Sunday, December 8, 2013

24*7 કોમ્યુનીકેશન માધ્યમ પરંતુ સબંધમાં નિકટતાનો અભાવ

આજના જમાનામાં કોમ્યુંનીકેશનના અનેક માધ્યમ છે અને તેના દ્વારા સરળતાથી મેસેજની આપ-લે થઇ શકે છે. દરેક સબંધમાં કોમ્યુંનીકેશન અત્યંત જરૂરી છે. જેટલું કોમ્યુંનીકેશન મજબુત તેટલા સબંધ મજબુત થાય છે. નબળું કોમ્યુંનીકેશન અનેક સમસ્યા સર્જે છે. કોમ્યુંનીકેશન મજબુત અને ધારદાર હોય તો સબંધના પાયામાં  મજબુતી આવે છે, અને નબળું કોમ્યુંનીકેશન સબંધને જમીનદોસ્ત કરી દે છે. પુરાતન યુગમાં જયારે કોમ્યુંનીકેશન માધ્યમ ન હતા ત્યારે સબંધમાં માર્યાદિત તિરાડ જોવા મળતી. ખાસ કરીને પતિ-પત્નીના સબંધમાં. 
વર્ષો પેહાલાની વાત કરીએ તો પતિ-પત્ની સવારે છૂટા પડ્યા બાદ જયારે રાતે બને ભેગા થતા ત્યારે જ વાત થતી, ત્યારે તો ટેલીફોન પણ ન હતા, મોબાઈલ અને  sms તો કોઈએ વિચાર્યું પણ ન હતું અને ત્યારે ટેલીફોન પણ ઘણા જ મોંઘા હતા.અને એટલે જ જયારે રાતે બને મળે ત્યારે એક પ્રતીક્ષાનો અંત આવતો, બને વચે મીઠાશભરી વાત થતી. ઉપરાંત  ફોન કરે તો પણ માત્ર કામ પુરતી અને ટૂંકમાં જ વાત થઇ જયારે આજના યુગમાં યુવાનો આખી રાત વાતો કરીને પણ થાકતા નથી અને સવારે ફરી મેસેજ કરીને એકબીજના કોનટેક્ટમાં રહે છે. અને જો તેના ફોન અથવા મેસેજનો રીપ્લ્યાય ન થાય તો બને વચે નાનું યુદ્ધ અને તે નાનામાંથી મોટું યુદ્ધ થતા પણ સમય લાગતો નથી. એટલું જ નહિ એકબીજાની જાસુસી કરવામાં, સમયનો હિસાબ રાખવામાં , વગેરેમાં અનેક પ્રશ્નો ઉભા કરે છે. દિવસભર આ બધું ચાલે છે અને જયારે ભેગા થાય ત્યારે પોતાના ફોનમાં આવેલ ફોટોસ, વોટસ અપ વગેરે જોવામાં જ સમય કાઠે છે. આજની જનરેશન બહાર જમવા કે ફરવા જાય ત્યારે એકબીજની સાથે વાત  કરવાને બદલે પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે, પોતાના ફોટા મોકલતી હોય છે, પણ બાજુમાં તેનું કોઈ ઓળખતું બેઠું હોય તેની સાથે વાત કરવાનો સમય નથી. આજના યુગમાં સંપર્ક સરળ બન્યો છે પરંતુ સબંધો સાચવવા અઘરા બન્યા છે, સંપર્ક ઝડપી બન્યો છે પરંતુ સબંધમાં ધીરજની ઉણપ વર્તાય છે. ઈમેલ-, વોટ્સ અપ, વગેરેથી ૨૪*૭ કોન્ટેક્ટમાં હોય છે, તે પણ ખુબ જ ઓછા દરે. ક્મોમ્યુંનીકેશન છે પણ કોમ્યુનીકેશન મટીરીઅલ નથી. પેહલાના જ્માંનામાં આજુ-બાજુ એટલે કે પડોશમાં વાતો થતી ત્યારે સંતાનો કેહતા તમને પંચાત કરવી ગમે છે અમને ન ગમે પણ આજે તે લોકો પણ એ જ કરે છે પણ માધ્યમ દ્વારા. તેમાંન માટે તે શેરિંગ છે, એન્ટરટેનમેન્ટ છે.મિત્રનું વર્તુળ મોટું છે પણ મિત્રો ઓછા છે, ઓનલાઈન શેર-શાયરી/જોક્સના ખજાના છે પણ મોલીક્તાનો અભાવ છે.
આજે મન બે ભાગમાં વેહ્ચાયેલા છે. એક મત મુજબ હવે માણસોને આ કોમ્યુનીકેશન માધ્યમ વગર ચાલે તેમ નથી. ટેકનોલોજીને લીધે ઘણી નિકટતા આવી છે, એકબીજાના સંપર્કમાં સહેલાઈથી રહી શકાય છે પરંતુ તેમ છતાં સબંધો જાળવવા અઘરા બનતા જાય છે.

No comments:

Post a Comment