Wednesday, August 22, 2012

સંબંધ સાથેના વ્યવહાર અને વ્યવહાર વગરના સંબંધ

વ્યક્તિ દુનિયમાં જન્મ લે ત્યારથી તે સંબંધ  લઈને આવે છે.માતા-પિતા,દાદા-દાદી, નાના-નાની, ભાઈ-બહેન, કાકા-કાકી, માસ-માસી વગેરે..સમય જતા નવા સંબંધ બને છે, જેમ કે, પોતાના ભાઈ-બહેનના લગ્ન થવા, પોતાના લગ્ન થતા પતિ/પત્ની સાથે, તેમજ તેની સાથે સાસુ-સસરા, મામાજી-મામીજી વગેરે.....પારિવારિક સંબંધ  સિવાય અન્ય ઘણા સંબંધ  જિંદગીમાં બંધાય છે.નવા સંબંધ  બનતા ઘણીવાર જુના સંબંધ  તૂટતા જાય છે. માનવી માટે આકરી કોઈ કસોટી હોય તો સંબંધ  સાચવવાની, જન્મથી મળેલ સંબંધ  અને પછી મળેલ સંબંધ  ને કેવી રીતે ટકાવી રાખવા, ન્યાય આપવો. સંબંધ  એક પવિત્ર ઝરણું છે.પરંતુ આપને ત્યાં સંબંધ  કરતા વ્યવહારને મહત્વ આપવામાં આવે છે. કોઈવાર માત્ર સંબંધ  હોય પણ વ્યવહાર હોય તો કોઈવાર વ્યવહાર હોય પણ સંબંધ  હોય. સગા-સબંધીમાં ખરાબ/ખોટું ન લાગે તેની કાળજી રાખવી પડે છે, સગામાં વ્યવહાર સાચવવાનો ભાર હોય છે, થોડી ચિંતા હોય છે. સંબંધ  બે કે વધારે વ્યક્તિ વચે લાગણીનો સેતુ છે, નિર્પેક્ષ રીતે બનેલ સંબંધ  કોઈપણ જરૂરિયાત વગર બનેલા હોય છે, કાયમી અકબંધ રહે છે. યુગમાં લાગણીનું મહત્વ ઓછુ થઇ ગયું છે અને એટલે અનેક સંબંધ  બને છે અને તૂટે છે પણ વ્યવહાર રહે છે

* કોઈવાર આડોશ-પડોશમાં કે કુટુંબીને ત્યાં પ્રસંગમાં હાજરી આપી શકાય એમ હોય કે જવું હોય ત્યારે માનવી કોઈ ને કોઈ સાથે ગીફ્ટ કે કવર મોકલાવી દે છે અને બોલતા હોય છે કે વ્યવહાર તો સાચવવો પડે ને? પણ શું વ્યવહાર સાચવવાથી સંબંધ  ટકે છે? તો સંબંધ  છે? વ્યવહાર સચવાય છે પણ સંબંધ  સચવાતા નથી. કોઈ લોકો કુટુંબમાં કોઈને પણ ત્યાં કોઈપણ પ્રસંગ હોય હાજરી આપે છે અને વ્યવહાર પણ ઉંચો/મોટો કરે છે પણ તેમને કોઈની સાથે સંબંધ  નથી.પ્રસંગમાં લાગણી અને આશીર્વાદ વધારે મહત્વના હોવા જોઈએ પણ આપને ત્યાં ગીફ્ટ/કવર વગેરેને મહત્વ આપવામાં આવે છે. સંબંધ  છે કે જયારે તમને જરૂર હોય કે અન્યને જરૂર હોય ત્યારે તેમને સાથ આપવો, કામે લાગવું. કોઈવાર એકલતા અનુભવતા હોય/આકસ્મિક કોઈ તકલીફ હોય ત્યારે કોઈ એવા સંબંધ  હોય જેની સાથે તમે પોતાના દિલની વાત કરી શકો, મન હળવું કરી શકો.

* કુટુંબમાં લગ્ન, કથા કે અન્ય કોઈ પ્રસંગ હોય ત્યારે અનેક સંબંધને આમંત્રણ આપવામાં આવે છે, સંબંધીઓ સમયે આવે અને જાય પરંતુ દરેકને સાચવવા પડે. દરેકને સાચવવા યજમાનને સમતુલન રાખવું પડે અને કોઈવાર યજમાન પોતે જ પ્રસંગને માણી શકતો નથી કારણ કોઈ ને માઠું લાગે, તેમની આગતા-સ્વાગતતા કરવામાં ઓછુ ન પડે.આવા સંજોગોમાં સામાન્ય રીતે કોઈ મિત્ર સાથ આપતો હોય છે. લોહીનો સંબંધ  નથી, લાગણીનો સંબંધ છે અને તેમ છતાં લોહીના સંબંધીને સાચવવા મદદ કરે, સગો હોવા છતાં સગાને સાચવે, સગાને સાચવવામાં વ્યવહાર કરવાનું ભૂલી જાય તો પણ સંબંધ અતુટ રહે તે છે સાચો સંબંધ .અને એટલે કેહવાય છે ને સાચવવા પડે સંબંધ સાચા નથી હોતા અને સંબંધ  સાચા હોય તો સાચવવા નથી પડતા.પ્રસંગ સમયે જ સાચા સંબંધીની પરખ થાય છે, કારણ આવા સમયે જ મિત્રો અને કુટુંબીમાં કોઈ દુર હોવા છતાં નજીક આવે છે તો કોઈ નજીકથી દુર થાય છે.

No comments:

Post a Comment