Sunday, July 7, 2013

નસીબ


નસીબ 

હાથોકી લકીરો મેં લિખા હૈ જો નસીબો મેં,..........

દરેક વ્યક્તિ નસીબ લઈને જ દુનિયામાં આવે છે. કોઈના નસીબનું કોઈ લઇ શકતું નથી. માત્ર જરૂર છે એ નસીબને સ્વીકારવાની. સામાન્ય રીતે માનવી સવારે જાગે અને રાતે સુવે તેટલા સમયમાં પોતાની આસપાસના લોકોની, સબંધીની વાતો, ઈર્ષા કરતા હોય છે. પોતાના કરતા તે કેટલી રીતે સુખી છે તે જોઈ દુ:ખી થતા હોય છે. અને સામાન્ય રીતે સુખીની વ્યાખ્યા ભૌતિક સુખ-સગવડ જ ગણવામાં આવે છે, જેમ કે, તેની પાસે મોટરકાર-બંગલો છે, ઘરમાં પણ અનેક સારી વસ્તુ છે, અમારી પાસે નથી અને આવી ઘણી બધી બાબત હોય છે. શું જેની પાસે પૈસા-બંગલો વગેરે છે તે જ સુખી છે? શું તે સુખી છે? અને જેની પાસે આ બધું નથી પણ પ્રેમ છે તે દુ:ખી છે?કમનસીબ છે? શું તે સુખી નથી? માત્ર જરૂર છે પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની. આપની મંજિલ સુધી પહોંચવા આપણે સાચા-ખોટા અનેક વિકલ્પનો ઉપયોગ કરતા હોય છે, મંજિલ એક હોય છે અને રસ્તા ઘણા હોય છે. આપની તકદીર હાથમાં છે અને આપણે એમ કેહતા હોય છે કે હાથ ખાલી છે. નસીબને સદનસીબ બનાવવા મંજિલ સુધી પહોંચવા યાદ રાખવા જેવું છે.

THE PERFECT DAY/LIFE

GOING TO BED WITH A DREAM, WAKE UP WITH A PURPOSE. 

 ઉપરાંત આપણે હમેશા એવું આપણી નજરથી જ નહિ પણ અન્યની નજરથી જોવું જોઇએ. અને એટલે જ....
એવું ક્યારેય ન માનતા કે તમને જે કઈ મળ્યું છે તે તમારી આવડત, હોંશિયારી કે ચાલાકીથી મળ્યું છે.

નજર દોડાવશો તો તમારા જેવા હોંશિયાર લોકો ઘણા દેખાશે જેમને આ બધું નથી મળ્યું.

પતિ-પત્ની, મા-બાપ, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, બહેન-બહેન, દીકરો-દીકરી, આ બધા સંબંધો લેણા-દેણીને ઋણાનુબંધની વાત છે તેને લઈને ઉભા થતા સુખ-દુ:ખ તો ભોગવ્યે જ છુટકો.ઉપરાંત આ દુનિયાના દરેક સબંધો સ્વાર્થ પર જ બંધાયા છે, મારે બંને એટલું ઓછુ દેવું છે અને તમારે બંને એટલું વધારે લેવું છે તેનું ગણિત ફેરવી નાખવું જોઇએ અને સાથે જ સુખની વ્યખ્યા ફરી જશે. આગે સુખ તો પીછે દુ:ખ હૈ, પીછે દુ:ખ તો આગે સુખ હૈ. સુખનો અહેશાશ ત્યારે જ થાય જયારે દુ:ખ નો અનુભવ થાય.

એટલે જ કહ્યું છે ને..

પહેલું સુખ તે જાતે નર્યા

છેલ્લું સુખ તે શાંત જીવે માર્યા

 

No comments:

Post a Comment