે લક્ષ્મી આવી. આપના સમાજમાં સ્ત્રીને એક શક્તિ તરીકે માનવામાં આવે છે એટલું જ નથી ‘દુર્ગા મા’, ‘અંબા મા’, ‘લક્ષ્મી મા’ તરીકે પૂજવામાં આવે છે પણ પોતાના ઘરે પત્ની/મા પર જુલમ કરતા હોય છે. સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે સમાજ કહે છે કે સ્ત્રી પુરુષ સમોવડી બની છે પણ શા માટે સ્ત્રીને નબળી માનવામાં આવે છે, પુરુષને શા માટે ઉંચો માનવામાં આવે છે. સ્ત્રીની શક્તિ છે જ કે તે કોઈ પણ કામ કરી શકે પણ ક્યારેય વિચાર્યું છે કે શું પુરુષ સ્ત્રી સમવડો બની શકશે?સ્ત્રી નોકરી/વ્યવસાય કરી હોય તો ઘરની જવાબદારી પણ સાથે નીભાવે છે પણ શું કોઈ પુરુષ આ બને કામ કરી શકે છે? જેમ કે, ઘરની રસોઈ બનાવવાની આદત હોવી, બાળકો સાચવવા, માતા-પિતાની સેવા કરવી વગેરે,.શાયદ ક્યારેય તે સ્ત્રી સમવડો નહિ બની શકે. જે કામ સ્ત્રી હસતા-હસતા કરે છે તે કામ પુરૂષ કરી શકે છે?

દરેક સ્ત્રી પોતાની તાકાત મુજબ જે કામ કરી શક્તિ હોય તે કરે, તેને સ્વતંત્રતા હોવી જોઇએ કે પોતાની જિંદગીના નિર્યણ તે પોતે લઇ શકે. તેના અસ્તિત્વને ભૂસી નાખવાને બદલે તેને યાદગાર બનાવી શકે તે માટે પ્રોત્સાહન આપવું જોઇએ. સ્ત્રીએ જ સૌ પ્રથમ સ્ત્રીને સમજી તેને માન આપવું પડશે, જયારે સાસુ વહુને એક વહુ તરીકે નહિ પરંતુ એક સ્ત્રી તરીકે/દીકરી તરીકે સમજશે ત્યારે કોઈ ઘરમાં ઝગડા નહિ હોય, દેરાણી-જેઠાણી, નણડ-ભોજાઇ એક સાથે વુમન ડે ઉજવશે.