Tuesday, February 17, 2015

વિચારબિંદુ-૭


બેટા રસ્તા ઉપર ચાલતા ચાલતા ન ખવાય,બેટા જમવા બેસીએ ત્યારે ચપલ ઉતારીને બેસાય,નિરાતે બેસીને ખવાય,ટી.વી. જોતાં જોતાં ન જમાય,વગેરે વગેરે... આપણે સૌ નાના હતા ત્યારે આપણાં વડિલ આપણને આ બધુ શિખડાવતા અને તેનું પાલન પણ કરતા. પરંતુ સમય જતાં આ બધુ જાણે અજાણે અવગણના થાય છે,અગાઉના જમાનમાં પ્રાસંગિક જમણવાર ઘર આંગણે અથવા ભાડૂતી જગ્યામાં કરવામાં આવતું ત્યારે આવનાર સૌ મેહમાનને આસન કે ટેબલ ઉપર બેસાડી યજમાન તેમજ અન્ય સગા/સબંધી દ્વારા ભોજન સમયે ભોજન પીરસવામાં આવતું, આગ્રહ કરવામાં આવતો,કોઈએ શું નથી લીધું તેની ખાસ તકેદારી રાખવામા આવતી. જમણવારમાં 5/6 વાનગી હોય પણ તે પ્રેમથી બનાવવામાં આવતી અને જમાડવામાં આવતી. મેહમાનને ભગવાન સ્વરૂપ ગણવામાં આવતા પરંતુ આધુનિક યુગમાં ઘણા પરિવર્તન આવેલા છે.

ઘરે સત્યનારાયણ દેવની પુજા હોય કે  ભાગવત કથા જમણવાર તો થાય જ પણ બુફે ડિનર, અને ભોજનમાં ચાપડી ઊંધિયું/પાઉં ભાજી વગેરે...માતાજીનાં લોટા હોય તો પણ જમણ બુફે...!!! તેમાં આવનાર સૌ ગૌણીઓ ચપલ પેહરીને પ્રસાદ લે છે!!! આપણાં સંસ્કાર યાદ આવે છે, માં કેહતી બેટા ચપલ પેહરીને ન જમાય અને આ તો પ્રસાદ છે કઈ રીતે લેવો? બુફે લંચ, વાતો કરતાં કરતાં સૌ જમે... માં કેહતી બેટા જમતી વખતે બહુ વાતો ન કરાય, શાંતિથી જમી લેવાય, અહી તો વાતો કરતા કરતા પ્રસાદ લેવાતો હોય.. કોઈ ફેમિલી પાર્ટી/ગેટ ટુ ગેધર હોય તેમ અમુક લોકો પ્રસાદ લઈ ને જતાં રહે,દર્શન કરવાનું પણ યાદ ન આવે. નાના બાળકો હોય તેમને અને વડીલને બુફે જમણમાં ખૂબ તકલીફ પડે છે. ગિરનારની પરિક્રમામાં આવનાર સાધુ બાવા વર્ષોથી બુફે ડિનર/લ્ંચ કરતાં આવ્યા છે અને આજે આપણે પણ!!!!!! માં ઘણું શિખડાવતી અને ઘણું યાદ છે પણ અમલમાં ભાગ્યે જ આવે છે, બાળપણમાં જો નિયમનું ઉલંઘન કરીએ તો માં-બાપનો માર/ઠપકો મળતો અને આજે માં-બાપના આદર્શોનું (ચપલ ઉતારીને/બેસીને/શાંતિથી બોલ્યા વગર) પાલન કરીએ તો સમાજ કહે આ તો વેદિયો છે/ચીકણો છે. ઘણા વિદ્યાર્થી પરીક્ષા સમયે ગોખણપટી કરતા, પરીક્ષામાં સારા માર્કસથી ઉતીર્ણ થતાં અને પરીક્ષા પૂરી એટ્લે બધુ ભૂલી જાય તેમ આપણે સૌનું એવું જ છે, સંસ્કાર/આદર્શ માત્ર ઘરના દરવાજા સુધી જ!!!

વિચારબિંદુ-૬

જ્યારે શાળામાં હતા ત્યારે scoring studentમાં મારૂ નામ આવતું, કોઇવાર 1st/2nd અને કોઈવાર 10th rank પણ આવેલ છે. School days માં parents બાળકને 1st આવવા માટે ખૂબ પ્રેસર કરે છે અને rank જો પાછળ આવે તો તેને દિનભર પઢાઈ કરવા માટે સતત રોકટોક કરે છે. અમારા માં-બાપ અમને ઓછા માર્કસ આવવા બદલ ઠપકો ન આપતા તેમજ અમે નીરસ થઈ જતાં તો અમને હીમત આપતા, આશ્વાસન આપતા અને એટ્લે જ અમે આગળ વધ્યા.જેમ શાળામાં બાળકને શરૂઆતના દિવસોમાં તકલીફ પડે તેમ લગ્નબાદ સૌ કોઈના ઘરમાં નાની મોટી તકલીફ આવે જ છે. પરંતુ સમય જતાં બધી સમસ્યાનું નિવારણ આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં સાસુ-વહુમાં જગડા થતાં હોય છે તો કોઈ સમયે દંપતિમાં,આવા સમયે કોઈ ને કોઈ અલગ થવા માટે પ્રેરિત કરતાં હોય છે અને એટ્લે જ કોઈ સમયે પતિ-પત્નિ નાના નાના જગડામાં જુદા પડી જાય છે તો કોઈવાર ઘર કંકાસને કારણે દીકરો વહુ ઘરથી જુદા થઈ જાય છે. પરંતુ અમારા માતા-પિતાએ અમને કદી એ રસ્તો અપનાવવા કીધેલ નથી અને આજે પણ તેમની શિક્ષા જે શાળા દરમ્યાન આપતા તે યાદ આવે છે કે નીરસ નહીં થવાનું, આગળ વધવાનું, થોડી વધારે મેહનત કરવાની, ભૂલ છે ત્યાં સુધારવની અને એ જ શિક્ષા અમે જીવન સંસારમાં અપનાવેલ છે એટ્લે જ આજે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. જેમ શાળામાં ઓછા માર્કસ આવે ભણવાનું ન છોડેલ-ફેઇલ શબ્દ ત્યારે પણ સ્વીકારેલ ન હતો તેમ આજે ગૃહસ્થીમાં પણ નાની મોટી સમસ્યા આવ્યે ફેઇલ શબ્દ સ્વીકારેલ નથી. ઘરના સભ્યોથી અલગ ન થતાં તેમાં જ સુલેહ કરી પાસ થવાનું અને એ જ અમારા માં-બાપના સંસ્કાર અને આશીર્વાદ.

ઘરે ઘરે નળ છે અને નળમાં ડોળું પાણી છે અને એટ્લે જ ઘરમાં ફિલ્ટર પ્લાન્ટ આવ્યા છે અને તે પાણી વાપરવમાં આવે છે, તેવી જ રીતે ઘરે ઘરે વાસણ ખખડવના અને જનરેશન ગેપને કારણે જગડા થવાના પરંતુ વ્યવહારમાં અને સબંધમાં ફિલ્ટર પ્લાન્ટની જેમ ફિલ્ટરિંગ કરવાનું.

(શાળાએ જતું બાળક શરૂઆતના દિવસોમાં રોવે છે, તેને શાળા એ જ્વું નથી ગમતું પરંતુ શિક્ષક તેને સાચવી લે છે, શિક્ષા આપે છે અને ત્યારબાદ  જેમ જેમ તે સમજુ થતાં જાય તેમ તેને શાળા એ જવાની આદત પડી જાય છે તેને રોવું નથી આવતું અને તેને ખ્યાલ આવે છે કે આગળ આવવા માટે ભણવું જરૂરી છે તેમ લગ્નબાદ શરૂઆતના વર્ષોમાં સ્ત્રીને શાયદ આકરું લાગે, રોવું આવે, ઘર યાદ આવે પરંતુ જો ઘરની વડીલ વ્યતક્તી તેને શરૂના દિવસોમાં સાચવી લે, તેની લાગણી સમજી લે તો સમય જતાં તે રાજી ખુશીથી પોતાના ઘર સંસારમાં ડૂબી જાય છે. શાળામાં 10 અને 12માં ધોરણમાં માં-બાપ તેના સંતાનને ભણતરમાં ખૂબ ધ્યાન આપે છે, સારા માર્કસ આવે તે માટે ચિંતિત રહે છે પરતું 10/12 સારા માર્કસ આવતા ચિંતા થોડી ઓછી થઈ જાય છે તેમ ઘરના વડીલ વહૂની ડીલવરી સમયે પૂરતું ધ્યાન આપે એટ્લે 10/12 ની પરીક્ષા પૂર્ણ સમાન છે. જેમ સંતાનની બાળ અવસ્થાથી પુક્ત અવસ્થા સુધી તેને દરેક સ્ટેજ માટે વિચારધાર આપનાવવામાં આવે છે તેવી જ વિચારધારા આવનાર વહુના દરેક સ્ટેજ પર  અવસ્થા સમજી જો અપનાવવામાં આવે તો જગડાનો અંત આવી જાય).