Monday, March 14, 2011

મોબાઈલ





 થોડા સમય પેહલા ઘરમાં ફોન હોય તો પણ બધાને નવાઈ લાગતી. સોસાયટીમાં કોઈ એકના ઘરે ફોન હોય તો આજુ-બાજુના પાડોશી પોતાના સગા-સંબધીને જરૂરી સમયે ફોને કરી સમાંચાર આપવાનું કેહતા. STDમાં પણ ફોન કરવા માટે લાઈન લાગતી અને ફોન ચાર્જ પણ ઘણા વધારે હતા. સમયજતા લેન્ડલાઈન ફોન સામાન્ય બની ગયા, લગભગ બધાની ઘરે/ઓફીસ ફોન આવી ગયા. છતાં પણ તેનો માર્યાદિત્ ઉપયોગ થતો, કામ થી કામ(- મિનિટ) કારણ કે ચાર્જ લાગતો. ધીમે-ધીમે ફોનમાં વિવધતા આવતી ગઈ.


 જેમ કે, caller ID, codeless, WWL etc., અને ત્યારબાદ થઇ મોબાઈલની શોધ. આપના દેશમાં જયારે તેની શરૂઆત થઇ ત્યારે તેમાં incoming/outgoing ચાર્જ લાગતો, અને પણ / રૂપિયા નહિ ૧૫/૧૬ થતો. ભાગ્યે કોઈને પાસે મોબાઈલ જોવા મળતા. મોબઈલ પણ ખુબ મોટા, વજનવાળા અને એન્ટેનાવાળા હતા.
પરંતુ આજે એટલી બધી દુનિયા ફરી ગઈ છે કે પૂછો વાત! માત્ર / વર્ષમાં મોબાઈલ તો જાણે દરેક વ્યક્તિની ધડકન બની ગઈ છે, તેના વગર માણસ રહી શકતો નથી. આજે કોઈ મોટો ઉદ્યોગપતિ હોય કે સામાન્ય માણસ મોબઈલ જોવા મળે છે. અરે!!!!!!!!! આજ કાલ તો શાકવાળા, ભિખારીના હાથમાં પણ મોબાઈલ હોય છે. અલબત મોબાઈલમાં વિવધતા જોવા મળે છે. માત્ર મુઠીમાં સમય જાય, તેમાં રેડિયો, ઇન્ટરનેટ, કેમેરા વગેરે જેવી facility જોવા મળે છે.સામાન્ય માણસ પણ ઉપયોગ કરી શકે તેવા ભાવે બધી facility  મળે છે.  Businessmen, Officerને મોબાઈલની જરૂર પડે સ્વાભાવિક છે પણ નાના છોકરા-છોકરી પાસે મોબાઈલ હોવો ફેશન બની ગઈ છે અને લોકોના કાનમાં ear phone તો લગાવેલા હોય છે. વાહન ચલાવતા-ચલાવતા પણ ગીત સંભાળવાનું છોડતા નથી. SMS ફેસીલીટીએ તો હદ કરી છે. શેર-શાયરી, ટાઈમપાસ અને આંનદ આવે એવા અનેક SMS ચાલુ હોય છે. ખુબ મજા કરે અને રાતે પણ ઓશિકા પાસે ફોનતો જોય ,.
મને તો વિચાર આવે છે કે આટલા વર્ષો શું માણસને કોઈ emergency આવતી? હાલતા-ચાલતા, સુતા-જાગતા, વાંચતા-લખતા મોબાઈલ તો હોય . ઘણા લોકોને મંદિર, સ્મસાનમાં પણ ફોનમાં વાતો કરતા જોયા છે, મને તો કેહવાનું મન થાય કે ભાઈ/બહેન તું દર્શન કરવા આવ્યો છે તો મિનિટ શાંતિથી દર્શન તો કર પછી વાત કરને.... કોઈ કામ મિનિટમાં અટકી નથી જવાનું. અમુક બ્રાહમન પણ પૂજામાં શું ચાલે છે તેના બદલે ગૌરપદૂ કરતી વખતે ફોનમાં વાત કરતા હોય છે ત્યારે પૂછવાનું મન થાય છે કે તારું ધ્યાન નથી તો પૂજા શેની કરાવે છે, યજમાનને શું પૂજા કરાવીશ? અને ફોનની રીંગ પણ કોઈ ફિલ્મી જુનિ-નવી ગીતની રાખે છે તો કોઈ ભજન તો રસ-ગરબા તો કોઈ બીજું કઈ. અને કોઈ વાર રીંગથી એટલો ગુસ્સો આવતો હોય છે અને એમ થાય કે તેનો ફોન બંધ કરી દે તો સારું. Noise pollution માં પણ વધારો થાય છે પણ આવી બાબતમાં કોઈ ધ્યાન નથી આપતું. ઉપરાંત ટોક ટાઈમ,ફ્રી SMS વગેરે, અમુક લોકો માટે ટો તે એક રમકડું કે ટાઈમપાસનું સાધન બની ગયું છે. દરેક વસ્તુના ફાયદા-ગેરફાયદા છે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો હિતાવહ છે. વૈજ્ઞાનીકો દ્વારા કરવામાં આવતા સંશોધન મુજબ મોબાઈલનો અતિશય ઉપયોગ હેલ્થ માટે હાનીકારક છે
ફ્રી ટોકટાઈમ


 એક સમય હતો કે માણસને એક ફોન કરવો હોય તો બે વાર વિચારેSTD બુથમાં જઈ ફોન કરે અને માત્ર કામની વાત કરે, તુરંત ફોન મૂકી દે. પરંતુ આજે  ટેલીકોમ સેકટરમાં એટલી બધી competition છે કે દરેક ખુબ ઓછા ભાવે વધુમાં વધુ customer ને આકર્ષવા પ્રયત્નો કરે છે. ખુબ નજીવા દરે ઘરના ખૂણામાં બેઠા-બેઠા દુનિયાના કોઈ પણ છેડે વાત કરી શકાય છે. Pre-paid/Post-paid વગેરેમાં જુદા-જુદા રિચાર્જ પર જુદી જુદી ફેસીલીટી આપવામાં આવે છે, કોઈમાં દિવસ-રાત ફ્રી ટોક-ટાઈમ આપવામાં આવે છે તો કોઈમાં અમુક કલાક. પણ મને નથી સમજાતું કે મહિને ૫૦/૬૦ ફ્રી કલાકની શું જરુંર છે, એટલી બધી વાત કોની સાથે કરવાની અને શું કરવી? ખરેખર તો સવાલ યુવાનો, સગાઇ-લગ્ન નક્કી થયેલાને પૂછવું જોઈ. મેં તો ઘણા બધા કિસ્સા સંભાળ્યા છે જેમાં તે લોકો આખી-આખી રાત ફોન પર વાત કરતા હોય છે!!! કોણ જાણે શું વાત હશે એટલી બધી? લગ્ન પેહલા આટલી બધી વાત અને લગ્ન પછી? પછી તો ઘરમાં હોય તો પણ શું વાત કરવી? એવા કિસ્સા પણ જોયા છે . શું લોકોને પ્રેમ થયો હશે? અત્યાર શુધી લોકો શું કરતા?શું આકો દિવસ વાત કરીને થાકી/કંટાળી નહિ જતા હોય? મેં તો આજુ-બાજુ ઘણાને અમુક એવી વાતો કરતા સાંભળ્યા છે એમ થાય કે આવી વાતો જાણીને/સાંભળીને શું ફાયદો? જેમ કે કેટલા વાગે ઉઠ્યા?, શું ખાધું-પીધું?, કોણ આવ્યું હતું-ક્યારે આવ્યું હતું? વગેરે....આવા સંવાદો ઘણા સંબધોમાં જોવા મળે છે. પણ ઘણા લોકો છે જે તેમના ઘરમાં રેહતા સભ્યો સાથે આખા દિવસમાં વાતો ના કરે તેટલી વાતો ફોનમાં કરતા હોય છે. અહી પણ જો ચાર્જ શરુ થઇ જાયતો કલાકો ઘટી જાય. સમયનો બચાવ થશે, જે કામ કરતા હશે તેમાં પૂરતું ધ્યાન આપી શકાય, કઈ નવું વિચારી નવું થઇ શકે, ઘણા લોકો એટલા કંજૂસ હોય છે પણ વાતોના રસિયા હોય છે માટે પોતે ફ્રી કોલ્સ વાળી સ્કીમ નહિ કરાવે અને સામેવાળાને માત્ર MISSCALL આપે એટલે સામેવાળો(જેને ફ્રી કોલ્સ હોય તે) ફોન કરે અને પછી વાતોનો વરસાદ...............મર્યાદિત ઉપયોગ થાય તે હિતાવહ છે, અને મોટામાંથી નાના શિખે છે ભૂલવું જોઈ.




No comments:

Post a Comment