Saturday, July 18, 2015

અધિકમાસ-પવિત્રમાસ


અધિકમાસ ત્રણ વર્ષમાં એકવાર આવે છે આ માસને પવિત્ર ગણવામાં આવે છે.અધિકમાસ દરમ્યાન નદીમાં સ્નાન, જપ, આરાધના, દાન, ધાર્મિક શાસ્ત્રોનું વાચન અને શ્રવણ ઉતમ ગણવામાં આવે છે. એવું પણ માનવમાં આવે છે કે આ માસ દરમ્યાન ભક્તિ, દાન વગેરે કરવાથી અધિક પુણ્ય તો  મળે જ છે ઉપરાંત મોક્ષ પણ મળી જાય છે તેવી માન્યતા છે. પરંતુ અધિકમાસ દરમ્યાન લગ્ન, જનોઇ એવા કોઈ શુભ પ્રસંગો કરવામાં નથી આવતા. પવિત્ર તો શ્રાવણમાસ પણ છે અને તેમાં શુભ પ્રસંગો કરવામાં આવે છે પણ અધિકમાસમાં નહિ એવું શા માટે તેનો ખ્યાલ નથી. પવિત્ર-અપવિત્ર, શ્રદ્ધા-અંધશ્રદ્ધા જે હોય તે પણ આ અધિકમાસ એ સ્ત્રીઓ નો ખુશીનો મહિનો છે.

રોજ સવારે ગોરમાં ની મુર્તિની પુજા કરે, પ્રસાદ ધરે અને ભજન ગાયે જાય આબુળું-જાંબુળું,...ભજતી પણ જાય અને હસતી પણ જાય. કોઈ લોકો મંદિરે પુજા કરવા જાય છે તો કોઈ સોસાયટીમાં આડોશ-પડોશની સ્ત્રીઓ ગલીમાં/ઘરમાં જ પુજા કરે છે. સૌ કામ છોડી અને પુજા કરવા પંહોચી જ જાય, હાથમાં પુજાની સામગ્રી અને ચેહરા પર હરખની લહેર સાથે પૂજાનું સૌભાગ્ય લેવા રાહ જલ્દી પકડી લે છે. અધિકમાસના 30 દિવસ તે આતુરતાથી રાહ જોવે છે અને તેના આધારે જ તે બોલતી હોય છે...એ હાલો હાલો હાલોઅધિકમાસમાં એકટાણા કરે પરંતુ ચાર-પાંચ વાર આરોગે પણ કેહવાય એકટાણા અને વન ભોજન તો અચૂક કરે ત્યારે જ ડોશીઓનો અધિકમાસ પૂર્ણ થાય.

આવી જ કઈક તસ્વીરો...





No comments:

Post a Comment