Saturday, April 21, 2012

જૂની પેઢી v/s નવી પેઢી- ફાસ્ટફૂડ પાર્લર v/s મંદિર

આપને ત્યાં વર્ષોથી જૂની પેઢી નવી પેઢીની ફરિયાદ કરતા હોય છે, આજકાલની પ્રજા એટલે બસ બહારનું જંકફૂડ ખાવું ગમે, ફરવું ગમે. કેહતા હોય આપને તો નાના હતા ત્યારથી જ ભગવાનની સેવા કરી, તેમાં માની, વગેરે.. પરંતુ આ લોકોને તો મંદિરે જવાની જાણે બાધા હોય તેમ જાય જ નહિ અને તેમની સામે દલીલ કરવી એટલે આખા દિવસની મગજમારી. સવારની શરૂઆત ભગવાનની ટ્ન્કોરીને બદલે મોબાઈલની રીંગટોન થી થાય અને બ્રેકફાસ્ટમાં પણ બ્રેડ બટરને એ જ બધું ભાવે. જયારે નવી પેઢી કેહતી હોય છે આપના વડીલો તો બસ ભગવાન ભગવાન જ કરતા રેહતા હોય છે. સવારે પોતે ચા નહિ પીવે પણ ભગવાનને પ્રસાદ ચડાવશે, સવારમાં જ અનેક મીઠાઈનો ભોગ ધરશે અને પછી આખો દિવસ નાસ્તા ને ભોજનમાં પ્રસાદ આરોગતા રેહશે, તે કેટલો ઘી વાળો હોય છે, હાથ પણ ઘી-ઘી જ લાગે રાખે. 

આમ, આવા અનેક સંવાદો માં-બાપ અને સંતાનો વચ્ચે થતા રેહતા હોય છે.આવો જ એક સંવાદ.. 

માં: બેટા, ૨ મહિના પહેલા જ પીઝા પાર્લરમાં ગઈ હતી, વારે વારે તે બધું ન ખવાય, તેમાં ચીઝ, મેંદો હોય છે જે ચરબી વધારે છે, અને સાથે તમને કોલ્ડ્રીકસ તો જોય જ. તે હેલ્થી નથી.

દીકરી: માં તમે લોકો પણ દર પૂનમે નાથદ્વારા જાવ છો અને ત્યાનો ઘી થી લોથપોથ પ્રસાદ ખાવ છો તે પણ સ્વાસ્થ્ય માટે સારું નથી ને? અને બહાર નીકળીને રબડી...

માં: બેટા એ તો ભગવાનનો પ્રસાદ કેહવાય અને તે પણ આપને કેટલો ખાય, થોડો મોહનથાળ,થોડી બદામચીકી હોય અને આપને કુટુંબના બધા થોડું થોડું તેમાંથી લે છે.

દીકરી: માં, અમે પણ ક્યાં એકલા પીઝાના બટકા ભરી છીએ? ગ્રુપમાં બધા થોડું થોડું લઇ છીએ.

માં: દીકરી, આ પીઝા, સેન્ડવીચના ભાવ પણ કેટલા વધારે છે, ૨૫૦/૩૦૦. તમારો જીવ કેમ ચાલે છે આટલું મોંઘુ જમવાનું?

દીકરી: માં, નાથદ્વારા કે અન્ય પ્રખ્યાત મંદીરમાં પ્રસાદના ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયા હોય છે અને તેમાં કેટલો આવે છે તને ખ્યાલ જ છે ને? પીઝા પાર્લરવાળા તો ધંધો કરવા બેઠા છે, બીઝનેસ છે પણ ભગવાનને ત્યાં પણ વેપાર? આ પાર્લરમાં તો કોઈ વાર સ્કીમ હોય છે તો મોટા પીઝા સાથે ઘણી વાર કોલ્ડ્રીકસ તો કોઈ વાર અન્ય વસ્તુ ફ્રી હોય છે. અમુક પોઈન્ટ્સ એડ થઇ ગયા હોય તો રીડીમ પણ થાય છે જેના પર સેન્ડવીચ વગેરે ફ્રી મળે છે. ઉપરાંત ૧ પીઝા ખાવાથી પેટ પણ ભરાય જાય છે, પ્રસાદીમાં પેટ થોડું  ભરાય છે?


માં: બર્થ-ડે માં તમારે કેક અને ગીફ્ટ તો ઉભી ને ઉભી જ હોય ,બુકે અને ચોકલેટ્સ તો આપવાના જ. ખોટા ખર્ચા. ગીફ્ટ આપવાથી શું ફેર પડે

દીકરી: માં,દર્શન કર્યા બાદ પ્રસાદના પૈસા પણ આપો જ છો ને? શું ભગવાનનો પ્રસાદ વગર પૈસે ન મળે? મંદિરની બહારથી જ ભગવાનના વેપારી માર્કેટિંગ કરવા બહાર ઉભા હોય છે, ફૂલ-હાર, શ્રીફળ, સાકાર લઇ ને અને ભાવ તો મનફાવે તે લે  છે. કોઈ ગરીબ ભગવાનને માને છે, તેના દર્શન કરવા હજારો કિલો મીટર કાપીને આવે છે, આર્થિક મુશ્કેલી છે ત્યારે અહી આવવાનું માંડ પરવડે છે છતાં  તેને પ્રસાદ માટે ઓછામાં-ઓછા ૧૦૦ રૂપિયા આપવાથી જ પ્રસાદ મળે, આ તો કેવો  ભગવાન માં? અને વાસ્તવમાં ક્યાં ભગવાનના ચરણે મુકેલ પ્રસાદ આપવામાં આવે છે
માં: તમારા લોકોને માત્ર બર્થ-ડે થી સંતોષ જ નથી થતો એટલે જુદા-જુદા દિવસો જેમ કે, ફ્રેન્ડશીપ ડે, વેલેનટાઈન ડે, મેરેજ ડે  વગેરે અલગથી ઉજવવાના. ઉપરાંત ૨૫/૫૦ વર્ષની ઉજવણી કરો કે મોટી પાર્ટી હોય ત્યારે તો અનેક જમવાની આઈટમો પંજાબી, ચાયનીસ, કાઠીયાવાડી, સાઉથ ઇન્ડિયન વગેરે ડીશ રાખી જમવાની વસ્તુનો તેમજ પેટનો બગાડ કરો છો.
 
દીકરી: માં, બા કેટલી અગિયારસ કરતા? ભીમી અગિયારસ, નીમી અગિયારસ, પવિત્રા અગિયારસ. અગિયારસ એટલે અગિયારસ પછી આમાં પવિત્ર ને અપવિત્ર એ શા માટે? અને અપ્વાસમાં આપને ત્યાં જમવામાં શીરો, પૂરી, ચેવડો, વેફર્સ એમ તળેલી આઈટમ કેટલી  બધી બનાવે છે, અને તું જ બોલતી હોય છે આવું જમવાની મજા આવે હો.
 
માં: તમે લોકો ફ્રેન્ડસના બર્થ-ડે પર રાતે જ વિશ કરવા ફોન કરો કે મળવા જાવ. દિવસે આરામથી વિશ કરો તો શું ફેર પડવાનો? અને તું તો સવારે કોલેજમાં મળી હોય તો પણ રાતે ફરી મળવા જા અને પાર્ટી પાર્ટી કરતી હોય છે.
 

દીકરી: માં, તમે પણ મંગલા દર્શન માટે સવારે જાવ છો, કહો છો મંગલા એટલે બધા દર્શન થઇ ગયા છતાં શૃંગાર, રાજભોગ, સંધ્યા આરતીના દર્શન કરવા જાવ જ છો ને? ઘરના મંદિરમાં સવારે નાહ્યા વગર આવવા પણ ન દો અને મંદિરમાં  સવારે ૫ વાગે બ્રશ કર્યા વગર જાવ, આ તો કેવા રીત-રીવાજો? તમે જ કોઈક કેહતા હતાને સવારે નાહ્યા વગર જવાય મતલબ આગલા દિવસમાં જ ગણાય જાય તો ઘરમાં કેમ સવારે નાહ્યા વગર નથી આવવા દેતા? ઘરમાં મંગલા દર્શન  ન કરાય? 
માં: પાર્ટી હોય ત્યારે આગલે દિવસે જ માથું ધોયું હોય તો પણ તે દિવસે ફરીથી ધોવો, સાંજે પણ ફરીથી નાહવાનું અને વગેરે..કોઈ ચીપકુ કે  મણીબહેન ન કહે તે માટે કેટલા નખરા કરો છો.

દીકરી: માં, તેમ છતાં પણ ફરી ઘરમાં આવું ત્યારે તું મને મંદિરવાળા રૂમમાં નાહ્યા વગર ક્યાં જવા દે છે? ફરીથી નાહવું તો પડે જ છે ને. માત્ર કોલેજે ગઈ હોય,સીધી ઘરે આવી હોય તો પણ. ચીપકુ થઇ ને બહાર જવું અમને ન ગમે, ખરાબ લાગે, કોઈ મણીબહેન કહે એટલે કરવું પડે. 

માં: ૨-૨ મહીને જમવાના બહાને બહાર જાવ અને પાછુ ઘરે જલદી આવવાનું પણ નહિ, ત્યાં જમવાની લાઈન પણ કેટલી વધારે હોય છે. ૧ કલાકે તો વારો આવે અને પછી ઘરે આવવામાં પણ મોડું થાય એટલે વાહન સ્પીડમાં ચલાવવાનું.

દીકરી: માં, તમે જુદા જુદા મંદિરની મન્નત રાખો છે અને સાથે નાના-મોટા કેટલા સહેરની મુલાકાત લો છો ને? નાથદ્વારાથી ઉદયપુર જઈ આવો, સોમનાથથી દીવ અને શાશન, અને તુલસી શ્યામ પણ કોઈ વાર દર્શન કરો જ છો ને?

માં: બેટા, એટલે દુર ગયા હોય તો જતા આવી, એમાં શું ખોટું છે? એક જ રસ્તામાં છે ને તે બધું.

દીકરી: માં, અમે પણ જયારે રેસ્ટોરનટમાં જાય ત્યારે જ મોલમાં જાય અને મુવી  જોવા જાય, વારે વારે તો નથી જ જતા ને?

માં: બેટા જુવાન છોકરા-છોકરીની ચિંતા થાય, માણસો કેવા નીકળે ખબર ન પડે, તમને બે સારી વાતો કરે તો તમે ફોસ્લાય જાવ તેવા નાદાન હોવ છો. અને છોકરાવ તો તમારા જેવડી છોકરીને એકલા બહાર નીકળતા જોવે એટલે આગળ  પાછળ જ ફરતા હોય છે.

દીકરી: માં, તમે પણ મંદિરે જાવ ત્યાર અમને પણ ચિંતા થાય છે કે એ ધક્કામાં તમને કઈ થઇ ન જાય, અને તમે પણ કેહતા હો છો ને કે પર્સ અને ચેન વગેરેનું ખુબ ધ્યાન રાખવું પડે, કોણ ક્યારે છીનવી લે ખબર જ ન પડે. કેટલી વારે દર્શન  કરવાનો વારો આવે છતાં ધક્કા તો મફતમાં મળે જ. અને દર્શન થાય તેની કોઈ ખાતરી તો નહિ જ. અને માં, ૩-૪ વર્ષ પેહલા છાપામાં વાંચ્યું હતું ને કે હવેલીના મહારાજ જે સ્ત્રીનો ચેહરો પણ ન જોવાનું નાટક કરતા હતા તે શું શું કરતા  હતા. છતાં સૌ મંદિરે જાય જ છે ને! 

માં: તમે લોકો બહારગામ જાવ ત્યારે ટી.વી.ને મિસ કરતા હોય, મિત્રોને મિસ કરે રાખો., કેહતા હોય યાર આજે તો પેલી નો બર્થ-ડે છે પણ હું ત્યાં નહિ હોવ એટલે બીજી ફ્રેન્ડ ને જ તેની ગીફ્ટ આપી આવી છું.

દીકરી: માં, આપને સૌ ફરવા જાય ત્યારે આપ પણ ઠાકોરજીને મામીને ત્યાં રાખો છો ને જે તમારી બદલે સેવા કરે, ધ્યાન રાખે.  અને તમે રાતે પણ તેમને પોઠાડયા હશે કે નહિ તેની ચિંતા કરો છો ને? મામી બધું ધ્યાન રાખવાના જ છે તો પણ તું ચિંતા કરે છે ને?

માં: બેટા એ તો  ભગવાન છે, તેમાં હું માનું છું. અને વર્ષોથી મારા સાસુ પણ આ જ રીતે કરતા.

દીકરી: મને પણ આ બધું ફાસ્ટફૂડ ને બધું ભાવે છે અને મારી પોકેટમની માંથી જ આ ખર્ચા કરું છું ને? હું માનું છું કે અમુક દિવસે બિન્દાસ રેહવાય, જે કરવું હોય તે કરાય. રોજ તો આપને આપના રૂટીનમાં જ હોય છે તો ચેન્જ માટે કઈ કરવું જોઈએ.

માં: બેટા,અરે રેસ્ટોરનટમાં ભીડ થવા લાગે એટલે જે જમતા હોય તેને જમતા હોય ત્યાં જ પૂછી લે, 'ઔર કુછ સર/મેડમ' અને બીલ આપી જાય. નિરાતે જમવા પણ ન દે, પૈસા આપતા પણ ઉભા કરે. અને ઘરેથી નાના બાળક માટે ખીચડી કે અન્ય કઈ   ખાવાનું લઇ જાય તો ખરાબ લાગે તેમ કહી દે એટલે બાળકને ઘરેથી જમાડીને જ નીકળવું પડે.

દીકરી: માં, તને ખ્યાલ છે ને ૨ વર્ષ પેહલા તું મને પરાણે દર્શન કરવા લઇ ગઈ હતી, મારી ઉંચાઈ ઓછી એટલે મારે ભીડમાં દર્શન ન થયા  અને હું તારા કેહવાથી પાછળની લાઈનમાં ફરી દર્શન કરવા ઉભી રહી ત્યારે મંદિરના કેહવાતા પુજારીએ શું કર્યું હતું? હાથમાં  સફેદ કપડું હતું, એક હાથ વડે બીજા હાથ પર કપડું જાટકતા હોય તે રીતે હાલો હાલો કરતા અને દર્શન પણ ન કરવા દીધા. અને માં યાદ છે ને બાજુવાળા આન્ટીનો બાબો ૪ વર્ષનો હતો, મંદિરમાં પ્રસાદ લીધા બાદ તેને ત્યાં જ  ખાવો હતો, ખુબ રડતો હતો છતાં કોઈએ પ્રસાદ ન આપ્યો કારણ મંદિરમાં પ્રસાદ ન ખવાય. ફૂડ પાર્લરમાં તો બહારની વસ્તુ લઇ આવવાની ના પડે પણ અહી તો અહીની વસ્તુ/પ્રસાદ લેવાની જ ના? અરે, મોટી ઉમરની વ્યક્તિ સમજે પણ બાળક તો ના સમજ છે તેને પણ.. બિચારો કેટલું રડ્યો હતો.

માં: બેટા તમે બીલ ચૂકવ્યા બાદ વેઈટરને ટીપ્સ પણ આપો છો. બીલમાં તો નફો લઇ લેતા હોય છતાં તમે સ્ટેટસ માટે કે દયા ખાઈને ૧૫/૫૦ રૂપિયા આરામથી મૂકી દો છો.

દીકરી: માં-મને જરા સમજાવીશ કે મંદિરમાં લેવામાં કે દેવામાં આવતી સેવકી શું છે? It's a service charge? Tax?

Wednesday, April 11, 2012

સાસુ-વહુ અને નણંદ

સાસુ-વહુ અને નણંદના ઝગડા ૧૭મી  સદીમાં પણ હતા અને ૨૧મી સદીમાં પણ ચાલુ જ છે. આજે, ભણતર બદલ્યું છે, ટેકનોલોજીમાં પ્રગતિ છે, આધુનિકતામાં વધારો થતો જાય છે તેમાં સ્ત્રીના ઝગડા/વાદ-વિવાદ પણ વધતા જ જાય છે. જ્યાં ઘટાડો થવો જોય તે થતો નથી અને તે માટે ઘણા કારણ જવાબદાર છે. એક સ્ત્રી જ જ્યાં સુધી સ્ત્રીને ન સમજે ત્યાં સુધી આ પ્રશ્ન ચાલુ જ રેહ્વાના. અને આ વિષે ઘણા લેખક મિત્રોએ પોતાના વિચારો રજુ કર્યા છે પણ સ્ત્રી લોકો એ જાણે 'હમ નહિ સુધરેંગે'ની કસમ લીધી હોય પોતાના સ્વભાવમાં બદલાવ સ્વીકારતા નથી. આપને ત્યાં સામાન્ય રીતે દીકરી/દીકરા ૨૨-૨૩ વર્ષના થાય એટલે માં-બાપને લગ્ન માટે આતુરતા થાય છે અને તેમના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી ચાલુ કરી દે છે. યોગ્ય પાત્ર મળતા વિવાહ કરવામાં આવે છે અને ઘરસંસાર ચાલુ થાય છે. આજના જમાનામાં જોવા મળે છે કે પતિ-પત્ની એકબીજાને સમજી સાથ આપે છે પરંતુ સાસુ-નણંદ-વહુ વચે ઘરકામ અને અન્ય નાની નાની વાતો માટે કંકાસ થતો જ હોય છે અને ઘરસંસાર સાથે ઘરકંકાસ પણ કસોટી લે છે.માતા-પિતા દ્વારા પસંદ કરેલા કુટુંબમાં પણ નાના નાના પ્રશ્નો મોટા સ્વરૂપ લેતા હોય છે ત્યારે કલ્પી શકાય કે લવ મેરેજમાં કેટલા પ્રશ્નો થતા હશે.એવી જ એક સત્ય હકીકત પર આધારિત મિલી અને મિલનની...


મિલન ઉચ્ચ ડિગ્રી મેળવવાના શયથી મોટા શહેરમાં ભણવા ગયો હતો, તેના કુટુંબમાં  માતા-પિતા, ભાઈ-ભાભી-ભાણેજ અને એક વિવાહિત બહેન હતી. આર્થિક રીતે સદ્ધાર કુટુંબ હતું અને સમાજમાં પણ સારી પ્રતિષ્ઠા હતી. મિલનના પિતા સામાજિક સેવા પણ કરતા  હતા અને પોતાની જ્ઞાતિમાં ઉચ્ચ હોદા પર વર્ચસ્વ ધરાવતા હતા. સંયુક્ત વેપાર હતો જે મોટા ભાઈએ સારી રીતે સાચવેલ હતો. મિલન ભણવામાં હમેશા ટોપ ૫ માં જ પોતાનું સ્થાન ટકાવી રાખતો. તેની સાથે જ અભ્યાસ કરી મિલી પણ તેની કોમ્પીટીટર હતી, કોલેજમાં ભણવાની બુક્સ આપ-લે કરતા કરતા બને ક્યારે એકબીજાને લવ લેટર આપ-લે કરવા લાગ્યા તે તેમને પણ ખ્યાલ ન આવ્યો પણ તેમને તેમની કોઈ મર્યાદા ઓળંગી ન હતી.  મિલી નું કુટુંબ પણ ઈજજતદાર કુટુંબ હતું, મિલન કોઈક કોઈક વાર મિલીના ઘરે પુસ્તક લેવા તો કોઈ વાર એમ જ બેસવા આવતો અને તેમના કુટુંબમાં છોકરા-છોકરીની મિત્રતા પર અંકુશ કે જોહુકમી ન હતી. થોડા સમયમાં મિલી દ્વારા તેના વડીલને પોતાના અને મિલનના પ્રેમ વિષે વાત કરી ત્યારે તેના માં-બાપે તેનો સ્વીકાર કર્યો. તેમને કહ્યું બેટા મિલન સાથે વાતો કરતા અમને ખ્યાલ આવ્યો છે કે તે સંસ્કારી છે અને તે સારી રીતે તારું ધ્યાન રાખશે, અમે એવું નથી વિચારતા કે આપની જ્ઞાતિમાં જ લગ્ન થવા જોઈ અને અમારે જ તારા માટે યોગ્ય પાત્ર પસંદ કરવો જોઈએ.  માં-બાપ લગ્નની  વાત ત્યારે જ કરે છે જયારે સંતાનો પર વિશ્વાસ હોય કે લગ્ન કરવાથી તેમના પર જવાબદારી આવવાની છે અને તે તેના માટે તૈયાર છે/સમજુ છે અને આવા સમજુ સંતાનો પોતાની રીતે પાત્ર પસંદ કરે મતલબ તે પોતાની પસંદ-નાપસંદ વગેરે જાણીને જ હાથ લંબાવતા હોય છે, અમને તારા પર વિશ્વાસ છે કે તે  યોગ્ય પાત્ર પસંદ કરેલ છે. અને લગ્ન પછી પતિ-પત્ની/કુટુંબમાં નાના-મોટા ઝગડા/મન દુ:ખ થતા જ હોય છે તે લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ, આ સમસ્યાનો કેવી રીતે સામનો કરવો તેના પગથીયા તમે આપોઆપ ચડતા જશો અને અમારી જરૂર પડશે ત્યારે સાચો રસ્તો દેખાડવામાં મદદ કરીશું. આમ, મિલીના કુટુંબે તો સંમતી આપી દીધી પરંતુ મિલનના કુટુંબના લોકો આંતરજ્ઞાતિય લગ્ન માટે તૈયાર ન હતા, તે કેહતા આપના ઘરકામ-સમાજમાં તે જોડાય ન શકે, તેના રીત-રીવાજો આપના કરતા જુદા છે, છોકરી વધારે ભણેલ હોય સ્વતંત્ર વિચારની હોય અને આપના ઘરમાં એક વહુ છે તેને પણ ધ્યાનમાં રાખી અમે તે છોકરી સાથે તારા વિવાહ માટે અમારી સમંતિ નથી.  

મિલને પોતાના કુટુંબને મનાવવા ઘણા પ્રયત્ન કર્યા ને ૧ વર્ષ પછી તે લોકો એ લગ્ન માટે સમંતિ આપી પણ રાજી ન હતા. મિલન ઘર છોડીને મિલી સાથે લગ્ન કરી શકતો હતો પણ તેને તેમ ન કર્યું તેમજ મિલીના પિતા દ્વારા પુરતો સહકાર હતો. મિલી અને તેના કુટુંબી જાણતા  હતા  કે લગ્ન બાદ તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે કારણ લગ્ન માટે સમંતિ મળી છે કોઈ રાજી નથી. બને કુટુંબ સાથે બેસી લગ્ન તારીખ નક્કી કરે છે અને નિર્ધારિત દિવસે બને રીત-રીવાજો પ્રમાણે એકબીજાથી જોડાય છે. મિલનના કુટુંબમાંથી માર્યાદિત લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા કારણ તે લોકો સમાજ ટીકા કરે છે તેવું જ સમજતા હતા. લગ્ન હોય નણંદ પણ રોકવા આવ્યા હતા અને પોતાને મળેલ હોદા મુજબ  તુરંત જ નવી ભાભી પર બોલવાની ચાલુ કરી દીધી. મિલી તો હોઢ સીવીને જ રેહતી હતી. ૫-૬ દિવસમાં જ જેઠાણી-સાસુ વગેરે દ્વારા આંતરજ્ઞાતિના અનેક મહેનાં માર્યા, મિલીના કુટુંબને નીચા બતાવ્યા અને કેટલું કર્યું પણ મિલી મર્યાદામાં રેહતી. પોતે પણ મિલનની જેમ સી.એ. હોય તેને ઓફીસ જવાની પરવાનગી ન હતી. ધીમે-ધીમે મિલી ઘરના તમામ કામ તે ઘર મુજબ શીખી ગઈ, કુટુંબમાં પણ વ્યવહાર સાચવવા લાગી અને મિલનની ઈચ્છાથી તેની ઓફિસે પણ ઘરમાં કામ પુરૂ  કર્યાબાદ જવા લાગી. આ માટે તેને ઘરમાં અનેક શબ્દો સંભાળવા પડ્યા પરંત ચુપ જ રેહતી અને મિલન તેને હમેશા સાથ આપતો. પ્રોફેસનલી પણ મિલીને ઘણી સફળતા મળી તો પણ ઘરના તો કેહતા જ કે ઘરકામમાં ધ્યાન નથી આપતી, આપણાઘરમાં વહુ બહાર ન જાય વગેરે.. પરંતુ પાડોશી/મિલીના સસરા  અને અન્ય લોકો બોલતા કે મિલી ઘરકામ અને કેરિયર બને સાથે પુરતો તાલ મેળવે છે, તે તારીફે કબીલ છે પરંત આ પણ જેઠાણી ને આકરું લાગતું કારણ પોતે માત્ર ઘરમાં જ રેહતી હોય તેનો સ્ત્રી ઈગો સાથ છોડતો ન હતો. જેઠાણીના કહ્યા મુજબ ભાઈઓના ઘર  જુદા થયા , જેઠાણી એ બાજુમાં જ બીજું ઘર ખરીદી કરાવડાવ્યું અને માં-બાપને પણ સાથે ન રાખ્યા તેમ છતાં પણ તેમના સાસુ જેઠાણીનો જ પક્ષ લેતા, તેમના સંતાનને જ વધારે સાચવે, સાથે લઇ જાય. સસરા હમેશા બને વહુ-દીકરા વચે સમતોલ રાખતા, નાની વહુ બીજી જ્ઞાતિની છે પરંતુ સમજુ છે તેનો તેને ખ્યાલ હતો, ઘરમાં તેને થતા અન્યાય તે સમજી શકતા અને આ માટે તે મિલન ને કેહતા કે બેટા મને તમારા પર ગર્વ છે. મને પણ શરૂમાં રંજ હતો પરંતુ મને સમજાય ગયું છે કે જ્ઞાતિને મહત્વ આપવાને બદલે પાત્ર કેવું છે તે જોવું જોઈએ. મોટી વહુ તો આપની જ્ઞાતિમાંથી જ આવી છે છતાં પોતાની જવાબદારીનો ટોપલો બીજા પર નાખી દે છે અને નાની વહુ..

મિલી માં-બાપનું ધ્યાન રાખતી, તેમના જમવાના-બહાર જવાના સમય સંજોગો સાચવી લેતી. નણંદ બા પણ વેકેશનમાં આવે ત્યારે મોટા ભાભીને જ વધારે બોલાવે. આ રીતે ઘણા વર્ષો ચાલ્યા ગયા. નણંદના ઘરમાં પણ થોડા પ્રશ્નો હતો પણ તે મોટા ભાઈ-ભાભી અને માતા-પિતા જ દ્વારા પ્રશ્નો નિવારતા હતા.કોઈ વાર મિલનને વાત કરવામાં આવતી અને તે પણ સમજાવવાની કોશિશ કરતો. પરંતુ એક વાર નણદોઈ એ મિલનના માતા- પિતાને ફોન કરી જણાવી દીધું કે તમારી દીકરીથી હું થાકી ગયો છુ તેને રાખવા હું તૈયાર નથી. મિલીના સાસુ તો સુનમુન થઇ ગયા, તાત્કાલિક ડોકટર બોલાવી સારવાર કરાવી પડી ત્યારે થોડી તબિયત સારી થઇ અને આવા સંજોગોમાં મોટી વહુ પણ પોતાને પણ મજા નથી, પુત્રને પરીક્ષાના બહાને પોતાના ઘરે ચાલી ગઈ.મિલીને  આ વાતની જાણ થઇ ત્યારે તે ચુપ રેહવા તૈયાર ના હતી, તેને તુરંત જ નણદોઈને  ફોન કર્યો, તેને કહ્યું દીદીનો જ શા માટે વાંક કહે રાખો છો તમારો શું કશો વાંક નથી? તમે કોઈ મિત્રની સાથે ફરે રાખો, મન ફાવે ત્યારે ઘરે આવો ત્યારે દીદી જમવાનું ગરમ કરી આપે, તે ઘરના કામ કરીએ થાકી હોય તો પણ તમારું સાચવે, કુટુંબને સાચવે, માત્ર પૈસા આપવાથી પત્ની ખુશ ન થાય, તેને માંન આપતા શીખો. તમારે પણ બે દીકરી છે, તમારા જમાય દ્વારા આ રીતે દીકરી વિષે અપશબ્દો કેહ્વાશે તો તમને શું થશે? જેમ તમને તમારી ૫-૭ વર્ષની દીકરી વહાલી છે તેને થયેલ એક ખરોંચ પણ તમે સહન નથી કરી શકતા તો ૨૨-૨૩ વર્ષ સુધી મોટી કરેલ દીકરીના પિતાને તમે ફોન કરીને કહી દો કે તમારી દીકરીને હું રાખવા તૈયાર નથી તો તેમની શી હાલત થઇ છે તે તમને ખયાલ છે. સ્કુલમાં તમે કહી આવ્યા છો કે મારી કોઈ દીકરી પર કોઈએ ગુસ્સો કરવો નહિ, અને ત્યાંથી ફરિયાદ આવે તો તમે પાણી પણ ગળે ઉતારી નથી શકતા તો પછી પત્ની માટે કેમ નથી વિચારતા કે તે પણ કોઈકની  દીકરી છે. શું દીકરી મોટી થાય એટલે તેને સાસરિયાની ગુલામી જ કરવાની અને માં-બાપ પણ દીકરી મોટી થયે ત્યાગની મૂર્તિ થયે વર્તવાનું શીખવે? તમે જે દીદી સાથે કરો છો તે માટે દીદીની જગા પર તમારી દીકરી ને અને તમને સાસરિ દીકરીના પિતા તરીકે અને તમારા જમાય તમારી દીકરીના અપશબ્દો કહે તો તમે શું કરશો તે વિચારજો અને આ સાથે જ મિલીએ ફોન રાખી દીધો.માત્ર થોડા જ કલાકમાં નણદોઈ નો ફોન સસરાના ફોન પર આવ્યો અને તેને કહ્યું પપ્પા હું કાલે તમારી માફી માંગવા આવું છે, મને માફ કરી દો, આજે ભાભીએ મને જે કહ્યું તેનાથી મને મારી ભૂલ સમજાય ગઈ છે અને વિશ્વાસ આપું છે કે ફરી આવું ક્યારેય પણ નહિ થાય. ઘરના સૌ ખુશ થાય છે અને નણંદની ખુશીનો તો કોઈ સીમા જ ન રહી તેને પણ તુરંત જ ભાભી પાસે આવે માફી માંગી અને પોતાના દ્વારા થયેલ અપમાનની માફી માંગી, સાસુ પણ કેહવા લાગ્યા બેટા અમે માત્ર જ્ઞાતિને જ મહત્વ આપ્યું, એક સ્ત્રીને ન સમજી. તે દિવસથી મિલીને તેની કેરિયરમાં પણ ઘરના સૌ કોઈ તરફથી સાથ મળવા લાગ્યો, ઘરમાં પણ સાસુ મદદ કરવા લાગ્યા અને તેના સંતાનને પ્રિય દાદી મળી ગયા. મિલનને પોતાની પસંદગી પર ગર્વ થતો હતો, મેં તે સ્ત્રીને પસંદ કરી છે જે પોતાના સ્ત્રી અધિકાર માટે તો લડી છે પણ અન્યને પણ સહકાર આપે છે, કુટુંબને પ્રથમ મહત્વ આપે છે.અને આ રીતે એક ભાભી નણંદની દોસ્ત/બહેન બની, સાસુ માં બની અને જ્ઞાતિને બદલે યોગ્ય પાત્રની મહત્વતા સમજાય.

Tuesday, April 10, 2012

ફોટાની કરામત

યાદે, યાદે યાદ આતી હૈ, બાતે ભૂલ જતી હૈ...જીંદગીમાં અનેક સોનેરી દિવસો, સમય આવે છે અને તેને હમેશા કેદ કરી રાખવાનું મન થાય છે પણ તે શક્ય નથી. અને એટલે જ માનવી પોતાની નાની-નાની ખુશીને તસ્વીરમાં કેદ કરી લે છે. અમુક સમય બાદ જુના ફોટા હાથમાં આવી જાય તો ગજબ મજા આવતી હોય છે, અને મનમાં વિચારતા હોય અરે,,,હું ત્યારે કેવી લગતી/લાગતો,વગેરે. આજના જમાનામાં તો ફોટા નાના બાળકો પણ આસાનીથી પડે છે. મોબાઈલમાં ખુબ સારા કેમેરા હોય છે તેમજ તેનું રીઝલ્ટ પણ સારું આવતું હોય અને ફોટાની પ્રિન્ટને બદલે આજકાલ માનવી ફોન કે કોમ્પુટરમાં જ ફોટા સેવ કરીને રાખે છે, ગમે ત્યારે આસાનીથી જોય શકાય છે. થોડા વર્ષો પેહલા નેગેટીવની સીસ્ટમ હતી અને તેના દ્વારા અન્ય કોપી મેળવવી હોય તો મેળવી શકાય.ઉપરાંત ત્યારે પ્રસંગોપાત ફોટા પડવાના હોય ત્યારે કુટુંબી વ્યક્તિ ફોટોગ્રાફારને આંખના ઈશારે કે અન્ય રીતે કેહતી કે આ વ્યક્તિના ફોટા પાડવા કે ન પાડવા કારણ ત્યારે ૧ પ્રિન્ટ પણ ઘણી મોંઘી હતી, અને ખાસ લાગતા-વળગતા ન હોય તો તેમનાં ફોટા ન લઇ ખર્ચમાં કરકસર કરતા.  જયારે આજના યુગમાં કોમ્પુટરની મદદથી વગર નેગેટીવ જોઈએ તેટલી કોપી આસાનીથી મેળવી શકાય છે. અને અમુક સોફ્ટવેરની મદદથી ફોટામાં  જોઈએ તે મુજબ ફેરફાર કરી શકાય છે.ડીજીટલ કેમરા આવી ગયા છે, મન ફાવે તેટલા ફોટા પડવાના અને ત્યારબાદ જેના ફોટા રાખવા હોય તેના જ રાખવાના અને તેથી પ્રસંગમાં આવનાર દરેકના ફોટા અચૂક પાડે. એક જ મુવમેન્ટના અલગ અલગ રીતે ફોટા પાડવામાં આવે અને પછી જે વધારે સારો લાગે તે જ રાખવામાં આવે અને અન્ય ડીલીટ કરી શકાય જયારે પેહલાના જમાનામાં તે શક્ય ન હતું, જયારે ફોટા આવે ત્યારે ખબર પડે કે બહેનની આંખતો બંધ થઇ ગઈ હતી, ભાઈ તો હજુ સ્માઈલ આપવા જતા હતા તે પહેલા જ ફોટો લેવાય ગયો.પરંતુ આજે ફોટામાં જે ફેરફાર કરવા હોય તે કરી શકાય, જેમ કે, કપડાનો કલર બદલવો હોય તો બદલી શકાય છે, વાળનો કલર બદલવી શકાય છે, મતલબ કઈ પણ એડીટીંગ કરવું શક્ય છે.
આપને ત્યાં તેહવાર, પ્રસંગમાં ખાસ ફોટોગ્રાફર બોલવી ફોટા પડાવવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે ફોટાની જ્ન્જ્ટમાં ખરેખર માનવાની      મુવમેન્ટ ખોવાય જાય છે. જેમ કે, લગ્ન સમયે હસ્તમેળાપ હોય કે અન્ય વિધિ ફોટોગ્રાફર કેહતો હોય છે આ બાજુ જોવો તો જ ચહેરો દેખાશે, આમ કરો, આમ રહો વગેરે, અરે!આજકાલ તો ફોટોસેશન માટે અલગ કલાક લગ્ન દિવસે નિશ્ચિત જ રાખવી પડે છે.દુલ્હા-દુલ્હનને વિશ કરવાનું રહી જાય પરંતુ ફોટો પડી જાય અને ઘણી વખત તો ગ્રુપ ફોટો લેવા માટે ચહલ-પહલ સ્ટેજ પર થવા લાગે છે. ઉપરાંત ફોટોગ્રાફર અને વિડીઓગ્રાફર દ્વારા એટલી જગા રોકી લેવામાં આવે છે કે અન્ય લોકોને તો કઈ વિધિ ચાલે છે તે જોવાનો મોકો જ નથી મળતો. અને આવેલ લોકો જુદા જુદા ગ્રુપમાં બેસી વાતોના વળા કરતા હોય છે, શું વિધિ થાય, તેનું મહત્વ વગેરે ભાગ્યે જ કોઈ જંતુ હોય છે. જ્યારે આલ્બમ આવે ત્યારે જ ફોટા જોઈ ખ્યાલ આવે કે ત્યારે કઈ વિધિમાં શું થયું. પરંતુ કોઈવાર નેચરલ ફોટા પાડવાની અને જોવાની મજા કૈક અલગ હોય છે. કેમ બેસવું, હસવું ધ્યાનમાં ન લેતા ફોટા લેવામાં આવે છે. 

નાના બાળકો રમતા હોય, નાચતા હોય તેવા અમુક ફોટા ખુબ આનંદ આપે છે, તેમજ ક્યારેક કોઈ સ્થળની મુલાકાત વખતે પાડેલા ફોટા મેમોરેબલ મુવમેન્ટ તરીકે હમેશા કેદ કરી શકાય છે. અમુક સમયે આવા ફોટા જોવાથી જુના દિવસો યાદ કરવાની મજા જ કૈક ઔર હોય છે અને તે શબ્દો વ્યક્ત કરવું ઘણું મુશ્કેલ હોય છે. કોઈ વખત જયારે પતી-પત્ની કોઈ કારણસર એકબીજાતને સમય ન આપી શકતા હોય ત્યારે આવા જુના ફોટા દ્વારા ફરી નજીક આવી શકે છે, બાળકો પણ મોટા થયા બાદ પોતાનું બાળપણ પાછુ જોઈ શકે છે. કોઈ વ્યક્તિ દુનિયામાં ન હોય ત્યારે ફોટા તેમની વધારે યાદ અપાવે છે પરંતુ સાથે પોતાની પાસે હોય તેવો અહેસાસ પણ કરાવે છે. ઉપરાંત આજે તો કોમ્યુનીકેશન એટલું ફાસ્ટ બન્યું છે કે દુનિયમાં કોઈ પણ ખૂણે રેહતી વ્યક્તિને તુરંત જ ઇમૈલ, એમેમેસ દ્વારા તુરંત દેખાડી શકાય છે. કુટુંબી,મિત્રો દુર રેહતા હોય ત્યારે તેમની સાથે દરેક ખાસ દિવસો, સમયને યાદગાર બનાવી શકાય છે. આજકાલ તો સોસ્યલ વેબસાયટ પર માણસો પોતાનાં અનેક ફોટા મૂકી મિત્રો/સબંધીના વ્યુ મેળવે છે. આ ફોટા જોતા ગાવાનું મન થાય..ઝરા તસ્વીર સે, નીકલ કે તું સામને આ......