Monday, October 24, 2011

કાળી ચૌદશ- અંધશ્રદ્ધા

આજે ઘણા લોકોની બોલતા સાંભળ્યા છે કે અમે અંધશ્રદ્ધામાં નથી માનતા છતાં જાણે-અજાણે અમુક ક્રિયા-કાંડ કરે જ છે. આધુનિક જમાનામાં જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી એ દુનિયાને અનેક સંશોધન અને પ્રગતિ આપી છે છતાં માનવી અંધશ્રદ્ધામાં માને જ છે. જેમ કે ભગવાન,  ભુવા, જ્યોતિષમાં માને છે અને માનતા (ખરેખર માન્યતા શબ્દ છે ) માને છે, વિધિ કરાવે છે વગેરે..ખુશના દિવસો હોય કે દુખના, તહેવાર હોય કે સામાન્ય દિવસ પણ અંધશ્રદ્ધામાં માની  તે પ્રમાણે ક્રિયા કરે છે. દિવાળીના દિવસો નજીક આવે  છે ત્યારે માણસો પુષ્ય નક્ષત્રના દિવસે સોનું ખરીદે છે. આ દિવસે સોનીની દુકાનમાં લાઈન લાગે છે, મોંઘવારી પણ ઘણી છે છતાં આ દિવસે લાગશે કે મોંઘવારી જેવું કઈ છે જ નહિ. જેમ કરિયાણાની દુકાનમાં ભીડ હોય તેવી જ ભીડ સોને મહાજનની દુકાનમાં જોવા મળે છે. અરે.. સોનું લેવું છે ગમે ત્યારે લો સારું જ હોય કારણ કે તે એક પ્રકારનું રોકાણ છે, અને જરૂરિયાત, શક્તિ પ્રમાણે ગમે તે સમયે રોકાણ કરાય તેમાં ગ્રહ શા માટે? 
કાળી ચૌદશના દિવસે ગૃહણીઓ રાતના સમયે ઘરનો કકળાટ દુર કરવા ચાર રસ્તા પર પાણીનું કુંડાળું કરી ભજીયા મુકે છે. અરે! એમ ભજીયા મુકવાથી કકળાટ દુર થાય? તો એક વાર મુક્યા બાદ દર વર્ષે કેમ મુકવો પડે છે? અને આ દિવસે જ કેમ? અને ભજીયા જ શા માટે? આ કેવી અંધશ્રદ્ધા છે? અન્ન રસ્તા પર વેરો છે તે કેટ કેટલાના પગે અડશે, અને કેટલા વાહન તેના પરથી પસાર થશે. અહી કકળાટ દુર કરવા લોકો રસ્તા પર ભજીયા મુકે એટલે રસ્તા સૌ ટકા ખરાબ થવાના અને જો ભૂલથી પણ તેના પર પગ મુકાય ગયો તો પગ બગડશે અને કકળાટ કરવાના જ ને? ઉપરાંત બાળકો આ દિવસોમાં ફટાકડા પણ ફોડતા હોય તેનો કચરો વગેરે પણ અન્ન પર જમા થશે અને તે જ અન્ન ગાય આરોગશે. ગરીબ માણસોને બે ટંક પુરતું અન્ન મળતું નથી અને આ રીતે તેની નજર સામે ઘણા આવી વિધિ કરતા હોય છે ત્યારે આ ગરીબ બિન્દાસ ભજીયા લઇ ને ખાય છે. આપણે શા માટે આપના હાથે જ ગરીબના હાથમાં એક ડીશ ભજીયા ન મૂકી? આપણે જો આ માણસોને પ્રેમ ન કરી શકીએ, તો આપણે ઈશ્વર ને કેવી રીતે ચાહવાના જેને જોઈ પણ નથી શકતા ? અને તેહવારના દિવસોમાં તેમના આશીર્વાદ પણ મળશે. મોંઘવારીમાં મોંઘા તેલ બાળી નાખવાથી શું થશે? અને એવું પણ માનવામાં આવે છે કે જેટલું તેલ બાળો તેટલો કકળાટ તળે.

આ ઉપરાંત તે દિવસે રાતે ભૂત-પ્રેત સ્મશાનમાં અન્ન માટે આવે છે તેવી માન્યતા પણ છે અને તે દિવસે રાતે તાંત્રિક વિધિ પણ કરવામાં આવે છે. નાના-મોટા શેહરના લોકો પણ આવું માને છે. એક એવી પણ પરંપરા છે કે હનુમાનજીના મંદિરે તેમને તેલ ચઢાવવામાં આવે છે અને તેલના દીવાની મેશ પાડવામાં આવે છે જે આંખમાં આંજવાથી  આંખ સારી રહે છે તેમ પૂર્વજો માનતા પણ આધુનિક યુગમાં ડોક્ટર તેના વિરોધી છે અને મેશ ના આંજવી તેવી સલાહ આપે છે.

કકળાટ દુર કરવા એકબીજાને ઘરમાં જ આદર અને માન આપો, મીઠા શબ્દો બોલો, વાણીને કાબુમાં રાખવી, કડવા વેણ ન બોલી કકળાટ દુર કરવો જોઈએ. સામાન્ય રીતે વાણીને સંયમમાં રાખી એટલે કડવાશ ચાલી જશે. 

Tuesday, October 18, 2011

Rangoli

Diwali Rangoli Made by my Sisters & me.





 


 

 

માણસ/પંખી- મુક્તિ બંધન


કુદરતના ખોળામાં રમતા-વિહરતા પક્ષીને જોવાની મજા/તેનો અનુભવ જ કઇક અલગ હોય છે. ક્યારેક ઝાડ પર તો ક્યારેક પાણી પર બેસે છે, બિલકુલ નિર્દોષ હોય છે. કોઈ વાર ઝાડ પર તો કોઈ વાર ખુલા મેદાનમાં, કોઈ વાર તળાવ પર તો કોઈ વાર માળીયામાં પણ હમેશા ખુશ-મિજાજ જોવા મળે છે. કોઈના પર ગુસ્સો કરવાની, હુકમ કરવાની, બડાઈ કરવાની ભાવના તેમનામાં હોતી નથી. તેમને જોઈને જ તેમના પર પ્રેમ આવે તેવા હોય છે. મન મુકીને આકાશમા દૂર દૂર વિહરે છે, અને સાંજ પડે ફરી પાછા તેમના ઘરે આવી જાય છે. તેમનું ઘર પણ કેવડું? આપના ઘરમાં પાણીનું માટલું હોય તેનાથી પણ નાનું એમનું ઘર

અને તેમાં પણ પોતાના ૪-૫ બચ્ચા સાથે રહે છે, વધારે પૈસા કમાઈને મોટા બંગલા બનાવવાની ઈર્ષા નથી. તેમને પોતાનું ઘર બીજા કરતા નાનું છે કે મોટું તેની ઈર્ષા નથી, તેને કમાવાની કોઈ ઘેલછા નથી, બીજા કરતા પેહલા પહોચાવની રેસ નથી, બીજા કરતા પોતાના બચ્ચાને વધારે સારું ભણતર મળે-વધારે હોશિયાર બનવાની કોમ્પીટીશન નથી. કાશ આપણી માનવ જાત પણ આવી હોત!જેટલું છે તેટલામાં જ જીવે છે અને રમે છે. કોને ખરાબ લાગશે,કોને સારું તેની ચિંતા નથી હોતી. આજે શહેરમાં ઉંચા બિલ્ડીંગની સંખ્યા વધતી ગઈ છે, ઝાડ કપાતા જાય છે અને આવા વાતાવરણમા આ મૂંગા પંખી ખુબ ઓછા જોવા મળે છે. તે જ રીતે  પૈસા કમાવાની રેસમાં ભાગેલા યુવાનોના શહેરમાં સંયુક્ત કુટુંબ ઓછા જોવા મળે છે.ક્યારેક કોઈ નાના ગામમાં કે નદીની આસપાસ જયારે એક સાથે ઘણા પક્ષીને તેમના ઝુંડમાં ફરતા, રમતા કલરવ કરતા જોય ત્યારે ઈર્ષા આવે છે કે કાશ આપને પણ ઉડી શકતા હોત તો? આપણે આવી નિર્દોષતા કેમ નથી કેળવી શકતા? આપણે માનવજાત ઈર્ષા થતા બીજાનો ભોગ લેતા થોડું પણ વિચારતી નથી અને એટલે જ આવા સુંદર આઝાદ પંખીને પણ પાંજરામાં પૂરીને પોતાના ઘર-ઓફીસમાં રાખે છે.પોતાના શોખ માટે, ખુશ થવા માટે તે આ પંખીનો જીવ લે છે. પોતાને આઝાદીથી જીવવા નથી મળતું એટલે? આ પશુ-પંખીને મારી મારીને, ભૂખ્યા રાખીને મીઠું-મીઠું બોલતા, નાચતા, બેટ-બોલ રમતા શીખડાવે છે અને તેને તેમ કરતા જોઈ રાજી થાય છે. કોઈ માણસ બસ-સ્ટોપ પર ઉભો હોય કે જાહેર બાકડા પર બેઠો હોય તેની બાજુમાં કોઈ બીજો માણસ આવે એટલે પોતે થોડો સ્વસ્થ થવા લાગે છે, ૨ ડગલા આગળ ચાલ્યો જાય છે પણ આઝાદ પંખી પોતાની નાતના આવે એટલે પોતે છે તેમને તેમ જ રહે છે, પોતે આગળ પાછળ નથી થતા, તેની સામે જોય તેની મનોમન કમેન્ટ્સ નથી કરતા, તેનાથી વધારે રૂપાળા કે કાળા, પૈસાવાળા કે ગરીબની સરખામણી નથી કરતા 

પણ કોઈ માણસ તેની પાસે આવે કે તુરંત જ ઉડી જાય છે કારણ કે તેને ડર છે અમને પકડી લેશે તો? અમને પાંજરામાં પૂરી દેશે તો? તેના બચ્ચા થોડા મોટા થાય એટલે તેની રીતે છૂટા મૂકી દે છે છતાં સાંજ પડ્યે તે તેના ઘરે જ આવે છે પરંતુ આપણે  મા-બાપ તેમના સંતાનને છૂટા મુક્તા જ નથી એટલે સંતાનો વધારે ચિડાય છે અને પછી ફરી ઘરે જવા હિચકિચાટ અનુભવે છે. શા માટે આવું? તેમને પણ પ્રેમ છે અને આપણને પણ પ્રેમ છે છતાં આવું શા માટે થાય છે?આપણે  ત્યાં માં-બાપ ઈચ્છે છે કે પોતાના બાળકો આગળ વધે, પોતાનો વિશ્વાસ કેળવે અને પ્રગતિ કરે. પરંતુ તેમાં ડર હોય છે કે આપનું બાળક આપણા થી દુર નહિ ચાલ્યું જાય ને? અને આવા જ ડરથી હમેશા બાળકને પકડી પકડી ને જ ઉભા થતા શીખવે છે, તેને હમેશા આમ ન કરવું અને આમ કરવું ની સલાહ આપવામાં આવે છે. અને આવા જ કારણોથી બાળક મોટું થતા આક્રોશી બને છે. માતા-પિતાથી દુર ચાલ્યો જાય છે અને પછી એ જ કહાની કે સંતાનો માં-બાપને ભૂલી જાય છે.

પોપટ પાંજરામાં મીઠું મીઠ બોલે 
માણસ પોતે મુક્તિ અનુભવી નથી શકતા ને તેથી બીજાને પણ અનુભવવા દેતા નથી... પોતાના શોખ માટે તે આ પક્ષીને 
પાંજરામાં પૂરી પોતાના ઘરમાં રાખે છે આપણે બોલી તેમ બોલાવે, મારીને-ડરાવીને તેને એક્સન કરતા, નાચતા શીખવી. માણસ પોતાના સંતાનને પણ આ જ રીતે ઉછેરે છે.     
         
૧ દિવસ મિત્રને ત્યાં જવાનું થયું અંતે ત્યાં પહોચતા જ તેની માં એ કહ્યું બેટા તને પોપટ-પંખી બહુ ગમે ને? અમે કાલે જ ઘરમાં બે પોપટ લીધા છે, આવ જો, કેવું સુંદર બોલે છે. તેમની સાથે પોપટને જોવા ગયો અને તુરંત જ તે પોપટ ને કેહવા લાગ્યા અંકલ બોલ, હેલ્લો બોલ વગેરે, પણ પોપટને બે જ દિવસ થયા હોય બધું બોલતો  ન હતો. તેને પોતાના ઘરથી, મિત્રોથી દુર થવાનું દુખ હતું, મુક્તિ-બંધનનો અહેસાસ થતો હતો. માણસ શું છે તેને સમજવાની કોશિશ કરતો હતો. ૨-૫ મિનીટ પછી હું ત્યાંથી ચાલ્યો ગયો અને ફરી ૧ દિવસ મિત્રને ત્યાં જવાનું થયું ત્યારે તે પોપટ અંકલ, હેલ્લો, વેલકમ વગેરે બોલતા શીખી ગયું હતું પણ તેને બોલતા જોય હું વિચારમાં પડી જતા મિત્રની માં બોલી શું થયું? ક્યાં ખોવાઈ  ગયો? અને સાચું બોલ્યા વગર ચાલે નહિ એટલે કહ્યું આમ તો તમારા ઘરમાં બે પંખી ૩-૪ વર્ષથી છે ને! પછી આને લાવવાની શું જરૂર હતી. તમારા બને પુત્રોની વહુને પણ તમે પાંજરામાં પૂરીને રાખી છે, તમે બોલાવો તેમ બોલે, કહો તેમ કરે. કોઈ મેહમાન આવે ત્યારે આવો, કેમ છો, શું લેશો? બોલતા શીખ્વ્યું  છે, તમારા કેહવા મુજબ આખો દિવસ ઘરનું કામ કરે છે પણ મેહમાન સાથે વાતો કરવાની છુટ ક્યાં છે? પોતાની મરજી મુજબ ક્યાં તે મહેમાન આવે ત્યારે  ચા-નાસ્તો કરી શકે છે તમે કેહ્શો એટલું કરશે અને જો તેમ નહી  કરે તો તમારી સોટી દેખાડ્સો.  અને તમારી વાણી  સોટી કરતા પણ ભારે જ છે તે સૌ જાણે છે.
વહુ પણ મીઠું મીઠું જ બોલે છે, તેને ક્યાં તમે બહાર આવવા-જવાની છુટ આપી છે?અને કુટુંબી/ સગા-સબંધી પણ તેના વખાણ જ કરે છે ને? બને વહુ કેવી સારી છે કેટલું સારી રીતે રહે છે, બોલે છે. પોપટ અને વહુ બને તમારા જ છે અને તમારા રીમોટથી જ ચાલે છે ને?  ૧ વાર આ ખુલ્લા વાતાવરણમાં રેહતા પોપટને જોવો, તે કેટલો ખુશ છે, છુટો રાખશોને તો પણ મીઠું જ બોલશે અને તે સાંજ પડે પોતાના ઘરે જ આવે છે. પણ આ પાંજરામાં કેદ પંખીને તમે તેનું ભાવતું ભોજન આપશો છતાં  તે તમારાથી ભાગવા કોશિશ કરે છે. અને તમે પણ તમારો શોખ પૂરો થતા ૨/૩  મહિના પછી  તેને આઝાદ કરશો  તો પણ તે ફરી તમારે ત્યાં નહિ આવે. વહુને પણ તમે મુક્ત બની રેહવા દો, તેમને તેમની ઈચ્છા મુજબ હરવા-ફરવા, પોતાની રીતે ઘરમાં કામ કરવાની  છૂટ... જેમ તેને છુટ આપશો તેમ તમે વધારે પ્રેમ પામશો, તે તમને છોડી ને નહિ જાય  અને એ ગમે તે રીતે હરશે-ફરશે પણ અંતે તમારી પાસે જ આવશે અને સાચવશે  અને પછી વહુ પણ ગાશે....

 પંખી બનું, ઉડતી ફિરું ઇસ મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું...."



Tuesday, October 4, 2011

જાહેરાત-મુર્ખ જાહેરાત કે મુર્ખ માણસો

જાહેરાત એક નશો છે, જે જનતાને પીવડાવવામાં આવે છે અને જનતાને ખરીદીનો નશો ચડે છે. વસ્તુ મહત્વની નથી પણ તે કેવી રીતે પીરસવામાં આવે છે તે મહત્વનું છે. સવારથી ઉઠીને રાતે સુઈ ત્યાં સુધી કોઈને કોઈ આપણને કઈ ને કઈ વેચવા પ્રયત્ન કરે છે, ઘરમાં હોઈ કે બહાર પણ ફેરિયા આવી જ જાય છે. અને ઘરમાં ટી.વી. તો શ્રેષ્ઠ માધ્યમ છે. કારણ કે સીરીયલ અને ક્રિકેટ મેચ ચાલુ જ રેહવાના અને સ્ત્રી-પુરુષ તે જોતા જ રેહવાના એટલે માર્કેટિંગવાળા કરોડો રૂપિયા દઈ ને લોકોને આકર્ષવા પ્રયત્ન કરે છે અને જોનાર વર્ગ તે વસ્તુ ખરીદવા પ્રેરાશે જ. જાહેરાત એટલી બધી લોભામણી હોય છે કે એક વાર તો ખરીદવાનું મન થાય જ અને જે ન ખરીદે તેના એવું લાગે કે લગ્ન નો લાડવો ખાવાનો રહી ગયો. એટલે મોટાભાગનો વર્ગ પોતાની જરૂરિયાત મુજબ, ફેશન મુજબ વસ્તુ ખરીદશે. બડા પેકેટ કે સાથ  છોટા પેકેટ ફરી, લેકિન બડે પેકેટકા વેઇટ કમ કર રખા હૈ, ૧ કે પર ૧ મુફ્ત લેકિન ઉસકી પ્રાઈઝ બઢા દી હોગી, ઔર ઐસે હી.....જાહેરાતમાં અને પ્રોડકટના પેકિંગમાં સુંદર સ્ત્રીનો ઉપયોગ થાય છે અને એટલે જ સુદર સ્ત્રીઓ વધારે ફસાય છે. કોઈ પણ વસ્તુના વેચાણ માટે સુંદર ફોટો મુકો અને જાહેરાતમાં પણ સુદર સ્ત્રી હોય એટલે વસ્તુ વેચાય ગઈ સમજવાની..વસ્તુની બનાવટમાં શું વાપરવામાં આવ્યું છે, તેના બદલે આપણે તે કેટલી આકર્ષક છે અને તેના વેચાણ જાહેરાતમાં કોણ છે તેને વધારે મહત્વ આપી છીએ. ઘણી વખત માણસોને પોતે કઈ કંપનીની વસ્તુ ખરીદી તેને બદલે તેની જાહેરાતમાં કોણ છે તે યાદ રહે છે એટલે કોઈ પૂછે તમે કયું ફ્રીઝ લીધું તો કેહ્શે જેમાં xyz હીરો/ હીરોહીન આવે છે ને તે, માં-દીકરીવળી જાહેરાતમાં દેખાડે છે ને તે જ ...ઉપરાંત ઘણી કંપનીઓ ઘર્મના નામે પણ માર્કેટિંગ કરવાનું મુકતા નથી.

ટી.વી. પર કોઈ પોગ્રામ જોતી વખતે એવું લાગે છે કે જાહેરાત જોવા બેઠા છીએને તેમાં બ્રેક પડે એટલે પ્રોગ્રામ આવે છે. દરેક ચેનલ પર જાહેરાત જોવા મળે છે પછી તે ન્યુઝ ચેનલ હોય કે મુઝીક ચેનલ. ૩૦ મીનીટના પ્રોગ્રામમાં ૧૫-૧૬ મીનીટ તો માત્ર જાહેરાતમાં જ જાય છે. આજકાલ લોકોનો જાહેરાત જોવામાં પણ રસ પડ્યો છે, તેમાં પણ જો કોઈ ફિલ્મી હીરો કે ક્રિકેટર હોય તો પાગલ બને છે એટલું જ નથી તે જ બ્રાન્ડની વસ્તુ ખરીદવા અને વાપરવાનો આગ્રહ રાખે છે. જાહેરાત ટૂંકી પણ ખુબ જ એટ્રેક્ટીવ હોય છે કે નાના-મોટા બધા આકર્ષાય અને તેનો હેતુ પણ એ જ હોય છે. નાના બાળકોના ડાય્પરથી લઈને વૃધો માટે જરૂરી વસ્તુની પણ  જાહેરાત આવતી હોય છે. પણ જાહેરાતમાં જે-તે પ્રોડકટ્ને બદલે તેની થીમ પર જોવામાં આવે તો વિચાર આવે છે કે આ જાહેરાત બનાવનાર મુર્ખ છે કે તેમાં તેના દ્વારા રજુ કરેલી થીમમાં મૂર્ખતા છે? આવી ઘણી જાહેરાતો જોવા મળે છે જેમ કે-
  • કોઈ પણ કંપનીની પેસ્ટની જાહેરાતમાં જોવા મળે છે કે છોકરો-છોકરી દાંત પીળા હોય એટલે દુર ભાગે અને તેના દાંત સફેદ જોઈ, તેની તાજગી મેહસૂસ કરવા તેની નજદીક આવે, અને છેલ્લા પોઝમાં જોવામાં આવે કે બને એકબીજાના હાથમાં હાથ નાખી ફરતા હોય, એકબીજાને કિસ કરતા હોય તેવું બતાવે. શું આ રીતે કોઈ એકબીજાને પસંદ કરતા હશે?જે  તે  કંપનીની પેસ્ટ વાપરે છે એટલે તે સારો/સારી અને પોતાના પાર્ટનર બનાવી દે!શું જાહેરાતવાળા એવું મને છે કે છોકરા/છોકરી આ રીતે એકબીજા પર ફિદા થતા હોય છે કે પછી આવું હોય છે?
  • એક બોડી સ્પ્રેની જાહેરાતમાં જોવામાં આવે છે કે એક છોકરાએ જે te કંપનીનું સ્પ્રે કરેલું છે અને તેની સુગંધથી તેની ગાડીમાં એક સાથે ૫-૬ છોકરી તેને આજુબાજુ ઘેરાય જાય છે એટલું જ નથી એટલામાં તેની ગર્લ ફ્રેન્ડ આવે અને તે આ દ્રશ્ય જોયા બાદ ગુસ્સે થવાને બદલે તે પણ આ સુગંધથી આકર્ષાય જાયને તેને કિસ કરવા લાગે. સામાન્ય રીતે કોઈ લેડી પોતાના બોય ફ્રેન્ડ કે પતિને જોઈ અન્ય લેડી સાથે ફોનમાં વાત કરતા સાંભળે તો પણ ઘણી પૂછપરચ કરે, ગુસે થાય, જેલસ થાય વગેરે પણ અહી તો એક સ્પ્રેની સુગંધથી તે ૫-૬ છોકરી જેની સાથે છે તે છોકરાને પોતે પણ પસંદ કરવા લાગે છે. ક્યારેક એવું લાગે છે કે અહી જાહેરાત કંપનીવાળા આડકતરી રીતે લેડીની વિચારશક્તિ પર મજાક કરે છે.
  • ૩-૪ કોલેજીયન છોકરીઓને એક પાર્ટીમાં જવાનું હોય પણ એક છોકરીના ચેહરા પર નાનો એવો ખીલનો અને તેનું નિશાન હોય તે જવા માટે તૈયાર નથી અને તેવામાં તેની સખી તેની કોઈ ક્રીમ આપે છે જેનાથી તે નિશાન દુર થઇ જાય અને પછી જ તે છોકરી પાર્ટીમાં જાય અને ત્યાં કોઈ છોકરો તેના પર ફિદા થઇ જાય એટલે તે તેની સખીનો આભાર માને. શું ચેહરા પરના આવા કોઈ નાના એવા ખીલ કે તેના નિશાનથી કોઈ છોકરો-છોકરી એજ્બીજાને રીજેકટ કરે?આવી ઘણી જાહેરાત છે જેમાં કોઈ છોકરો/છોકરી જે તે કંપનીના પાવડર/  બ્યુટી ક્રીમ/ સ્પ્રે/ શેમ્પૂ વાપરે અને તેની ખુબસુરતી/ સુગધથી એકબીજાના મિત્રો બને. શું કોઈ વ્યક્તિના ગુણને બદલે આવી કોઈ પ્રોડક્ટ વાપરે છે, તેનાથી સુદંર લાગે એટલે તેની પસંદગી કરે?
  • બોયઝની અન્ડર્વેરની જાહેરાતમાં દેખાડવામાં આવે કે  જે તે કંપનીના અન્ડરવેર પહેરે છે એટલે જ તે સૌથી આગળ છે, શું આગળ આવવા માટે તે કંપનીના જ અન્ડરવેર પેહરવા પડે? અને તેની સાબિતી માટે કઈ કંપનીના અન્ડરવેર પેહર્યા છે તે દેખાડવું પડે? બોયઝની પણ અમુક જાહેરાત જેમ કે, લેઝર/ બાઈકમાં જે થીમ વાપરવામાં આવે છે તે જોઇને વિચાર આવે કે જો બુદ્ધિઆંક માપવાનું સાધન હોય તો નિમ્નસ્તર પર સૌથી ઉંચો ગ્રાફ જોવા મળે.
  • એક વોશિંગ પાવડરની જાહેરાતમાં જોવામાં આવે છે કે એમ્બુલન્સ રસ્તામાં બંધ પડે છે અને ત્યાં કાદવ છે, ત્યારે ૩-૪ લેડી ભેગી થઈને ગાડીને ધક્કો મારે છે અને ગાડી ચાલવા લાગે છે અને ત્યારબાદના સીનમાં દેખાડવામાં આવે છે કે ત્યાં  ઉભેલા ડોક્ટર નીચું જોઈ જાય છે. આ જાહેરાત પેહલી વખતે જોય ત્યારે વિચાર આવે કે આ કોઈ  નારી હિમત, તેની હમદર્દીની કઈ વાત હશે પણ અંતમાં ખ્યાલ આવે કે તેને સફેદ કપડા પેહર્યા હતા, તે કાદવમાં ગંદા થાય તેની ચિંતા કર્યા વગર તેને મદદ કરી! એટલે શું ડોકટરે પોતાના કપડા ખરાબ થઇ જાય તેટલે કાદવમાં ગાડીને ધક્કો મારવા ન ગયા? અહી ૨-3 વાત જોવા મળે કે ડોક્ટર્સને દર્દી માટે હમદર્દી પણ નથી, કપડાની ચિંતા વધારે છે અને સ્ત્રી મદદ કરવા જાય છે છતાં પોતે આગળ નથી આવતા! સ્ત્રી પણ પોતાની પાસે એવો વોશિગ પાવડર છે જેનાથી ગમે તે ડાઘ દુર થાય છે એટલે તેને તેવી કોઈ ચિંતા નથી અને તે કાદવમાં ઉભેલી ગાડીને ધક્કો મારવા જાય છે, હમદર્દી નથી. અને જો આવો પાવડરનો હોત તો? મદદ કરવા ન જાત? 
આવી તો ઘણી જાહેરાત છે જે જોતા એવું લાગે અહી તે માણસોની મજાક જ ઉડાવે છે. છતાં આપણે જે-તે વસ્તુ વાપરવા આકર્ષાય અને બકરો બનીએ છીએ. અને વસ્તુનું વેચાણ કરતી કંપનીને આ જ જોઈએ છીએ.