Thursday, September 29, 2011

નવરાત્રિ

નવરાત્રી એટલે આદ્ય-શક્તિની આરાધના માટેના નવ દિવસો. જે દરમ્યાન શ્રદ્ધાળુઓ આદ્ય-શક્તિની આરાધના-ઉપવાસ કરીને, માતાજીના ગરબા ગાયને, અનુષ્ટાન કરે છે. એટલે કે નવરાત્રી એક શક્તિની ઉપાસનાનું પરંપરાગત પર્વ છે. નવ દિવસો સામાન્ય રીતે કુમારિકાઓ ગરબે ઘૂમે છે. શક્તિ એટલે કે માતાજીના ગરબા-રાસ ગાય છે. નવ દિવસ કુમારિકાઓ રાસ લે છે, તેમના વડીલ ગરબી મંડળની બાળાઓને રાસ લેતા નિહાળીને આનંદ અનુભવે છે. રાત્રીના મોડેથી નિયત સમય ગરબી લેતી બાળાઓ માતાજીની આરતી કરે છે અને અંતે દાની રહેલ સર્વે પ્રસાદી મેળવીને નોરતાના દિવસોમાં ભાગ લીધાનો સંતોષ માની છુટા પડે છે. 


આપણા દેશમાં બધા દેવ-દેવીને સન્માનવામાં આવે છે. દેવીને એક શક્તિનું સ્વરૂપ સમજવામાં આવે છે. અંતે તો શક્તિ-દેવી એક માં જ છે.માં નું સન્માન કરવું સનાતન ધર્મના પાયામાં છે. દરેક ધર્મોના કુટુંબમાં શાખ-અટક્વાર એક કુળદેવી હોય છે અને પ્રસોગોપાત કુળદેવીને નૈવૈધ્ય ધરતા હોય છે. આ દેવીઓએ જુદા-જુદા સમયે જુદા-જુદા દૈત્યો-દાનવો અને અસુરોને નાશ કર્યાની વાર્તાઓ કે દંત કથાઓ દેવીના નામ સાથે સંકળાયેલ છે. આમ, દેવી- શક્તિ આપણું રક્ષણ  કરે છે માટે આપણે તેને ભજીએ છીએ , તેના દિવસો નવરાત્રી ઉજવીએ છીએ. આ દેવીમાં શક્તિનું અનુષ્ઠાન કરીને પાવન થવા પ્રયત્ન કરીએ છીએ. 

નવરાત્રી એટલે માં ભગવતીની આરાધનાના નવ દિવસોનો સમૂહ. નવરાત્રીમાં કુમાંરીકાના નિર્દોષ રાસનું મહત્વ છે, ઘણી જગ્યાએ નવરાત્રીમાં ફક્ત પુરુષો જ ચોક્કસ વસ્ત્રો પેહરીને માતાજીના ગુણગાન ગાય છે,કોઈ જગ્યાએ દેવી પૂજકો માતાજીના ડાકલા વગાડીને-ધૂણીને નવરાત્રી મનાવે છે. આપણા દેશમાં અનેક દેવ-દેવીના નામ પ્રચલિત છે. જેની શ્રદ્ધાળુઓ ઉપાસના કરે છે. પરંતુ આ દેવીના નામને પોંરાણીક આધાર મળતો નથી. કેટલીક દેવીના નામ દેશવ્યાપી છે તો કેટલાક નામ પ્રદેશ, જીલ્લા કે તાલુકા કક્ષાના છે. જેમ કે, સંતોશીમાંનું નામ વેદ-પુરાને આધારે નથી, તે એક કલ્પનાની દેવી છે. તેમ છતાં તેમના વ્રત-નિયમો કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. આપણો દેશ પરંપરાનો દેશ છે. જેમાં વિવિધ તેહવારો તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. ગણપતિ ઉત્સવ ફક્ત પરમ્પરાગત ઉત્સવ છે, દેશના આઝાદી સંગ્રામ સમયે દેશપ્રેમના ઉમંગ માટે સભા-સરઘસ પર બંધી હતી અને એટલે સ્વ. બાલગંગાધર તિલકે ગણપતિ ઉત્સવની મહારાષ્ટ્રમાં શરૂઆત કરી. તેની ધર્મસભામાં પ્રવચન કર્યા. આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ખુબ જ ઉમંગથી ઉજવાય છે.પરંતુ આજે દરેક ઉત્સવ કે ઉજવણીમાં પરંપરાને બાજુમાં મુકવામાં આવી રહ્યો છે. બીજા શબ્દોમાં નવરાત્રી ઉત્સવને સમયની અસરે નવો રંગ લાગ્યો છે. નિર્દોષ બાળાઓના રાસનું સ્થાન અર્વાચીન રાસે લીધું છે જેમાં ભક્તિનો અંશ માત્ર નથી. ફક્ત મનોરંજન, પ્રદુષણનો ફેલાવો છે, પૈસાની બરબાદી અને અંગ-પ્રદર્શન વગેરે છે. ઘણીવાર આ સુધારાથી સમાજની વિકૃતિને મદદ મળે છે. આજની નવરાત્રી ઉત્સવ અર્ચના- આરાધનાનું પર્વ મટીને ફિલ્મી રાગડા, અવાજનું પ્રદુષણ અને મોડે સુધી જાગીને ખાવાપીવાની ઉજવણી કરવાનો સમય હોવાનું માની શકાય. નવરાત્રીમાં ગવાતા ગરબામાં પણ સમાજની પ્રવતમાન સમસ્યાના દર્શન થતા હોય છે. આઝાદીના સમયમાં 'ભારતમાતા' ના રાસ થતા. ગાંધીના ગુણાનુવાદ રાસમાં જોવા મળતા. જેમ કે. રેંટીયે લેજો બાપુજીનું નામ, .. વગેરેને આધારે કુચ-કદમના પણ રાસ થતા. પરંતુ આધુનિક સમયમાં ટી.વી.,મોબાઈલની અસર નીચે આધુનિક વસ્ત્રો, ચણીયા-ચોળી વગેરે પેહરીને બહેન-દીકરીઓ અર્વાચીન રાસ રમે છે. ડિસ્કો અને ડી. જે. ને સહારે નાચે છે. જેમાં ગરબો અને માતાજીનું ધાર્મિક મહત્વ મહદ અંશે મામુલી છે.

શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી તેના મૂળ સ્વરૂપને ભૂલીને મહદ અંશે મનોરંજનની રાત્રીમાં સમુહમાં પરિવર્તન થયાનું માની શકાય.

નવરાત્રી મહોત્સવ પેહલા ચોમાસાની ઋતુ આવતી હોય અને ભાદરવાનો આકરો તડકો જે બીમારી લાવે છે તેના રક્ષણ માટે રાસ-અંગ કસરત, દીવા-ધૂપથી જીવાત નાશ પામે, શરીશ્રુપો જમીનમાં પાછા જાય અને દીકરી રાસ-ગરબા ગાય તેથી ગાળા શુદ્ધ થાય. આમ, નવરાત્રી એક આરોગ્યમય દિવસોનો સમૂહ ગણવામાં આવે તો પણ સ્વીકારી શકાય. ઉપરાંત આપણો દેશ ખેતી પ્રધાન છે અને આ સમયગાળા દરમ્યાન ખેતરની ઉપજ પાકવાની તૈયારીમાં હોય ત્યારે સર્જન અને વિસર્જનના પ્રતિક સ્વરૂપે દેવી-શક્તિનું અનુષ્ઠાન કરીને તેના ચરણોમાં ખેત-ઉપજ ધરવાની પ્રથા પણ હતી.

Sunday, September 25, 2011

શ્રાદ્ધ

શ્રદ્ધાથી કરવામાં આવે તેનું નામ શ્રાધ. આપના સ્વર્ગસ્થ વડીલના સન્માન અને ઓળખ માટે કરવામાં આવતી વિધિ એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ કર્મથી આપના વડીલ કોણ હતા, તેઓ ક્યાં દિવસે અવસાન પામ્યા તેની ચર્ચા થાય છે. એટલે તેમનું  ગુણાનુવાદ  થવું જોઈએ અને તેમની યાદમાં કુટુંબ/બ્રાહ્મણ જમણ થાય છે. જૂની પેઢીના કુટુંબના બ્રાહ્મણ ગોર તેમના યજમાનોના કુટુંબની સારણી (આંબો) રાખતા તેથી યજમાને તેમની અગાઉની સાત પેઢીની માહિતી મળતી. આ પદ્ધતિ લુપ્ત થઇ જાય છે, પિતાનું નામ ટૂંકમાં લખવાની આદત પડી છે ત્યારે શ્રાદ્ધનો અર્થ રેહતો નથી. શ્રાદ્ધ અત્યારે નિયત દિવસે પિતૃ જેવું બનતું જાય છે. આ સમય મૃતકના નામ-કામ-પ્રગતિ-આબરુની ચર્ચા થતી, જે હવે જોવા નથી મળતું. જમવા આવેલ સૌ કોઈને મૃતકના પિતૃના નામની જાણ હોતી નથી, ફક્ત જમણવાર થાય છે ત્યારે બિચારો કાગડો તમારા પિતૃનું નામ યાદ રાખી છાપરા ઉપર ઉડાડેલ ખીર-દુધના લોન્દાને પિતૃ પાસે પહોચાડવાની કામગીરી કરશે. 

મૃતકને ૩ વર્ષ થાય ત્યારે પિતદાન-સરવણી કરીને તેને શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે અને ત્યારથી શ્રાદ્ધ કરવામાં આવે છે. પિંડદાન બનાવેલ દરેક પિંડ મૃતકના શરીરના ૧-૧ અંગના પ્રતિક સમાન  છે.યજુર્વેદ પ્રમાણે જીવાત્માનો પુનઃજનમ થાય છે તેના આધારે પિંડદાન થાય છે. આપનો સમાજ પુરુષ પ્રધાન હોયને પિતૃ એટલે પિતામહ તેવી ધારણા છે. પરંતુ સરવણી વખતે પિતાના પક્ષમાં પાંચ પિતામહ: અને માતૃપક્ષના પાંચ માતૃમાહને નામથી અંજલી આપવામાં આવે છે એટલું જ નહિ તે સમયે અવશાન પામેલ  પાડોશી તેમજ સ્વર્ગસ્થ મિત્રોને પણ અંજલી આપવામાં આવે છે. પિતામહ અને માતામાહના નામ યાદ ન હોય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ગંગા, જમના, સરસ્વતી બોલીને અંજલી આપવામાં આવે છે. શ્રાદ્ધમાં પિતૃને પાણી પીવડાવવાની પરંપરા છે તેની પાછળ  આ ક્રિયા ચાલુ કરનારનો ચોક્કસ હેતુ હશે જ. આ દિવસોમાં પીપળામાં પિતૃ આવીને આવી વસે તે તાર્કિક નથી. પરંતુ વર્ષ એકાદવાર પીપળાને પાણી પાયને વનસ્પતિ પ્રેમ જાળવવાના આશય માની શક્ય અને આ દિવસોમાં પીપળામાંથી નીકળતા કિરણો રજમાંથી આપના આરોગ્યનું રક્ષણ થાય છે. આપનો દેશ ખેતી પ્રધાન છે, ચોમાસાના દિવસોમાં ખેતી, વાવણી, નિંદામણ જેવી મજુરી કરીને શ્રમ થયો હોય છે અને તેની જે શારીરિક પોષણની ઉણપ ઉભી થાય છે તેની પુષ્ટિ માટે શ્રાદ્ધના દિવસોમાં પિતૃને યાદ કરીને સ્વાદિષ્ટ મીઠાઈ,લાડુ-ખીર, બાસુંદી જમાડવામાં આવે છે. જેથી મહેનત કરી માણસની પોષણની ખામી દુર થાય છે. આપને દરેકવાર તેહવાર કે ધાર્મિક પરંપરાગત ઉજવણીમાં આરોગ્યનો હેતુ પણ સમાયેલ  હોવાનું ગણી શકાય. પરંતુ અત્યારે આ બધું માત્ર એક ફોર્માલીટી જેવું થઇ ગયું છે. કોઈ પરાણે કરે છે તો કોઈ ડરથી...

શ્રાદ્ધપક્ષમાં પોતાના પૂર્વજોની તિથી પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે પરંતુ મા-બાપને, પિતૃને શા માટે શ્રાદ્ધના દિવસોમાં જ યાદ કરવા?તેમને સાચા દિલથી જ યાદ કરવા  હોય તો ગમે તે દિવસે શ્રાદ્ધ કરી શકાય. તે ઉપરાંત દર ૨-૩ મહિને, અમુક તિથી-વાર પ્રમાણે પણ ભેગા થઇ તેમની સ્તુતી કરી શકાય. આપણે ત્યાં શ્રાદ્ધની વિધીને બદલે ભોજનને જ મહત્વ આપવામાં આવે છે અને આજકાલ તો ફેશન છે કે શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ અને સબંધીને રેસ્ટોરન્ટમા જ જમાડી દેવાના! સમયની મારા મારી છે, ઘરે કંકાશ અને કામની ચિંતા છે એટલે આ બધું ચાલે. (બ્રાહ્મણને પણ હવે લાડવા ને બદલે બીજી મીઠાઈ ભાવે છે). જેમ બર્થડેમા બહાર જમવા ભેગા થાય એમ જ બધા અહી ભેગા થાય અને છૂટા પડે, પિતૃને ભૂલથી યાદ કરે. અરે હા, આ શ્રાદ્ધમા પણ સગવડીયો ધરમ છે, પિતૃની તિથી યાદ ન હોય તો અમાવસ્યાને દિવસે શ્રાદ્ધ કરી શકાય. આ તે કેવું? શ્રાદ્ધ છે પણ તિથી યાદ નથી! કોઈ કુટુંબ/વ્યક્તિ હમેશા મુશ્કેલીમાં જ રેહતો હોય, દુખ અવારનવાર આવતા હોય ત્યારે કહે પિતૃ નડતા હશે, એટલે વિધિ કરાવી લો,ઘણા આવી વિધિ કરાવે છે અને બોલતા હોય છે કે જો પિતૃ નડતા હશે તો હમણાં આવશે, તો કોઈ કેહતા હોય છે કે પિતૃ નડતા હતાને એટલે વિધિ કરાવી. જીવતા સાચવ્યા નહિ, ત્યારે નડતર ને કળતર ગણાતા અને હવે સુખી નથી, પ્રગતિ નથી થતી ત્યારે તેમાં પણ દોષ પિતૃનો?અરે પિતૃ એટલે આપના વડીલ અને કોઈ દિવસ મા-બાપ અહિત ઈચ્છે?માં-બાપને તેમની હયાતીમાં સુખ-ચેન આપીએ નહિ અને તેમના અવશાન બાદ પિતૃ નડે છે તેમ કેહવું એટલે અવશાન પામ્યા બાદ પણ માતા-પિતા, વડીલો સામે ફરિયાદ જ કેહવાય.જીવતા જ તેમને સાચવ્યા હોય તો આવો પ્રશ્ન ન આવે. એ તો જે સંતાને તેમને તરછોડ્યા હોય તેમને આશીર્વાદ આપે છે કે તારા સંતાન તને સાચવે, અમારા જેવું ના થાય. પોત્ર/પોત્રીની સુખ-સમૃધી માટે પણ પ્રાથના કરતા હોય છે. ફરિયાદ એ કર્મકાંડીની વ્યવસાયિક આવડત છે. અને પેહલા ભૂલ કરો અને પછી માફી માંગવાની આ કેવી પ્રથા? જીવતી મા ને તરછોડે છે અને તેની જ હાજરીમાં બાપનું શ્રાદ્ધ કરે છે કે તમે કઈ હેરાન થતા હોય તો કહો, અમે વિધિ કરી તમને મુક્ત કરી, તમારી ઈચ્છા પૂરી કરી અને જો બાપ કહે કે તારી મા ને સારી રીતે સાચવજે તો શાયદ કેહશે અમે તેની પાછળ પણ આ શ્રાદ્ધની વિધિ કરી મુક્ત કરી દેશું અને અમે પણ મુક્ત થશું તમે તેની ચિંતા ન કરો. સામાન્ય રીતે જો કોઈના ભાઈ-બહેન, દીકરો-દીકરી કે અન્ય કોઈ પોતાનાથી કોઈ કારણસર એટલે કે લગ્ન થવાથી, ભણવા માટે, નોકરી માટે વગેરે,, તો તેમની ગેરહાજરીમાં સામાન્ય રીતે તેમને ભાવતી જમવાની વસ્તુ બનવાનું ટાળવામાં આવે, મા-બાપ કહે તેના વગર ગળે પણ ઉતરતું નથી, તેને બહુ જ ભાવે, અત્યારે ત્યાં શું ખાતા હશે? અહી જેવું તો ન જ થાય ને વગેરે...અને શ્રાદ્ધમાં ને મરણ પાછળ થતા જમાનમાં તેમની ભાવતી વસ્તુ બનાવવામાં આવે અને ગામ જમણ પણ થાય! આ દિવસે કાગવાસ કરવામાં આવે છે એટલે કે કાગડાને વાસ નાખવામાં આવે છે, કહે છે પિતૃ આવીને લઇ જાય છે. પિતૃ કાગના સ્વરૂપમાં આવે છે વગેરે.. સૌ પ્રથમ જો તે આપના પિતૃ હોય તો તે ચોરી છુપીથી કેમ આવે? અને આપણે તેને અગાસી પર કે મેદાનમાં વાસ નાખી દઈ? અરે કાગડો તો ગમે ત્યારે આવે ત્યાં સુધી વાસ-ખોરાક ખુલ્લો રહે,મતલબ પિતૃને ધૂળ-ધૂપથી ચડેલો પ્રસાદ આપવાનો! અને શબ્દો પણ સાંભળો..કાગને વાસ આપવાનો છે/આપવાનો બાકી છે તેને બદલે કાગને વાસ નાખવાનો છે/નાખવાનો બાકી છે/નખાઈ ગયો. અરરરર. આવા શબ્દો પિતૃ માટે!!!!!  સામાન્ય જનતા એવું માને કે સારા કામ આ દિવસોમા ન કરાય. શા માટે? કોઈને મકાનનો દસ્તાવેજ કરવો હોય, વાહન/સોનું લેવું હોય, સંતાનના સગાઇ-સગપણ કરવા હોય તો આ દિવસો ટાલે ળે છે; પરંતુ આ પિતૃના દિવસો ગણાય અને આ દિવસોમા જયારે તેમને યાદ કરતા હોય ત્યારે કોઈ સારું કામ કરી તો તે ખુશ થાય, તેમના આશીર્વાદ મળે તો પછી આ દિવસોને ખરાબ કેમ ગણવામાં આવે છે? 

પણ કાગડા ખરેખર ખુશ થતા હશે કે આ ગોલમાલ જમાનામાં પણ ક્યારેક તો ક્યારેક લોકો આપણને યાદ કરે છે, એકબીજાને જોઈને બોલવા લાગે આ લોકો આપણને  ખીર-રોટલી/પૂરી ખવડાવે છે. બધા કાગડા ભેગા થઈને કેહતા હશે કે થોડા દિવસ તો આપણને સારું સારું જમણ મળશે, so let’s party. કાયમી દિવસોમાં તો આપણને બોલતા સાંભળી જાય અને તેમાં પણ વહેલી સવારે તો ક્રોધ કરે, બોલે સવાર-સવારમાં આ કાગડો કાં-કાં કરવા લાગ્યો છે જરૂર આજે મહેમાન આવશે, અત્યારથી ટેન્શન આવી ગયું (આ જમાનામાં મહેમાન કોઈને ગમતા નથી ને) અથવા સવારથી જ બહાર જવાનો પ્રોગ્રામ બનાવી લે જેને લીધે મહેમાનને પાછુ જવું પડે. & at the end of party might be they will say- Many many happy returns of the day. (બાર બાર એ દિન આયે,બાર બાર દિલ એ ગયે તુમ મરો હજારો બાર.. એ મેરી આરુઝુ – Happy Death To you, Happy Death to You…) & & & Happy bhadarvi ekam/bij/trij. Amas. See you next year. Miss u. 

સમાપનમાં એટલું જ કહી શકાય કે શ્રાદ્ધમાં શ્રદ્ધા છે.

Wednesday, September 21, 2011

બી. પી. એલ.


                                          
 
                                                                
 

                                            





(બધા પિક્ચર ગૂગલ માંથી લેવામાં આવેલ છે, કોઈને પણ કઈ તકલીફ હોય તો જાણ કરવી).

Wednesday, September 7, 2011

જવાબદાર કોણ?


નાના-મોટા દરેક ઘરમાં હવે વ્યક્તિદીઠ મોબાઈલ જોવા મળે છે. ઘરમાં ૫-૬ વર્ષનું બાળક હશે તો તે પણ મોબાઈલથી રમતું વધારે જોવા મળશે. તેને પણ મોબાઈલમાં ગેઈમ્સ રમવા કયા ઓપ્શન છે, કેમ રમાય તે તુરંત આવડી જાય છે. ગીત સંભાળતા પણ આવડે છે. એટલું જ નથી તેને બધા મોબાઈલ ઓપરેટ કરતા આવડતું હોય છે. માં-બાપ/વડીલોને બોલતા સાંભળ્યા છે કે છોકરાવના હાથમાં મોબાઈલ આવી જાય એટલે જવાબ જ ન આપે, તેને આ બધું બહુ જલ્દી આવડી જાય છે. ધીમે ધીમે છોકરાવ મોટા થાય તેમ તેની તેને આદત પડી ગઈ હોય છે. આ માટે જવાબદાર કોણ? ઘરના લોકો જ તો તેને મોબાઈલ ન આપે તો? તેને પેહ્લેથી જ શીખવવું જોઈ કે આ કોઈ રમકડું નથી, તું તારા ટોયસ અને ગેમથી રમ. ઘણા કુટુંબમાં જોયું છે કે પિતા ઘરમાં ફ્રી હોય ત્યારે મોબાઈલમાં ગેમ રમતા હોય છે તેને બદલે તે પણ જો કોઈ સારા પુસ્તક વાંચવાની વૃતિ કેળવે તો બાળકમાં પણ થોડા ગુણ આવે. સામાન્ય છે કે આજકાલ માં-બાપની ફરિયાદ છે કે તે તેના મિત્રો સાથે વધારે વાતો કરે છે, તેનો ફોન આવે એટલે તેના રૂમમાં જ ચાલ્યા જાય કે દુર જઈને વાત કરે. પણ વડીલો પણ આજકાલ શું કરે છે? ઘરમાં ઘણી વહુ રસોઈ કરતી હોય અને કોઈનો ફોન આવે,કઈ અંગત વાતો કરવી હોય તો નેટવર્ક નથી મળતું કહીને એકાંતમાં જઈને વાત કરશે અથવા કોઈ બહાનું આપી કેશે કે પછી ફોન કરીશ. કોઇ માં પણ પોતાની દીકરીનો  સાસરેથી ફોન આવે ત્યારે વહુ સાથે હોય આગળ પાછલ જઈને વાત કરે છે, તો ઘરના સંતાન શું શીખવાના?  થોડા સમય પેહલા ઘરમાં એક જ ફોન હોય અને તે પણ લેન્ડલાઈન, સામાન્ય રીતે ઘરના બધા સાથે જ હોય એટલે ખબર પડે કે કોનો ફોન હતો, શું વાત થતી હતી પણ હવે એવું નથી રહ્યું. સંતાનને પૂછવામાં આવે કે કોનો ફોન હતો તેને પસંદ પણ નહિ આવે અને ખોટું પણ બોલશે. ઘરમાં હોય કે બહાર, માણસ પૈસા વગર બહાર જતી હશે પણ મોબાઈલ વગર નથી જતી. ૭૦-૮૦ વર્ષના વડીલ પણ રોડ પર વાતો કરતા જોવા મળે છે, એવું  કયું ખુબ અગત્યનું કામ હતું કે રોડ પર જ વાતો કરવા લાગ્યા? સામાન્ય રીતે વાતોમાં કઈ દમ નથી હોતો, માત્ર કેમ છો? શું છે?સગવડ છે તેનો સદુપયોગ થવો જોઈએ. વડીલ બહાર ગયા હોય મોબાઈલ સાથે હોય તો તબિયત બગડે, કોઈ અણબનાવ બને તો મોબાઈલ કામ લાગે પણ અહી વાત છે આદતની. અને સંતાન આમાંથી જ શીખે છે જેમ કે ઘરમાં બધા બેઠા હોય ત્યાર્રે ટૂંકાવીને કે બહાર/રૂમમાં જઈને વાત કરવાની. હવે આપને જ વિચારવું જોઈએ કે વાંક કોનો?