Friday, April 15, 2011

કોર્પોરેટ કંપનીમાં નૌકરી


આજે આપને ૨૧મી સદીમાં જીવીએ છીએ, અને આપને ખ્યાલ છે કે દિન-પ્રતિદિન મોંઘવારીમાં સતત વધારો તો રહે છે, નાના-મોટા દરેક કુટુંબ ને પોતાની જીવન જરૂરિયાત કે મોજ શોખ પુરા કરવા રૂપિયાની જરૂર તો પડવાની છે, ત્યારે ઘર માં માત્ર એક વ્યક્તિ કમાતી હોઈ તેમાં રેહવું મુશ્કેલ છે. આજકાલ જ્યાં અનેક ક્ષેત્રે જુદી જુદી હરીફાઈ વધી ગઈ છે ત્યારે કોઈ નૌકરી/વ્યાપાર ચાલુ કરી, સ્થાન ટકાવી રાખવું ખુબ મુશ્કેલ છે.
 

નૌકરી માં પણ સરકારી નૌકરી મળવી સહેલી નથી અને આજ મુજવણ માં માણસ હવે ખાનગી કંપનીમાં જોડવા લાગ્યા છે. આજે ભારતમાં ઘણી સ્થાનિક અને વિદેશી કંપની રોજગારી પૂરી પડે છે પણ તે રોજગારી ની સાથે તે માણસ ની પર્સોનલ જીન્દગી લઇ લે છે અને હકીકત છે.
આપણે ચર્ચા કરીએ તો સરકારી નૌકરી માં ફિક્ષ્શ્ પગાર, ફીક્ષ્શ્ સમય, વર્ષ દરમિયાન પૂરી  CL, PL, ML મળે છે. ઉપરાંત કોઈ ટાર્ગેટ કે પ્રેસર હોતા નથી. કામ થઇ કે ના થઈ, તેને ફિક્ષ્શ્ પગાર તો મળે છે અને ઓફીસ પર થી તે -.૩૦ વાગે ફ્રી થઇ જાય  છે, પોતાના ઘરે જઈ શકે છે,પોતાના મોજશોખ પાછલ (swimming, dance, music, book reading etc.) સમય આપી શકે છે. ઘરે જાય પોતાના વડીલો, સંતાનો ની જરૂરિયાત,તેમના વિચારો આપ-લે કરી શકે છે. પોતાની પત્ની/સંતાનો સાથે જમીને બહાર જાય શકે છે અને રીતે પોતાની ફેમીલી એન્જોય કરી શકે છે. આમ સરકારી નૌકરી ના ઘણા ફાયદા છે જયારે પ્રાઈવેટ માં નૌકરી કરતા વ્યક્તિ ની કોઈ સમય મર્યાદા નથી હોતી. સવારે -.૩૦ થી .....કોઈ ફિક્ષ્ સમય નથી હોતો. દરેક કંપની વધુ માં વધુ બીઝ્નેઝ વધારવા, પોતાનું નામ કરવા ઘણા પ્રયોગો કરે છે, અનેક ને રોજગારી પૂરી પડે છે. પરંતુ આપને પ્રાઈવેટ કંપનીની વાત કરી તો તેને દરેક એમ્પ્લોયી ને સેલ્સ પર્સન બનાવી દીધા છે.એમ્પ્લોયર ગમે તે હોદા પર હોઈ તેને સેલ્સ ટાર્ગેટ તો હોઈ છે અને તેના પર તેને સારું એવું વળતર પણ આપવામાં આવે છે. પરંતુ જો ટાર્ગેટ પ્રમાણે કામ ના થઇ તો કઈ મળતું નથી અને નૌકરી ની પણ કોઈ ખાતરી હોતી નથી. માટે નૌકરી ટકાવવા ખુબ મહેનત કરવી પડે છે. આવી કંપનીમાં અનેક અચિવમેન્ટ પણ મળે છે પણ તે માટે અનેકગણું pressure આપવામાં આવે છે અને તે માટે એમ્પ્લોયર આખો દિવસ ક્લાયન્ટ ની પાછળ રચ્યો પચ્યો રહે અને -૧૦ વાગે ઘરે જાય છે તે માનસિક અને શારીરિક થાક અનુભવે છે, તેના પોતાના શોખ કે ફેમિલી માટે ભાગ્યે થોડો સમય આપી શકે છે. ઘર ના સભ્યો પણ રાહ જોઈ ને થાકી જાય છે, તે પોતાની પત્ની-સંતાનો ને પુરો સમય આપી શકતો નથી અને ફેમિલી પ્રશ્નો શરુ થાઈ છે. જો ઘરની વ્યક્તિ સમજી શકે તો પણ તે પોતાની લાઈફ સાથે સમજુતી કરે છે. બાળકો બાપ ના પ્રેમ માટે ઝંખે છે,તે રાહ જોઈને સુઈ જાય છે, સવારે ઉઠે ત્યારે બાપ ઓફીસ જવા નીકળી જાય છે.ખાનગી કંપનીમાં માત્ર એક વ્યક્તિ ને high package & high target આપવાને બદલે બે વ્યક્તિ વચ્ચે કામ અને વળતર ની વ્યવસ્થા કરવામાં આવે તો ઘણી બધી સમસ્યા નું નિવારણ આવી શકે.આજ ના જમાના માં જુવાનીયાઓ બધું કરે છે કારણ કે તે હાલત સામે મજબૂર છે, કારણ કે આવી કંપની માં retirement ચોક્કસ નથી હોતું. કામ કરી શકે તો કરે બાકી કાયમી retirement અને pension પણ ના મળે.

આપને આવા માં જોય શકી કે આવા લોકો ને કોઈ ફેમિલી ને ત્યાં જવાનો વિચાર ના આવી શકે ત્યારે આપને કહી છે કે તેને તો ક્યાં કુટુંબ માં રસ છે!!મિત્રો સાથે બને છે પણ મિત્રો સાથે બને ને કારણ કે દિવસ ના ૧૨-૧૩ કલાક રોજ તેમની સાથે વિતાવે છે. ઉપરાંત ખાનગી કંપનીમાં રવિવારે અલબત જાહેર રજા ના દિવસે પણ કામ કરાવવામાં આવે છે કારણ કે ટાર્ગેટ છે તો આવામાં ફેમિલી સાથે હરવા ફરવા નો અને બેસવાનો સમય ક્યાં રહે છે? ઘરના વડીલો જો સમજુ હોય તો તકલીફ ના પડે નહીતર તો ઘરમાં ઝઘડા થવા લાગે છે, કહે કે મામા-માસી, કાકા-ફુઆ કહે છે કે તમારા દીકરા વહુ તો કયારેય ઘરે આવતા નથી. અરે બાપલીયા આમાં આવે ક્યાંથી? આરામ કરવાનો પણ સમય માંડ માંડ મળ્યો છે અને આરામ તો કરે ને નહિ તો તબિયત બગડશે. 


આમ, ખાનગી કંપની માં નૌકરી ની સાથે પર્સનલ લાઈફ ગીરો મુકવી પડે છે અને તેના પર વ્યાજ પણ મળતું નથી.



 




No comments:

Post a Comment