Thursday, August 25, 2011

સહકાર કોને આપવો ?

અન્નાજી ભાવી પેઢી માટે, દેશ  માટે લડી રહ્યા છે ત્યારે આજે આપને લોકો સાતમ-આઠમની રજામાં ફરવા નીકળી પડે છે, કૃષ્ણ જન્મ ઉજવે છે. જો આપને નાગરિક અન્નાજીની સાથે અનશન ન કરી શકે પણ આ રીતે તહેવારની ઉજવણી કરવી શું વાજબી છે?  તેહવાર આવતા વર્ષે ફરી આવવાનો છે. અન્નાજી નાગરિક માટે લડે છે પણ નાગરિકને એ ખબર નથી કે આ અન્ના કોન  છે, તે શું કરે છે? હા, ઘણા ને ખબર છે કે કઈ ભ્રષ્ટાચાર સાથે છે પણ અન્ય કઈ ખબર નથી અને જાણવા માટે કઈ પ્રયાસ પણ નથી કરતા. એશ્વર્યા માં બનવાની છે એ ખબર નાના ગામના લોકોને પણ ખબર હોય પણ આપને ત્યાં જાગૃતિનો અભાવ છે.હમણાં થોડા દિવસ પેહલા બેંક કર્મચારી દ્વારા મોંઘવારી ભ્થું વધારવા માટે હડતાલ પર ઉતર્યા હતા, અત્યારે શા માટે તેઓ અન્નાજી સાથે સહયોગ આપની જોડાતા નથી? શું તેમને ખ્યાલ નથી કે આ જનલોક્પાલ તેમને કેટલું ઉપયોગી છે? જરૂરી નથી કે અનશન કરીને જ આ વિરોધમાં સહયોગ આપી શકાય, હાથ પર કાળી પટ્ટી બાંધીને પણ થઇ શકે, સરકારને પોસ્ટ કાર્ડ લખીને પણ વિરોધ દર્શાવી શકાય અને અન્ય ઘણી રીતે સહકાર આપી શકાય.

આપને લોકો સામાન્ય રીતે ફિલ્મી સ્ટારના ફેન હોય છે. કોઈને શાહરૂખ તો કોઈને અમિતાભ, કેટરીના, કરીના ગમે. આવા ફિલ્મ સ્ટાર્સ પોતાની મૂવીની પબ્લીસીટી માટે રીયાલીટી શો માં અચૂક આવી જાય છે અને આપને લોકો તે શો જોવા પણ સમયસર બેસી જાય છીએ. અને આપને લોકો પણ તેના શબ્દોથી પ્રભાવિત થઇ ને તુરંત જ મુવી જોવા ચાલ્યા જાય છી. પણ આપને મુર્ખ પ્રજા હમેશા તેમને જ સપોર્ટ કરીએ છીએ. પણ આમાંથી કયા સ્ટાર્સ અન્નાજીને સાથ આપવા તેમની સાથે રામલીલા મેદાનમાં આવ્યા? આમાંથી કોણ વિરોધ કરવા આંદોલન કરે છે?
ઘણા મુવી છે જેમાં હિરો દેશ પ્રેમ બતાવે છે, તે દેશમાં ચાલતા ભ્રષ્ટાચાર, રાજકારણ વગેરેને સામે લડે છે અને ન્યાય અપાવે છે(જેમ કે નાયક, સિંઘમ, દબંગ વગેરે.....), પણ અત્યારે અન્નાજીને સાથ આપવા કોણ સાથે આવ્યું? મુવીમાં તો સૌ કરે પણ અત્યારે જે કોઈ લડે તે જ સાચા હિરો છે, તે જ સાચા દેશપ્રેમી છે તેમ કહી શકાય. આપને ત્યા અમિતાભ વગેરેને ભગવાનની જેમ પુજ્વામા આવે છે, કેબેસીમાં આવતા લોકો આ શોમાં આવવાનું કારણ અમિતાભને મળવા માટે જ કહે છે અને ઘણી વખત સાંભળ્યા છે કે અમિતાભના શબ્દોને આર્શીવાદ સમાન ગણે છે. તે લોકો પેહ્રે એવા કપડા, ચશ્માં લેવા માટે અનેક પૈસા ખર્ચે છે પણ આવા સ્ટાર્સ તો અન્નાજીને સપોર્ટ કરવા ઉતરે તો આમજનતા  વિરોધ દર્શાવા આગળ આવે. ખરેખર જો આ સ્ટાર્સને આમજનતાની ચિંતા હોય તો લોકપાલબીલને સમર્થન આપુવું જોઈ, આગળ આવવું જોઈ. જેમ ફિલ્મના પ્રચાર માટે રીયાલીટી શોમાં પ્રચાર કરે છે તે રીતે અન્નાજીને પણ સહયોગ આપવો જોઈએ. અને આપને લોકો એ જાગૃત બનવું જોઈએ કે આપને કોને વોટ કરવા જવું જોઈએ. વલ્ડકપ જીત્યાબાદ આખી રાત લોકોએ ખુશી માનવી હતી, કેટકેટલા એ જુદી-જુદી માનતા રાખી હતી અને તે માટે પગપાળા કર્યા, હવન કર્યા, ક્રિકેટરોને માટે કૈક કર્યું હતું પણ આ ક્રિકેટર્સ દ્વારા શું કરવામાં આવ્યું? કોઈએ આમજનતાને સમર્થન આપ્યું? સઅન્નાજીને ટેકો આપે છે. કોણ અપના કોણ પરાયા?

No comments:

Post a Comment