Monday, May 16, 2011

બાળકોના ડાન્સ શો /રીયાલીટી શો


આજ-કાલ હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે દરેક માં-બાપ પોતાના સંતાનને કોઈને કોઈ ક્ષેત્રમા માહિર બનાવવા માંગે છે. પછી તેમાં બાળકનું બાળપણ છીનવાઈ જાય, તો પણ સ્કૂલ અને વિવિધ વર્ગો ફરજીયાત બની ગયા છે. જો બાળકનો નંબર આવે તો તેને આકરી સજા પણ આપવામાં આવે છે. ટી.વી ચેનલ પર  આવતા વિવિધ શોમાં આપને જોઈ શકી છી માત્ર - વર્ષના છોકરા ગીત ગાવા આવે છે, ડાન્સ કરવા આવે છે અને કેહતા હોય છે કે હું - વર્ષનો હતો/હતી ત્યારથી બધું શીખું છું. બાળકને ગીતનો મતલબ પૂછવામાં આવે તો શરમાય જાય અને કહે મને ખબર નથી, છતાં પણ સુંદર રીતે પરફોર્મ કરતા હોય છે. જો હરીફાઈમાંથી બાળક બહાર ફેકાંય જાય તો તેની સાથે આવેલા માં-બાપ ત્યારેને ત્યારે રડવા લાગે છે, બાળકને પ્રોત્સાહન આપવાને બદલે પોતે નીરસ થઇ જાય છે. બાળકને બે શબ્દો બોલવાના કહે તો બાળક બોલે છે મમી-પપ્પાI AM SORRY, હું તમારી ઈચ્છા પૂરી નથી કરી શક્યો, અને રડવા લાગે છે. માં-બાપ તેના પર નાનપણથી એટલું બધું દબાણ કરતા હોય છે કે સંતાનને કાયમી વસવસો રહી જાય છે, તે જીતી શકયા.મોટા થઇને પણ તે અમુક વસ્તુ ભૂલી શકતા નથીઆવું આપના જાણીતા ભારતીય સ્પોર્ટ્સમેંન સાથે પણ થયલું છે

એટલું નહિ બધા શો ખાસ કરીને ડાન્સ શો, જેમાં બાળકોને જે ગીત પર અને જે રીતે ડાન્સ કરાવવામાં આવે છે તે જોતા એમ થાય છે કે આપની જનરેસન આપના હાથમાં નહિ રહે. ફિલ્મમાં મોટા દ્વારા થતા દ્રેશિંગ (સેકસી કપડા ),  તેવો ડાન્સ કે તેનાથી વધારે જોરદાર ડાન્સ કરે છે. મુની બદનામ જેવા ગીત પર ડાન્સ કરે છે અને માં-બાપ તાલી પડતા હોય છે. આજ-કાલ ડાન્સ શોમાં ડાન્સ કરતા લીફટીંગ વધારે જોવા મળે છે. ૧૦-૧૨ વર્ષના છોકરા પણ તે વયની છોકરીને ઊંચકી ને ડાન્સ કરે છે, જાણે લીફટીંગ વગર ડાન્સ થઇ શકે એવી રીતે જજ પોતાના મંતવ્ય જણાવતા હોય છે. અમેં અમારા સબંધીને ત્યા ગયાત્યારે આવો એક શો ચાલુ હતો તેમાં બાળકની માં ડાન્સ પૂરો થયા પછી બોલતી હતી કે હું ખુબ ખુશ છૂ કે મારા દીકરાએ ખુબ સારું પરફોર્મ કર્યું અને તે છોકરીને લીફ્ટ કરી છતાં પણ તે સારું કરી શક્યો, મારી ઈચ્છા હતી કે એકવાર તે છોકરી સાથે રીતે ડાન્સ કરે, I proud of you my son . અને તાળીનો વરસાદ ચાલુ થઇ ગયો શું છે આપની પ્રોગ્રેસ્સ? રીતનું વાતાવરણ બાળકોની માસુમિયત છીનવે છે. અવાર-નવાર છાપામાં આવે છે કે ૧૫-૧૬ વર્ષના છોકરાનું છોકરી સાથે શારરિક સંબંધને લીધે છોકરી/છોકરાનો આપઘાત. ( વાર તો એવું પણ વાંચેલું કે સગા ભાઈ બહેન શો જોતા પોતાનો કંટ્રોલ ગુમાવી બેઠા અને તેની બહેન સાથે સબંધમાં એક દીકરાનો જન્મ થયો) નાની વયે ખોટા નીર્યનો લેવાય જાય છે અને ત્યારે માં-બાપને પસ્તાવો થતો હોય છે કે આપના સંતાન આપના હાથમાં નથી રહ્યા પણ આમાં વાંક કોનો?

ડાન્સ ગ્રૂપમાં કરે કે એકલા પણ આપની સંસ્કૃતિને શોભે તે રીતે કરવા જોઈ. આપને વેસ્ટર્ન કલ્ચરને અપનાવો જોય પણ આપની સંસ્કૃતિ, આપના સંસ્કાર કલંકિત થાય તેની કાળજી રાખવી જોઈ. આજની આપની ફિલ્મો/ટી.વી. શો, નેટ વગેરે પર આવતા દ્રશ્યો, માહિતી બાળકોને કરવાનું કરવા પર વધારે પ્રેરે તેવા હોય છે. બાળક એકલા પોતાના રૂમમાં સ્વતંત્રતા ધરાવે છે એટલે બધું જોવે છે અને કરવાનું પેહલા શીખે છે. આજની આધુનિકતા બાળકોની માં-બાપ સાથે નિકટતા ઓછી કરી નાખી છે. એક-બીજાની દેખાદેખીમાં આંધળું અનુકરણ આંધળા બનાવી દે તેનું ધ્યાન રાખવું જોઈ

Sunday, May 15, 2011

બનાવટી માણસો

કાલે છાપામાં વાચવા મળ્યું કે ૫ દુકાનમાં બનાવટી ૧૦ કિલો ઘી મળી આવ્યું અને તેની પાસેથી દંડ લેવામાં આવ્યો. પણ બીજું શું કર્યું? કઈ નહિ... ૧ અઠવાડિયા પછી પાછુ વેચાણ ચાલુ થશે અને ૧ વર્ષ પછી પાછુ ચેકિંગ, 500/૧૦૦0 નો દંડ અને ફરી ધંધો સારું. પણ અહી તો વેપાર છે, વેપારમાં બનાવટી વસ્તુનો નિકાલ કરી શકાય છે, તેનો ઉપયોગ અટકાવી શકાય છે. પણ આજે માણસો બનાવટી બની ગયા છે તેનો શું? 

કોઈને ત્યાં લગ્ન હોય અનેક લોકોને આમંત્રણ આપવામાં આવે, લગભગ બધા આવે જ, કોઈ નાની-મોટી ગીફ્ટ નો  પણ વ્યવહાર થાય. ઘણી વખત પોતાને આવેલી ન ગમતી ગીફ્ટ આપી દે અને બોલતા હોય છે આપને તો ઘરમાં જગ્યા થઇ ને, આપને ક્યાં એવા સબંધ છે આ તો જવું પડે એટલે....અને હસતા હસતા, ખુબ સુંદર રીતે પ્રસંગમાં જાય જાણે પોતાને જ સૌથી વધારે ખુશી હોય તેવો દેખાવ કરતા હોય છે. કુટુંબમાં વર્ષોથી સબંધ પણ ન હોય પણ ભાઈ/બહેનની દીકરીની વિદાય થતી હોય, વહુના કંકુ પગલા થતા હોય ત્યારે સલાહ-શિખામન આપવા આગળ આવી જાય  પોતે સારા હોવાની બનાવટ કરે અને જે દુરના હોય તેમને તો લાગે કે પેલા 'એ' અને 'બી' કેટલા સારા છે, પણ એ તો ઘરનાને જ ખબર કે કોણ સારું ને કોણ ખરાબ. દીકરા-દીકરીવાળા ઘણી વખત પોતાની શક્તિ કરતા પણ વધારે ખર્ચ કરે, દેણા કરીને પણ બીજાને સારું લાગે તેવું કરે. 

કોઈનું મૃત્યુ થયું હોય છાપામાં અવસાન નોંધ આપવામાં આવે કે અમારા બા/બહેન/ભાઈ/દીકરાનું અવસાન થયુ  છે અને કાલે ઉઠમણું છે એટલે ક્યારેય જોયા ન હોય, આજુ-બાજુના, ધંધા-નોકરી સાથે જોડાયેલ (મરનાર વ્યક્તિના અને ઘરના અન્ય સભ્ય) મોટાભાગની વ્યક્તિ દુખ થયું છે તે બતાવવા આવી જાય છે. મનમાં બોલતા હોય કે આ તો જવું પડે એટલે, આપને શું એ મારી ગયા તો પણ. ઘણાને જોર-જોરથી બુમો પાડી દુખનો દેખાડો કરતા પણ જોયા છે. મરનાર વ્યક્તિના સગા પણ અન્યને કેહતા હોય કે 'અમને તેના વગર જરાય નહિ ગમે, ઘર ખાલી લાગશે, વગેરે...'પણ એકાંતમાં બોલતા હોય કે હાશ..હવે છુટ્યા. દુઃખમાં પણ બનાવટ.

શાળામાં પણ બાળકોને ભણતર ઉચકક્ષાનું મળે કે ન મળે પણ આજની શાળામ ભવ્યતા જરૂર જોવા મળે છે. બાળકોને ભણવા એ.સી. વર્ગો, એ.સી. બસ, વગેરે....અને ફી પણ વધારે. બાળકોને ભણવાની ફી કરતા બીજા દેખાડાની જ ફી હોય છે. અને માં-બાપ પણ રાજી થતા હોય છે કે મારો દીકરો/દીકરી સારામાં સારી શાળામાં ભણે છે. ભણે છે કે વૈભવશાળી જીવન જીવવા જાય છે. ડે સ્કુલમાં બાળકો આખો દિવસ રહે છે એટલે ઘરે માં-બાપ તેની રોજની પોતાની જવાબદારીમાંથી પણ મુક્ત બને છે કારણ કે ઘરે સ્કુલ બેગ તો લાવવાનું જ નથી હોતું. શિક્ષક દ્વારા ગોખણપટ્ટી શીખવવામાં આવે છે. પરીક્ષાલક્ષી સુત્ર બનાવી વાંચવાનું સહેલું બનાવે છે પણ મૂળ સિધાંત શીખવામાં આવતા નથી. પરીક્ષાલક્ષી જ પ્રશ્નો આપી દઈ એટલું જ ધ્યાન આપવાનું કેહવામાં આવે છે અને સારા માર્કથી પાસ પણ થઇ જવાય છે બાકી બીજું બધું ભગવાન જાણે. 

સાધુ-સંતો જાહેરમાં ભગવા કપડા ધારણ કરી, સાદગીના સંદેસા આપતા હોય છે. પરંતુ પાછલા બારણે પોતાની દુનિયા સામાન્ય માનસ કરતા પણ સારી રીતે ભોગવતા હોય છે અને એ પણ ભક્તોના પૈસે જ .થોડાસમય પેહલા જ પાડોશમાં એક પ્રસંગ દરમ્યાન જવાનું થયું, ત્યારે એક મહાન સંતને પણ આમત્રણ આપેલું હોય તે સંત પણ થોડી વારમાં પધાર્યા. લોકોને તેમનામાં ખુબ માન એટલે તેમન ચરણ સ્પર્શ માટે લોકો લાઈનમાં ઉભા રહી ગયા, અને ભેટ ધરી આગળ જતા હતા પરંતુ મેં જોયું કે તે સંત આશીર્વાદ દેવાને બદલે કોઈની સાથે ફોનમાં વ્યસ્ત હતા. આ તો મારા જેવાને જ દેખાય, ભક્તને નજર ન આવે તે પણ હકીકત છે. લોકોને ઉપદેશ આપનાર સંતના તેની પત્ની સાથે છૂટા-છેડા થઇ ગયેલા હોય, પુત્ર સાથે ન રહેતો હોય તો પણ જાહેરમાં ઘર-સંસારની આંખો ભીની થઇ જાય તેવી સુંદર વાતો કરતા હોય છે. ઉપદેશ આપતા હોય છે કે લગ્ન, કથા જેવા પ્રસંગ સાદગીથી કરી, તે પૈસા જરૂરિયાતવાળાને, કોઈ સેવાના કાર્યમાં વાપરવાનું જણાવે પણ પોતે ગૌરપદુના/ કથા વાંચવાના અનેકગણા પૈસા લે છે, આ ઉપરાંત તેને રેહવા-જમાડવાનો ખર્ચ તો જુદો જ હોય છે. તોપણ આપના જેવા લોકો આ બધું કરી છીએ. માનીએ કે ન માની, પણ સારા લાગવા, દેખાડો કરવાનું ચાલુ જ રાખી.

Sunday, May 8, 2011

માળા

 

પહેલાના જમાનામાં વડીલો ઘરના કામમાંથી નવરાશ મળતા ભગવાનનું નામ લેવા બેસી જતા. માટે ભગવાનની માળા કરતા. જેમાં ૧૦૮ પર હોય છે.ઘરમાં સવાર-સાંજ ભગવાનની પૂજા કરવામાં આવતી. અને અમુક પરિવારમાં નાના-મોટા બધા સવારે સૌ પ્રથમ ભગવાનની સેવા કરવાનું  કામ કરતા. પરંતુ આજે આપને જોઈ છે કે દરેક ક્ષેત્રે આધુનિકતાની સાથે જીવનશૈલીમા પણ જાણે-અજાણે પરિવર્તન આવ્યું છે. આજે પણ યુવા વર્ગ માળા કરે છે પણ શેની? હા, ટી.વી.----ના રીમોટની.
 
કોઈને ત્યાં કેબલ કનેક્શન છે તો કોઈને ત્યાં ડીશ ટી.વી., પણ દરેક ઘરમાં/દુકાનમાં/દવાખાનામાં ટી. વી. તો હશે . આજે ૧૦૦થી પણ વધારે ચેનલ આવે છે, જેમાં ધાર્મિક, ગીતની, કાટુર્ન , રમત-ગમતની એમ અનેક ચેનલ છે અને દરેક જોનાર પોતાના શોખ પ્રમાણે ચેનલ ફેરવ્યા રાખે છે. ચેનલ પર પ્રોગ્રામ કરતા જાહેરાત વધારે આવતી હોય છે એટલે જેવો બ્રેક પડે એટલે ચેનલ ફરી જાય, વાળી બીજી ચેનલ પર પણ બ્રેક હોય તો ત્રીજી અને રીતે ,, ...ચાલતી હોય છે. સવારે ભગવાનનું નામ આપમેળે લેવાને બદલે કોઈ ચેનલ પર સવારના આવતા ભજન ચાલુ કરે અથવા પોતે વસાવેલી ભજનની સી.ડી. ચાલુ કરે. કોઈને ભાગ્યે  હનુમાન ચાલીસા કે યમુનાસટ્ટક કંઠસ્થ હશે. ઘણા ઘરમાં મે જોયુ છે કે ઘરના સભ્યો એક-બીજા સાથે વાતો કરવાને બદલે વધારે પડતો સમય ટી.વી. જોવામાં વિતાવે છે. સવારનો ચા નાસ્તો પણ ટી.વી. સામે, રાતનું જમવાનું પણ ટી.વી. સામે. અરે.કોઈ વાર કોઈને ત્યાં મેહમાન આવ્યા હોય અને જો અનુકુળ આવે તો બધા સાથે ટી.વી. શો જોવે છે, તો કોઈ અફસોસ કરે છે કે કાલે તો જોવાનું રહી ગયું, હવે રીપીટ ક્યારે થશે. ઘણાને સંભાળ્યા છે કે અરે યાર કાલેતો ફાઈનલ મિસ થઇ ગયું, જાણે કોઈ ઘરની વ્યક્તિને મળવાનું મિસ કરતા હોય તેટલું દૂખ થતું હોય છે.અને કોઈ પોતાના બહાર આવવા-જવાનો કાર્યક્રમ પોતાને ગમતો કાર્યક્રમ આવવાનો હોય ત્યારે કરે છે. ઘણાના રસોડામાંથી ટી.વી. જોય શકાય તે રીતે ગોઠવણી કરવામાં આવે છે અને રસોઈ બનાવનાર એક હાથે મસાલો કરે છે અને બીજે હાથે માળા(રીમોટની), અને તેમ છતાં પણ રસોઈ બરાબર થાય પણ જો કોઈ વાર ટી.વી. બગડી ગયું હોય કે અન્ય કારણસર કામ કરતા ટી.વી. ન જોઈ શકાય તો રસોઈ અને મગજ બંને બગડે.ઘરમાં પુરુષ તેના કામમા વ્યસ્ત હોય છે, અને સ્ત્રી પોતાના કામમાં ત્યારે બાળકોના હાથમાં ટી.વી.નું રીમોટ પકડાવી ડે છે અને નાનપણથી બાળકને રીતે માળા કરવાની ટેવ પડે છે.  અને ઘણા તો બે હાથે માળા કરે છે.એક ટી.વી. નું રિમોટ અને એક ડીવીડીનું રિમોટ.



એક ટી.વી હોય અને ઘરના બધાને અલગ કાર્યક્રમ જોવા હોય ત્યારે જગડા થાય તે માટે દરેક રૂમમાં ટી.વી.ની વ્યવસ્થા કરવામાં આવે છે.ઘરમાં બાળક સહીત બધાના બેડરૂમમા અલગ એક ટી.વી. હોય છે એટલે ઘરમાં સાથે બેસી વાતો કરવાની આદત પડતી નથી. બાળકો પોતાના રૂમમાં શું જોવે છે તે મા-બાપને ખબર હોતી નથી, રીતે બાળકો પરનો કંટ્રોલ ગુમાવે છે. એવું  નથી કે બાળકો રીતે માળા કરે છે હવેના જમાનામા જોયું છે કે ટી.વી. પર આવતા કાર્યક્રમોએ વડીલનું પણ દિલ જીતી લીધું છે પછી સાસુ-વહુની સિરીયલ હોય કે કથા, તે પણ આખો દિવસ ટી.વી. ની માળા કરતા થાકતા નથી. પણ ચોક્ક્સ સમયે ટી.વી.ની સામે બેસી જાય છે, અને ઝી, સોંની, ચેનલાય નમઃ સાથે માળા કરવાની ચાલુ કરે છે અને રાત સુધીમા ચોક્કસ / વાર તો માળા(૧૦૮ પારાને બદલે ૧૦૮ વાર ચેનલ ફેરવવી) થઇ જાય. મોટા દવાખાનું હોય કે નાની ક્લીનીક, ટી.વી. હોય. બહાર કાઉનટર પર બેસનાર વ્યક્તિને માટે ટી. વી. હોય, દર્દીના રૂમમાં પણ તે માળા કરી શકે એટલી સારી સગવડ આજે આપના દેશમાં જોવા મળે છે. 

આજે સમય એવો છે કે ભગવાનનું નામ લેવાનું ભૂલી જાય પણ ટી.વી. ચાલુ કરવાનું અને તેની માળા કરવાનું કોઈ દિવસ ભુલાય, કામ/અભ્યાસમાં વ્યસ્ત હોય કે આરામમા હોય માળા તો કરવાની .  ‘શ્રી ટી.વી. ચેનલાય નમઃ